ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે કરી લો તુલસીજીના ખાસ ઉપાય, વધશે બરકત

હિંદુ ધર્મમાં તુલસીજીનું ખાસ મહત્વ હોય છે. ભગવાન વિષ્ણનો તુલસીજીમાં વાસ હોય છે. જો તુલસીજીની યોગ્ય રીતે પૂજા કરાય તો ભગવાન તમારા ઘરમાં પ્રસન્ન થઈને આવે છે અને સાથે જ તુલસીના મૂળમાં પાણી ચઢાવવાની પરંપરા છે. કહેવાય છે કે તુલસીના મૂળમાં બ્રહ્માનો વાસ છે. જો તમે આ સરળ ઉપાયો રોજ કરો છો તો તુલસીજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. અચાનક તમારા ધરની સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે. તો જાણો કયા ઉપાયો કરવાથી તમારા ઘરની સમૃદ્ધિ સતત વધશે.

image source

જો તમારા પર્સમાં રૂપિયા ટકતા નથી અને તમારું ખિસ્સું સતત ખાલી રહે છે તો વિષ્ણુજીના ચરણોમમાં રાખેલા તુલસીના દળ તમારા વોલેટમાં રાખો. તેનાથી તમારા ખિસ્સામાં રૂપિયા કાયમ રહેશે.

કહેવાય છે કે તુલસીના પાન રૂપિયાને આકર્ષિત કરે છે. તેને માતા લક્ષ્મીની સાથે સીધો સંપક્ક છે. પૂજા બાદ આ તુલસીના પાનને તિજોરીમાં રાખો. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.

image source

કોઈ વ્યક્તિને વેપારમાં નુકસાન થાય તો ગણેશજીના ચરણોમાં રાખેલા તુલસીને સફેદ કે લાલ કપડાંમાં બાંધીને દુકાન અને ફેક્ટ્રીના મેન ગેટ પર બાંધો. તેનાથી બિઝનેસમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.

ઘરમાં બરકત નથી આવતી તો તાંબાના કળશમાં જળ ભરીને તેમાં તુલસીના 5 પાન નાંખો. હનુમાનજી કે વિષ્ણુજીનો કોઈ મંત્ર 108 વાર વાંચો. જળને 3 દિવસ સુધી ઘરમાં છાંટો. તેનાથી નજરદોષ દૂર થાય છે.

image source

જે લોકોનું નસીબ તેમને સાથ આપતું નથી તેઓએ રોજ સવારે નહાયા બાદ તુલસીના છોડમાં જળ ચઢાવવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

જો કોઈ કામ લાંબા સમયથી અટકી રહ્યું છે અને અનેક પ્રયાસો બાદ પણ સફળતા મળતી નથી તો તમે ઘરની બહાર જાવ તો તમારા ખિસ્સામાં તુલસીના પાન રાખો. તેનાથી તમને કામમાં સફળતા મળશે.

image source

જો તમે પ્રેમ સંબધ કે વૈવાહિક જીવનમાં સમસ્યા અનુભવો છો તો તમે તુલસીના વૃક્ષ પર શૃંગારનો સામાન ચઢાવો. સાથે રોજ સાંજે ઘીનો દીવો કરો. તેનાથી તમને તરત જ લાભ મળશે.

જે લોકોને માન સન્માન જોઈએ છે તેઓએ તુલસીના મૂળને પીળા કપડાંમાં બાંધીને ડાબી ભૂજા પર બાંધવું. આ પ્રયોગ પુષ્ય નક્ષત્રના દિવસે કરવો. તેનાથી તમને રાહત મળશે.

image source

જો તમારું બાળક જિદ્દી છે અને તમારી વાત માનતું નથી તો તમે બાળકોને રોજ તુલસીના પાન ખવડાવો. આ સમયે યાદ રાખો તે આ કામ રવિવારે ન કરો.

તો આજથી જ અજમાવી લો તમારી સમૃદ્ધિમાં વધારો કરનારા ખાસ ઉપાયો.જલ્દી જ તમારા જીવનમાં ખુશીઓ અને સુવિધાઓ આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ