જલ્સા કરોને જેંતીલાલ

ઉત્તરાયણ પર આ 6 રાશિના લોકોને થશે મોટો લાભ, જાણો શું બની રહ્યો છે ખાસ સંયોગ

14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને આ દિવસે શ્રવણ નક્ષત્રમાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી ધ્વજ યોગ બની રહ્યો છે. આ ખાસ સંયોગ અનેક રાશિઓ માટે શુભ પરિણામ લાવ્યો છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર રાશિમાં સવારે 8 વાગીને 15 મિનિચ પર પ્રવેશ કરશે. ઉત્તરાયણે જે શ્રવણ નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્વ વધી રહ્યું છે. સૂર્યના મકર રાશિમાં આવવાથી મકર સંક્રાંતિના દિવસે 5 ગ્રહોનો શુભ સયોગ બનશે. જેમાં સૂર્ય, બુધ, ચંદ્રમા અને શનિ સામેલ છે. તો જાણો કઈ 6 રાશિને આ યોગનું શુભફળ મળશે.

મેષ

મકરસંક્રાંતિના ગિવસે આ યોગની શુભ અસર મેષ રાશિ વાળા પર પ્રભાવ કરશે. આ પ્રભાવથી આ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન આગમનના નવા રસ્તા ખૂલશે. મોટાના આર્શિવીદ પ્રાપ્ત થશે. કાર્યમાં આવી રહેલી બાધાઓ દૂર થશે.

કર્ક

મકર સંક્રાંતિ પર બની રહેલા શુભ યોગથી કર્ક રાશિના લોકોને મહાલાભ મળી શકે છે. આ રાશિના જાતકોને વ્યાપારમાં વધારો થઈ શકે છે. મહિલાઓના ધન પ્રાપ્તિના સંકેત મજબૂત બની રહ્યા છે. આ સાથે દામ્પત્ય જીવનમાં પણ આનંદના સંકેત છે. કોઈ સારા સમાચાર આ રાશિના લોકોને મળે તેવી શક્યતા છે. અચાનક ધન લાભના યોગ પણ બની શકે છે.

કન્યા

કન્યા રાશિના જાતકોના લોકો માટે આ યોગ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોના માન સન્માનમાં વધારો થઈ શકે છે. આ સમયે તમારા પ્રમોશનના પણ યોગ બની શકે છે. તેના કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે. પરિવારનો તમને સાથ મળશે. ઉધાર પરત કરવા માટે આ યોગ્ય સમય નથી.

તુલા

આ રાશિના જાતકોને ઉત્તરાયણના શુભ સંયોગોનો લાભ મળશે. આ ધનના કેસમાં ઉત્તરાયણના દિવસને લકી માનવામાં આવી રહ્યો છે. આ દિવસે તમને અટકેલું કે ખોવાયેલું ધન પરત મળી શકે છે. આ સમયે તમે તમારી વાણી પર સંયમ રાખો તે જરૂરી છે.

ધન

આ રાશિના લોકોને માટે આ શુભ યોગ છે અને સાથે અનેક શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. ઘરમાં સમૃદ્ધિ વધવાની સાથે સાથે પ્રસન્નતાનો માહોલ રહી શકે છે. ધન આગમનના નવા રસ્તા ખુલશે. દામ્પત્ય જીવનમાં આનંદ રહેશે. સંતાનની તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે.

મીન

આ રાશિના લોકો પર આ શુભ યોગનો પ્રભાવ બની રહ્યો છે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આવકના સાધન બની રહ્યા છે. રોજી અને રોજગારીમાં પણ વધારો થઈ શકે છે. આ સાથે તમે શાંત અને આનંદિત રહો તેવા સંયોગ પણ બની રહ્યા છે.

Exit mobile version