જલ્સા કરોને જેંતીલાલ

દવા અને માર્યા વગર આ રીતે ભગાડી દો ઘરમાંથી તેમજ કારમાંથી ઉંદરને, નહિં લાગે પછી કોઇ જાતનો ત્રાસ

ઉંદર જ્યારે ઘરમાં ઘુસી જાય તો આપણને કેવા હેરાન કરી મુકે છે. ઉંદર ઘરની વસ્તુઓ જેવી કે આપણા કપડાં, બુક્સ, ફર્નિચર, ખાવાપીવાની વસ્તુઓ વગેરેને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. તેમજ ઉંદરને ઘરમાં આમથી તેમ દોડતા જોઈને ખૂબ નવાઈ લાગે છે. એવું લાગે કે જાણે આપણે ઉંદરના ઘરમાં હોઈએ. ઉપરાંત ઘરમાં જ્યાં ત્યાં ઉંદરના મળમૂત્ર જોઈને ખૂબ અણગમો થાય છે.

image source

ઉંદર ફક્ત સમાનને જ નુકસાન નથી કરતા પરંતુ ઉંદરના કારણે ઘરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવાની શક્યતા પણ વધી જાય છે. રાતના સમયે જ્યારે આપણે શાંતિથી સુઈ ગયા હોઈએ ત્યારે આ ઉંદર ચુપકેથી આવે છે અને આપના પગને ખોતરી પણ શકે છે. નાના બાળકો અને નવજાત શિશુઓને ઉંદરથી બચાવવા ખૂબ જરૂરી હોય છે.

ઘર સિવાય પણ આ ઉંદરો કારમાં પણ જોવા મળી શકે છે. જો ઉંદર કારમાં ઘુસી ગયુ તો તે કારની સીટ, વાયરિંગ વગેરે જગ્યાઓને કોતરી નાખે છે અને જ્યારે બોનેટ ખોલશો ત્યારે તેમાં ઉંદરે ફેલાવેલી ગંદકી અને ખૂબ કોતરેલો કચરો જોવા મળે છે. ક્યારેક તો ઘરમાં ઉંદર દ્વારવા કાપી નાખેલા વીજળીના વાયરોના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ઘરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ બની શકે છે.

ઉંદર ત્યાં રહેવાનું વધારે પસંદ કરે છે જ્યાં તેને સરળતાથી ખાવાની વસ્તુઓ મળી જાય અને સંતાવા માટે યોગ્ય અને સુરક્ષિત જગ્યા મળી જાય છે. ઉંદર ક્યાંય પણ પોતાનું સ્થાન જમાવી લે છે અને ત્યાં રહીને ખાઈ પીને પોતાના પરિવારને વધારતા રહે છે. તેમજ ઉંદર ઘરમાં કેવી રીતે ઘુસ્યા તે જાણવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

image source

ઉંદરના કારણે ફેલાયેલી ગંદકીના કારણે ખૂબ ખરાબ ગંધ ઘરમાંથી આવે છે. ઉપરાંત જો ઉંદર જ ઘરમાં મરી જાય તો તેની વાસ ખૂબ જ ભયંકર દુર્ગંધના કારણે ઘરમાં રહેવુ પણ મુશ્કેલ થઈ જાય છે. આથી જલ્દીથી જલ્દી ઉંદરથી છુટકારો મેળવવા ઉપાયો કરવા જોઈએ.

ઉંદરથી બચવાના અને ઉંદરને ભગાવવાના ઉપાયો:

ઉંદર એક સામાન્ય સમસ્યા છે. બજારમાં ઉંદર માટે ઘણી દવાઓ અને કેટલાક પ્રકારના પિંજરાઓ પણ ઉપલબ્ધ હોય છે. ઉંદર મારવાની દવાથી કેટલાક વ્યક્તિઓને ક્રૂરતા લાગી શકે છે. ઉંદર ગંભીર બીમારીઓ પણ ફેલાવી શકે છે. એટલે એ નક્કી કરવું આપનું કામ છે કે આપના માટે ઉંદર વધારે મહત્વ રાખે છે કે પરિવાર.

તે આપની ઉપર નિર્ભર છે કે આપ ઉંદરને મારી નાખવા ઈચ્છો છો કે ઉંદરને પિંજરામાં પકડીને ફેંકી દેવા ઈચ્છો છો. યોગ્ય પધ્ધતિથી ઉપાય કરવામાં આવે તો બન્ને રીતથી ઉંદરને ભગવવામાં સફળતા મળી શકે છે.

image source

સૌપ્રથમ એ જોવું અને જાણવું જરૂરી બની જાય છે કે ઉંદર કઈ જગ્યાએથી ઘરમાં પ્રવેશ કરે છે. આ જગ્યા એક ઇંચ જેટલી પણ નાની જગ્યા હોઈ શકે છે. ઉંદર એટલી જગ્યા માંથી પણ સરળતાથી અંદર આવી શકે છે. આવી બધી જગ્યાઓ બંધ કરી દેવી જોઈએ.

ઉંદર ઘરમાં ના આવે તેના ઉપાયો.:

-ઉંદરને દવા વગર મારવાના ઉપાયો.:

ઉંદર પકડવા માટે પિંજરાને કેવી રીતે ઉપયોગમાં લેવું.:

કારમાં ઉંદરને આવતા કેવી રીતે બંધ કરવા.:

ઉંદરના કારણે થતી બીમારીઓ.:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version