જો તમે તમારા બેક ખાતાથી 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો તમારી જમા રકમ ફસાઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના અનુસાર જો કોઈ ગ્રાહક પોતાના ખાતામાં 10 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન નથી કરતા તો પણ તે તેના ખાતામાં રકમ જમા કરાવી શકે છે.
નાણાંકીય વર્ષ 2019ના અંત સુધી બેંકમાં કુલ બચત ખાતા, ચાલુ ખાતા, એફડી, આરડીમાં જમા કરાવી શકાય છે. આ સાથે વધારે રૂપિયા આરબીઆઈના ડિપોર્ટર એજ્યુકેશન ફંડ અવેરનેસમાં દર મહિને ટ્રાન્સફર કરી શકાય છે.
નાણાંકીય વર્ષ 2019-20માં ડીઈએ નિધિ લગભગ 933114 કરોડ હતી. કેન્દ્રીય બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર છેલ્લા વર્ષએ આ 4725747 કરોડ હતું. જાણો તમારા કે તમારા સંબંધીઓના રુપિયા કોઈ બેંકમાં ક્લેમ્ડ પડે છએ તો તોઈ પણ રીતે તેની પર દાવાના ફરીથી પ્રાપ્ત કરી ષતાય છે.
બેંકની વેબસાઈટથી જાણકારી લો
આરબીઆઈના નિયમ અનુસાર દરેક બેંક પોતાની વેબસાઈટ પર અનક્લેમ્ડ રકમની વિગત આપવાની રહે છે. તમારું જે બેંકમાં ખાતું છે તેમની વેબસાઈટ પર જઈને તમે માહિતી મેળવી શકો છો. તમે નિષ્ક્રિય ખાતાની જાણકારી મેળવવા માટે તમારે નામ, જન્મતારીખ, પાન નંબર, પાસપોર્ટ નંબર અને પિનકોડ નંબરની સાથે ટેલિફોન નંબરની મદદ લેવાની રહે છે. આ સાથે ખાતાની જાણકારી મળી રહે છે.
ક્લેમ ફોર્મ ભરીને જમા કરવાનું રહેશે
જ્યારે તમને ખ્યાલ આવે છે કે આ બેંક ખાતામાં મારા રૂપિયા પડ્યા છે તો તમે તે બેંકની શાખામાં જઈને ક્લેમ ફોર્મ ભરીને જમાની રસીદ અને સાથે પોતાના કેવાઈસી દસ્તાવેજ આપો. જો તમે ડિજિટલ રીતે દાવો કરો છો તો થોડી મુશ્કેલી આવી શકે છે. તમારે જે બ્રાન્ચમાં ખાતું હોય ત્યાં જવાનું રહે છે. એવામાં તમારે નોમિનીને પણ સાથે રાખવાના રહે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની પણ જરૂર પડી શકે છે.
આ વાતનું રાખી લો ધ્યાન
જો તમે તમારા રૂપિયા માટે દાવો કરો છો તો વેરિફિકેશનને માટે ઓરિજિનલ ડોક્યૂમેન્ટ્સ સાથે રાખવાના રહે છે. આ માટે બેંક ખાતું બંધ હોય તો પણ જમા રકમ પર વ્યાજની રકમ ખાતામાં જમા થશે. જ્યારે બેંક તમને અનક્લેમ્ડ રકમ પરત કરશે અને પછી ફરીથી ખાતું ચાલુ થઈ જશે.