વાસ્તુને દરેક ઘરમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. તમારી આસપાસની ચીજો તમારા વ્યક્તિત્વ પર અસર કરતી રહે છે. જો વાસ્તુની કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો એક પોઝિટિવ એનર્જી જે હંમેશા ખુશ રહેવા અને સારા કામ કરવા જરૂરી છે તે મળે છે અને સતત પરિવારની પ્રગતિ પણ થતી રહે છે. આજે આવી જ કેટલીક વાતનું ધ્યાન રાખીને પરિવારને મદદ કરો તે ઈચ્છનીય છે.
વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે જ્યારે ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે ત્યારે કેટલીક ચીજોનું ધ્યાન રાખી લેવું. નહીં તો તેનાથી તમારા માનસિક અને આર્થિક સ્થિતિ પર મોટો પ્રભાવ પડે છે.
વાસ્તુના નિયમ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ કે થાંભલો ન હોવો જોઈએ. આમ હશે તો સંતાન પર કષ્ટ આવી શકે છે. સંતાનનો વિકાસ પણ યોગ્ય રીતે થતો નથી. તેની કરિયરમાં બાધા આવી શકે છે.
આ સિવાય ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ કુઓ કે ખાડો ન હોય. તેનાથી માનસિક રોગ અને મુશ્કેલીઓ આવે છે.
જો તમારા ઘરના મુખ્ય દ્વારની સામે કીચડ રહે છે તો તે શોકનો સંકેત આપે છે. કીચડ પણ વાસ્તુ અનુસાર નેગેટિવ એનર્જી જન્માવે છે. સાથે ધ્યાન રાખવું કે મેન ગેટની સામે આવનારા રસ્તો ખતમ ન થઈ જાય. જો આવું થાય તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. આ સિવાય મેન ગેટની પાસે ગંદુ પાણી પણ ભરાઈ રહે છે તો તે તમારા માટે મોટું આર્થિક સંકટ જન્માવી શકે છે.
તો આજથી જ ધ્ચાન રાખો આ ખાસ વાતો અને જાણી લો કે વાસ્તુ અનુસાર કઈ ચીજોને નકારાત્મક અને કઈ ચીજોને સકારાત્મક માનવામાં આવે છે. કયા નાના ઉપાયો કરી લેવાથી તમારી પ્રગતિને ચાર ચાંદ લાગી શકે છે. આજથી જ બદલી દો આ નાની ભૂલો અને કરો તમારી અને પરિવારની પ્રગતિ. મળશે એટલું ધન કે તમે પણ પોતે આશ્ચર્યમાં મૂકાઈ જશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ