આજકાલની જીવન શૈલી અને ખોરાકના કારણે નસમાં બ્લોકેજ થવું એટલેકે વેરિકોજ વેઇન્સ (Varicose Veins)ની સમસ્યા જોવા મળે છે.
આના માટે ખરાબ ખાણીપીણી અને વ્યસ્ત જીવન જવાબદાર છે. આમ તો આવું થવાનું એક કારણ લોહી જાડું થવું એ પણ છે.
શું છે આ વેરિકોજ વેઇન્સ?
વેરિકોજ વેઇન નસ પર દબાણ વધી જવાના કારણે થાય છે. આમાં ત્વચાની નીચે ઉભરેલી લીલી નસ દેખાય છે. વેરિકોજ વેઇનની સૌથી વધુ સમસ્યા હાથ-પગમાં વધુ જોવા મળે છે કારણકે આહિયા લોહીનો પ્રવાહ વધુ હોય છે. સુજેલી અને વળી ગયેલી નસોને સ્પાઇડર નસ કહેવામા આવે છે.
શોધ મુજબ જોઇયે તો 40-60% ભારતીય યુવાનો નસ બ્લોકેજની સમસ્યાથી પરેશાન છે, જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. આમાં 20% મહિલાઓને આ સમસ્યા ગર્ભાવસ્થા પછી થાય છે.
આમાં માત્ર બ્લડ ક્લોટસ જ નહીં, કોલેસ્ટ્રોલ વધવું,સ્ટ્રોક કે હાર્ટ એટેકનો ભય પણ ખૂબ વધી જાય છે. એટલે આને કારણે કોરોનરી ધમની રોગ,મન્યા ધમની રોગ,પરિધિય ધમની રોગ અને હાર્ટ સ્ટ્રોકનો ભય ખૂબ વધી જાય છે.
સૌથી પહેલા જાણો આવું થવાનું કારણ
લોહી જાડું થવું,વાઘવું,ખરાબ બ્લડ સરકુલેસન,ખરાબ ડાયટ,કલાકો સુધી બેસી રહેવું,શારીરિક એક્ટિવિટી ના કરવી,જાડીયાપણું(મોટાપા),પોષક તત્વોની ઉણપ,અને કોઈ રોગને કારણે પણ આ સમસ્યા દેખવા મળે છે.
કોને થાય છે આ સમસ્યા વધુ
જે લોકો વધુ પડતું જંક ફૂડ ખાય છે અથવા કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહે છે એવ લોકોમાં આ સમસ્યે વધુ જોવા મળે છે.
નસમાં બ્લોકેજના લક્ષણ
-નસ લીલી થવી.
-નસોનું દોરીની જેમ વળવું.
-પગમાં ભારેપાનું લાગવું.
-માંસપેસીઓ જકડાઈ જવી.
-પગના નીચેના ભાગમાં સોજો આવવો.
-નસની આસપાસ ખંજવાળ આવવી.
-પગની ઘૂંટીમાં અલ્સર થવું.
પોતાની લાઈફસ્ટાઇલ બદલો
ખરાબ લાઇફસ્ટાઇલ બીમારીઓનું સૌથી પહેલું કારણ છે. સવારે વહેલા ઊઠવું અને કસરત કરવી. દાયતમાં આયરન,વિટામિન,જેવા જરૂરી પોષક તત્વોને સામેલ કરો. સાથે જ પૂરતી ઊંઘ લેવી. અને તણાવ અને ટેન્શન નહીં લેવાનું.
કોઈને બ્લોક થયેલી નસ ખોલવા માટે દવાનો ઉપયોગ કરે છે પણ ઘરેલુ નુસખા અપનાવીને આ સમસ્યા દૂર કરી શકાય છે.
1.બંધ થઈ ગયેલી નસોને ખોલવા માટે 3 લસણની કળીને 1 કપ દૂધમાં ઉકાળીને પીવું.
2.1 ગ્લાસ દાડમના રસનું રોજ સેવન કરવાથી બ્લડ સરકુલેસન બરાબર થાય છે અને નસમાં બ્લોકેજ થતું નથી.
3.રોજનું ઓછામાં ઓછું 50-100 ગ્રામ બદામ,અખરોટ,અને પેકનનું સેવન તમારી રક્ત કોશિકાઓમાં કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી.
4.એક ગ્લાસ હૂંફાળા દૂધમાં 1 ચમચી હળદર અને થોડુક મધ મિક્સ કરીને પીવાથી બંધ નસો ખૂલી જાય છે.
5.રાત્રે અળસિના બીજને પાણીમાં પલાળી રાખો. સવારે એને પીસીને પાણીમાં ઉકાળીને એનો કાઢો બનાવીને પીવાથી થોડાક જ દિવસમાં બ્લોક થયેલી નસો ખૂલી જાય છે.
6.ગ્રીન ટી નું સેવન કરવાથી પણ બંધ થ્યેલી નસો ખૂલી જાય છે કારણકે આનાથી લોહી પાતળું થાય છે.
7.ફૂદીનો અને જેતૂનના તેલથી મસાજ કરો. આનાથી બંધ નસો ખૂલી જાય છે સોજા કે પીડામાં પણ રાહત મળે છે.
આ વસ્તુઓથી રહો દૂર
મીઠું,ખાંડ,આઇસક્રીમ ,તળેલી વાનગી,પ્રોસેસ્ડ કે રિફાઈન્ડ આહાર,જંક ફૂડ,નોનવેજ પ્રોટીન,અને દારૂ પીવાથી દૂર રહો. યાદ રાખો બીમારી બળે કોઈ પણ હોય તંદુરસ્ત જીવન શૈલી અપનાવીને આ બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ