હાર્ટ પેશન્ટ જો પાણીનો આ ઉપાય કરે તો હૃદયરોગનું જોખમ મહદઅંશે ઘટાડી શકે છે !
હાર્ટ એટેક અને પાણીને છે સીધો સંબંધ, હાર્ટના પેશન્ટ માટે અગત્યની જાણકારી આપતો લેખ
હવે સામાન્ય માણસમાં એવો કોઈ ભ્રમ નથી રહ્યો કે હૃદયરોગનો હુમલો માત્ર મોટી ઉમરના લોકોને જ થાય. પણ જીવનશૈલી બદલાતા આ હૃદય રોગ હવે નાની ઉંમરે જ લોકોમાં દેખાવા લાગ્યો છે.
જે બાબતે જો અગાઉથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બચી શકાય છે.
દાયકાઓ પહેલા બાયપાસ સર્જરી શબ્દ આપણે ફિલ્મોમાં જ સાંભળતા હતા. અને ફિલ્મોમાં પણ આ પ્રકારની બીમારી માત્ર શ્રીમંતોમાં જ જોવા મળતી હતી.
પણ આજના સમયમાં મોટા ભાગના કુટુંબમાં એક એવી વ્યક્તિ તો મળી જ જશે જેના પર બાયપાસ સર્જરી કરવામાં આવી હોય અથવા તો તે હૃદય રોગનો દર્દી હોય.
હૃદય રોગથી પિડાતી વ્યક્તિએ તેનું નીદાન થયા બાદ ઘણી બધી રીતે સાવચેતી દાખવવી પડે છે. પણ જે લોકો હૃદય રોગ થાય તે પહેલાં જ ચેતવી જવા માગતા હોય તેના માટે અહીં કેટલાક અકસીર ઉપાય દર્શાવવામા આવ્યા છે. તો ચાલો જાણીએ આ તદ્દ્ન સરળ ઉપાયો વિષે.
હૃદય રોગમાં પાણી એક અકસીર ઉપાય છે
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શરીરમાંથી કચરો દૂર કરવા માટે આપણે ઓછાં ઓછું અમુક પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ પણ જો તે પાણીને યોગ્ય સમયે પીવામાં આવે તો આપણે ગંભીર રોગોને આપણાથી દૂર ભગાવી શકીએ છીએ.
– કોઈ એક ચોક્કસ સમયે પાણી પીવાથી પાણીની સૌથી વધારે હકારાત્મક અસર તમારા શરીર થાય છે.
– સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવાથી તમારા આંતરિક અંગો સ્ફુર્તિલા બને છે એટલે કે એક્ટીવેટ થાય છે.
– જમ્યા પહેલાં જો એક ગ્લાસ પાણી પીવામા આવે તો તે તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે.
– નાહવા જતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તે તમારા બ્લડ પ્રેશરને નીચુ લાવવામાં મદદ કરે છે.
– સુતા પહેલાં એક ગ્લાસ પાણીપીવાથી તમે હૃદય રોગના હૂમલાને ટાળી શકો છો. આ ઉપરાંત જો રાત્રી દરમિયાન તમારી ઉંઘ ઉડી જાય તો તે વખતે પણ એક ગ્લાસ પાણી પી લેવું. આમ કરવાથી રાત્રી દરમિયાન હૃદય રોગનો હૂમલો થવાનું જોખમ ઘટી જાય છે.
– ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રી દરમિયાન જ વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી ઉંઘમાં જ મૃત્યુ થઈ જાય છે. અને છેક સવારે ઘરના લોકોને તેની જાણ થાય છે.
– એક ડેટા પ્રમાણે જો તમને રાત્રે સુતી વખતે પગમાં દુખાવાની કે પછી પગની નસ ચડી જવાની ફરિયાદ હોય તો તેના માટે પણ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમને મદદ મળી રહે છે. અને તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે એકદમ સ્ફુર્તિલા ઉઠો છો.
એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટા ભાગના હાર્ટ એટેક સવારના છ વાગ્યાથી બપોર એટલે કે બપોરના બાર વાગ્યા સુધી જ આવતા હોય છે.
પણ રાત્રી દરમિયાન બહુ ઓછા હાર્ટ એટેક આવતા હોય છે તેની પાછળ મુખ્ય કારણ છે રાત્રે હૃદયને સૌથી વધારે આરામ મળે છે પણ જો તેવા સમયે હાર્ટ એટેક આવે તો તે ગંભીર બાબત કહેવાય.
હાર્ટ એટેકના નિષ્ણાત જણાવે છે કે જો તમે દિવસ દરમિયાન એક એસ્પિરિનની ગોળી લેતા હોવ તો તેને તમારે દિવસે નહીં પણ રાત્રે લેવી જોઈએ.
તેની પાછળનુ કારણ એ છે કે એસ્પિરિનની અસર તમારા શરીરમાં 24 કલાક રહે છે અને સૌથી વધારે અસર શરૂઆતના કલાકોમાં રહે છે અને ધીમે ધીમે તેની અસર ઘટતી જાય છે.
માટે જો તમે રાત્રે સુતી વખતે એસ્પિરિન લીધી હશે તો બીજા દીવસની બપોર સુધી તેની અસર સૌથી વધારે રહે છે. અને ઉપર જણાવ્યા પ્રમાણે જો સૌથી વધારે હાર્ટ એટેક સવારની બાજુએ થતાં હોય તો એસ્પિરિનનો સમય બદલીને તે જોખમને મહદઅંશે ટાળી શકાય છે.
હૃદય રોગના હૂમલા વખતે છાતીમાં જ દૂખાવો થાય છે તેવો ભ્રમ દૂર કરો
મોટા ભાગના લોકોના મનમાં એવી ધારણા હોય છે કે જો છાતીમાં દુખાવો થાય તો જ હાર્ટ એટેક આવ્યો તેવું ગણાય. પણ તેવું નથી. અને આજ ગેરસમજના કારણે ઘણાબધા જીવ યોગ્ય સમયે યોગ્ય સારવાર નહીં મળવાથી જતા રહે છે.
જ્યારે પણ હાર્ટ એટેક ચાલી રહ્યો હોય તે દરમિયાન છાતી ઉપરાંત તમારા ડાબા હાથમાં પણ દુઃખાવો ઉપડે છે. આ ઉપરાંત જો તમને તમારી હડપચીમા તીવ્ર દુઃખાવો થતો હોય તો પણ તે હૃદયરોગનો હૂમલો હોઈ શકે છે.
આ ઉપરાંત તમને જો અકારણ અત્યંત પરસેવો છુટતો હોય તો પણ હૃદયરોગનો હૂમલો હોઈ શકે છે. જો કે આ બધા જ લક્ષણો કાયમી ન હોવા જોઈએ પણ ક્યારેક ક્યારેક જ તમને આવી કોઈ તકલીફ થતી હોવી જોઈએ.
અને એવી પણ શક્યતા છે કે તમને હાર્ટ એટેક આવતો હોય તે દરમિયાન તમને છાતીમાં જરા પણ દુઃખાવો ન થતો હોય. માટે આ ભ્રમથી સદાય દૂર રહો.
મોટા ભાગના લોકો એટલે કે 60 ટકા લોકો કે જેમને રાત્રી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોય તેઓ ઉંઘમાંથી ઉઠતા નથી. તેમ છતાં જો તમારો છાતીનો દુઃખાવો તમને ઉંઘમાંથી ઉઠાડી દે તો તે જ વખતે તમારે બે એસ્પિરિન મોઢામાં મુકીને થોડા પાણી સાથે ગળી જવી.
અને તરત જ તમારા ઘરના લોકોને તમારી તબિયત વિષે જાણ કરવી જેઈએ જેથી કરીને તમને તરત જ સારવાર મળી શકે.
જો કે તમારે તેમને તમે એસ્પિરિન લીધી છે તેની પણ જાણ કરવી જોઈએ. અને આ દરમિયાન તમારે સુઈ ન રહેવું પણ એક આરામ ખુરશીમાં બેસી જવું અને મદદની રાહ જોવી.
હાર્ટ એટેક આવ્યા બાદ શું સાવચેતી રાખવી
હાર્ટ એટેક આવ્યા બાદ જો તમારી તબિયત ફરી પાછી નોર્મલ થઈ ગઈ હોય તો તમારે બેસી ન રહેવું.
સામાન્ય રીતે જ્યારે ક્યારેય પણ કોઈ વ્યક્તિ પર હાર્ટ એટેક બાદ બાયપાસ સર્જરી થતી હોય છે ત્યાર બાદ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સલાહ આપતા હોય છે કે પેશન્ટે ક્યારેય બેસી ન રહેવું અને હંમેશા પ્રવૃત્તિ શીલ જ રહેવું.
તેમની રીટાયર્ડ પેશન્ટને એવી ખાસ સુચના હોય છે કે તેમણે સર્જરીબાદ જરૂરી આરામ લીધા બાદ તરત જ કોઈ પ્રવૃત્તિ શોધી લેવી જોઈએ અને જીવનના અંત સુધી પ્રવૃત્તિશીલ જ રહેવું જોઈએ.
હાર્ટ એટેક બાદ વ્યાયામ
સૌપ્રથમ તો તમારે તમારા ડોક્ટર પાસે વ્યાયામ કરવો કે નહીં તેની સલાહ લઈ લેવી જોઈ. ત્યાર બાદ તમે કેટલીક કાર્ડીઓ એક્સરસાઇઝ કરી શકો છો જે તમારા હૃદયને મજબુત બનાવે છે.
હાર્ટ માટે જો કોઈ ઉત્તમ એક્સરસાઈઝ હોય તો તે છે ચાલવું. હાર્ટ સ્પેશિયલિસ્ટ હંમેશા પોતાના પેશન્ટને બને તેટલું વધારે ચાલવાનું સૂચન કરે છે.
આ ઉપરાંત ધીમી ગતીએ દોડવું, સાઈકલ ચલાવવી, સ્વીમીંગ કરવું. આ બધી જ પ્રવૃત્તિ તમારા હૃદયને શરીરમાં લોહી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરશે અને તેમ કરીને સ્વસ્થ રાખે છે.
ઉપર જણાવેલો વ્યાયામ કરવાથી તમે તમારા કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડી શકો છો અને બ્લડ પ્રેશરને પણ ઘટાડી શકો છો. તે તમને માનસિક તાણથી પણ દૂર રાખશે.
જો તમારું વજન પ્રમાણ કરતા વધારે હોય અને તમને હાર્ટનો પ્રોબ્લેમ પણ હોય તો આ બધી જ એક્સરસાઈઝ તમારું વજન ઘટાડશે અને સાથે સાથે તમારા પર તોળાતુ હાર્ટએટેકનુ જોખમ પણ ઘટાડશે.
તમે તમારા વજનનું માત્ર દસ ટકા વજન પણ ઘટાડશો તો તમારા હાર્ટએટેકના જોખમમાં ઘણો ઘટાડો થશે.
લાલમરચુ પાઉડરનો પ્રયોગ
દર્દીને અચાનક હાર્ટ એટેક આવે અને તેની સારવાર થવામાં વાર લાગે તેમ હોય તો તેવા સમયે તમારે લાલમરચુ પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.
તેના માટે તમારે માત્ર એક ગ્લાસ પાણીમાં લાલ મરચુ પાઉડરની એક-બે ચપટી નાખવાની છેઅને તે પાણીને ઉકાળ્યા બાદ સામાન્ય તાપમાને દર્દીને પીવડાવવું તેમ કરવાથી દર્દીને રાહત થશે.
તમારા ડાયેટપ્લાનમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
ભારતીય સંતુલીત ભોજન સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન છે.
આપણા રોજીંદા જીવનમાં આપણે જે કંઈ પણ નિયમિત પણે ખાઈએ છીએ તેને જો યોગ્ય રીતે અને યોગ્ય સમયે આરોગવામાં આવે તો હૃદયરોગના જોખમમાં સદંતર ઘટાડો લાવી શકાય છે. તો ચાલો જાણીએ આ ખોરાક વિષે.
ટામેટા
આપણે સામાન્ય રીતે રેગ્યુલર દાળ-શાકમાં ટામેટાનો ઉપોયગ કરતા જ હોઈએ છીએ આ ઉપરાંત ટામેટાને આપણે ચટની સ્વરૂપે તેમજ સલાડની રીતે પણ આરોગતા હોઈ છીએ.
ટામેટામાં વિટામીનસી, લાઈકોપીન, અન્ય વિટામીન્સ, બીટાકેરોટીન તેમજ પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે જેનું નિયમિન યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી હૃદયરોગનું જોખમ ઘટી જાય છે.
કેપ્સિકમ
કેપ્સિકમમાં ફોલેટ તેમજ બીજા ઘણાબધાપોષકતત્ત્વો સમાયેલા હોય છે જે હૃદયને સ્વસ્થ બનાવે છે.
ગાજર
ગાજર કેરોટેનોઈડ્સથી ભરપુર હોય છે તે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે હૃદયરોગ માટે જવાબદાર મુક્ત કણો સામે રક્ષણ આપે છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં સી વીટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમને ગંભીર તેમજ ઓછા ગંભીર હૃદયરોગથી ઓછું સંવેદનશીલ બનાવે છે.
લીલોતરી શાકભાજી
લીલોતરી શાકભાજી જેમ કે પાલકની ભાજી, તાંદળિયાની ભાજી વિગેરેમાં મેગ્નેશિયેમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. હાવર્ડના એક અભ્યાસ પ્રમાણે મેગ્નેશિયમ સ્ત્રીઓમાં જે અચાનકનું હાર્ટ ફેલિયર થાય છે તેના જોખમને ઘટાડે છે.
લસણ
લસણમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને હૃદયને લગતા રોગોથી રક્ષણ આપે છે.
હળદર
હળદરમાં કરક્યુમીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હૃદયને પહોળુ થતાં અટકાવે છે. તેનાથી શરીરમાંનું કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ ઘટે છે. હળદરથી લોહીનું પરિભ્રમણ પણ નિયમિત બને છે.
ડુંગળી
ડુંગળીમાં ફાઈટોકેમિકલથી ભરપુર સલ્ફર હોય છે. અને આ ફાઇટોકેમિકલ્સ તમારા કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડે છે અને તેના કારણે તમારું હૃદયરોગનુ જોખમ પણ ઘટે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ