આ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૦ તો કોરોના વાયરસના સંક્રમણના લીધે પૂર્ણ રીતે ખરાબ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૦એ બ્દ્રેક વ્યક્તિને દુઃખી કર્યા છે પરંતુ આવનાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧ને અમે સારું બનાવી શકીએ છીએ. વર્ષ ૨૦૨૧ની તમામ વ્યક્તિઓ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૦ તો કોરોના વાયરસના સંક્રમણના લીધે પૂર્ણ રીતે ખરાબ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૦એ બ્દ્રેક વ્યક્તિને દુઃખી કર્યા છે પરંતુ આવનાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧ને અમે સારું બનાવી શકીએ છીએ. વર્ષ ૨૦૨૧ની તમામ વ્યક્તિઓ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ નવા વર્ષમાં બધા ખુશ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિની કામના કરી રહ્યા છે. આ નવા વર્ષમાં કેટલાક લોકો સારા કામ કરવાનો સંકલ્પ લે છે. જો આપ પણ આના ઘરમાં ખુશહાલી, શાંતિ ઈચ્છો છો તો આ ખાસ વસ્તુઓને આજે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ પોતાના ઘરે લઈ આવો.
પિરામીડ:
ઘરમાં કેટલાક પ્રકારના પિરામીડ રાખવામાં આવે છે. એક્સપર્ટસના જણવ્યા મુજબ, પિરામિડની આકૃતિ ઉત્તર- દક્ષિણ અક્ષ પર રહેવાના કારણથી આ બ્રહ્માંડમાં વ્યાપ્ત જ્ઞાત અને અજ્ઞાત શક્તિઓ સ્વયં સમાહિત કરીને પોતાની અંદર એક ઉર્જયુક્ત વાતાવરણ તૈયાર કરવામાં સક્ષામ છે જે જીવિત કે મૃત, જડ અને ચેતન બધા પ્રકારની વસ્તુઓને પ્રભાવિત કરે છે.
કાચબો:
જો આપની પાસે પણ માટી કે ધાતુનો કાચબો છે જાણી લે કે, આપે સારી ધાતુના કાચબાને જ રાખવો જોઈએ. જે ચાંદી, પિત્તળ કે પછી કાંસા માંથી બનાવવામાં આવ્યો હોઈ શકે છે. પરંતુ આપે યાદ રાખવું કે, મિશ્રિત ધાતુ માંથી બનેલ કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
મોતીશંખ:
આમ તો શંખ લગભગ દરેક ઘરમાં મળી જાય છે પરંતુ દક્ષિણાવર્તી શંખ અને મોતીના શંખનું અલગ જ મહત્વ હોય છે. મોતીશંખ ચમકીલો હોય છે. આ શંખની વિધિ- વિધાનથી પૂજન કરીને તિજોરીમાં રાખવામાં આવે છે જેથી કરીને ઘરમાં કાર્યસ્થળ, વ્યાપાર સ્થળ અને ભંડારમાં પૈસા ટકવા લાગે છે. આવક વધવા લાગે છે.
ચાંદીનો હાથી.:
જ્યોતિષના જણાવ્યા મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી રાહુ ગ્રહ અને કેતુ ગ્રહના ખરાબ પ્રભાવ રહેતો છે નહી, આ સાથે જ નોકરીમાં પ્રગતિ થાય છે હાથી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ- સમૃદ્ધિ જળવાઈ રહે છે. કેટલીક વ્યક્તિઓ ગણેશજીની મૂર્તિ રાખે છે તેમને પણ આ જ લાભ મળે છે. પરંતુ આપે યાદ રાખવું કે, મૂર્તિ સખ્ત ચાંદીની હોવી જોઈએ.
પોપટની મૂર્તિ:
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉત્તર દિશામાં પોપટની મૂર્તિ કે પછી ચિત્ર લગાવવાથી બાળકોને અભ્યાસમાં રુચિ વધે છે. આ સાથે જ સ્મરણ શક્તિમાં પણ વધારો જોવા મળે છે. આપને જાણવી દઈએ કે, પોપટ પ્રેમ, વફાદારી, લાંબુ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે.
લઘુ નારિયેળ:
લાલ કપડામાં લઘુ નારિયેળોને લપેટીને તિજોરીમાં રાખી દેવું જોઈએ તેને દિવાળીના બીજા દિવસે કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરવાથી લક્ષ્મી દેવી લાંબા સમય સુધી આપના ઘરમાં નિવાસ કરે છે આ સાથે જ તેને રાખવાથી ધન લાભ થાય છે. એકાક્ષી નારિયેળને પણ સાક્ષાત લક્ષ્મી દેવીનું રૂપ માનવામાં આવે છે.
મોરપંખ:
મોરપંખ વિષે તો આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ કે, મોરપંખ અત્યંત શુભ અને ચમત્કારિક માનવામાં આવે છે મોરપંખ આપના ભાગ્યના માર્ગની તમામ અડચણોને પણ દુર કરે છે. પરંતુ જે વાતનું આપે ધ્યાન રાખવાનું છે તે આ છે કે, આપે આપના ઘરમાં મોરપંખનો ગુચ્છો રાખવાને બદલે ૧ થી ૩ મોરપંખ જ રાખવા જોઈએ.
સ્વસ્તિક:
સ્વસ્તિકનું ચિત્ર ઘરમાં રાખવાથી દરેક મનોકામના પૂરી થાય છે. પુરાણોમાં સ્વસ્તિકને દેવી લક્ષ્મી અને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવ્યું છે. સ્વસ્તિકથી પરિવાર, ધન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે.
કમળ કાકડીની માળા.:
ચંદન, તુલસી અને કમળકાકડી ત્રણેવમાં કમળકાકડીની માળાને ઘરમાં જરૂરથી રાખવી જોઈએ. કમળકાકડીની માળાથી ધન પ્રાપ્તિના માર્ગ પણ ખુલી જાય છે. કમળકાકડી દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે. તુલસીના બીજથી કે પછી કમળના બીજથી બનેલ માળથી જાપ કરવામાં આવે છે. કમળકાકડીની માળાને પૂજાઘરમાં રાખવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ