શિયાળામાં આદુ ચાની મજા અલગ હોય છે. શિયાળાના દિવસોમાં આપણે વધુ એ પળની રાહ જોઈએ છે કે ફટાફટ એક કપ આદુની ચા મળે, જેથી ઠંડીની સમસ્યા દૂર થાય. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આદુની ચા ન ભાવતી હોય. આદુમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે.
પરંતુ કેટલાક લોકો શિયાળામાં વારંવાર આદુની ચા પીતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. તો ચાલો જાણી આદુ ચા પીવાથી થતી આડઅસર વિશે.
– જે લોકોનું બ્લડ પ્રેશર સામાન્ય કરતા ઓછું હોય છે તેમના માટે આદુ ચા ખૂબ નુકસાનકારક છે. આદુ ચાના વધુ પડતા સેવનને કારણે લોકોને ચક્કર આવે છે અને નબળાઇ અનુભવા લાગે છે. તેથી, જે લોકોનું બ્લડ પ્રેશર સામાન્ય કરતા ઓછું હોય છે, તેઓએ વારંવાર આદુની ચા ના પીવી જોઈએ.
– આદુ ચાના વધુ પડતા સેવનથી અસ્વસ્થતા થાય છે. આદુ ખોરાકને ઝડપથી પચાવે છે, જેથી આપણને વારંવાર ભૂખ લાગે છે અને વારંવાર કંઈક ને કંઈક ખાવાથી તે બેચેનીનું કારણ બને છે.
– આદુ ચાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે. આદુમાં જિંજરોલ તત્વો જોવા મળે છે, જે પેટમાં એસિડ બનાવે છે. આને કારણે પેટમાં બળતરા થવાની સમસ્યા થાય છે.
– આદુ ચા વધારે પ્રમાણમાં પીવી એ વાળ માટે ખૂબ નુકસાનકારક છે. જેથી વાળ ખરવા અને તૂટી શકે છે. આદુમાં મળતા તત્વોથી વાળને ઘણું નુકસાન થાય છે.
– વધુ આદુ ચા પીવાથી ઊંઘમાં તકલીફ થાય છે. જેના કારણે શરીરને થાક લાગે છે. તેથી સુવાના સમય પહેલાં આદુની ચા ન પીવી વધુ સારું છે.
– આદુ એક ઔષધિ છે. તે સુગર લેવલ ઘટાડે છે. પરંતુ જો તમારું સુગર લેવલ પેહલાથી જ નીચું હોય, તો આદુનું સેવન કરવાથી તમને વધારે સમસ્યાઓ થઈ શકે છે. આદુની ચા વારંવાર પીવાથી લોહીમાં શર્કરાના સ્તરમાં અચાનક ઘટાડો થઈ શકે છે, જે હાઈપો ગ્લાયસીમિયાની સ્થિતિ તરફ દોરી શકે છે.
– અડધા કપથી વધુ આદુ ચા પીવી એ સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક છે. આદુનું વધુ પડતું સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓમાં પણ પેટનો દુખાવો થઈ શકે છે. બની શકે તો સગર્ભા સ્ત્રીઓએ આદુની ચાનું સેવન ટાળવું જ જોઈએ, કારણ કે આદુની તાસીર ગરમ છે, તેથી સગર્ભા સ્ત્રી માટે આદુ ખાવું અથવા આદુની ચા પીવી એ એમના માટે અને ગર્ભમાં રહેલા બાળક બને માટે જોખમી સાબિત થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત