દક્ષિણ દિશાને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ દિશા તરફ પગ રાખીને સુવું,મુખ્ય દ્વાર બનાવડાવવો કે ઘરનું કોઈ કામ કરવું શુભ નથી હોતું. વાસ્તુ વિજ્ઞાન મુજબ આ દિશાનાં સ્વામી યમરાજ માનવામાં આવે છે. આજ કારણે છે કે આ સંકટનો દ્બાર પણ કહેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ દક્ષિણ દિશા સાથે જોડાયેલી અમુક એવી વાસ્તુ ટીપ્સ, જેને ધ્યાનમાં રાખીને તમે ઘરની સુખ-સમૃદ્ધિ જાળવીને રાખી શકો છો.
યમનું નિવાસ
કેમ કે દક્ષિણ દિશામાં યમનું નિવાસ હોય છે એટલે ઘર બનાવડાવતી વખતે આ જગ્યોનો થોડો ભાગ છોડી દેવો જોઈએ. સાથે આ દિશાથી ઘરની દિવાલ પણ ઉંચી હોવી જોઈએ.
થાય છે આ ફાયદા
-દક્ષિણમુખી ઘરનાં બધા કક્ષનાં દરવાજા પર આ જ દિશામાં હોવા જોઈએ. તેનાથી ઘરમાં સંપન્નતા આવે છે.
-દક્ષિણ દિશાનાં ઘરમાં પાણી પ્રવાહિત થવાની દિશા ઉત્તર હોવી જોઈએ. તેનાથી ઘરનાં મહિલાઓનું સ્વાસ્થય સારું રહે છે.
ખરાબ પરિણામ
-જો આ દિશામાં કુવો કે ફાઉન્ટન હોય તો ઘરમાં ધન હાનિ થતી રહે છે. એવામાં આ દિશામાં કુવો કે ફાઉન્ટન ન બનાવડાવો.
શું કરવું?
-ઘરમાં કોઈપણ વાસ્તુદોષને દૂર કરવા માટે દક્ષિણ દિશામાં લાલ રંગ કરાવી દો.
-વાસ્તુદોષ દૂર કરવા માટે આ દિશામાં સુંગધિત ફૂલોનું ફૂલદાન રાખો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !