દેવઉઠી અથવા દેવોત્થાન એકાદશીના દિવસે તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન થાય છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ (Tulsi Vivah)નું વિશેષ મહત્વ હોય છે.આજે 59 વર્ષ બાદ ખાસ ગુરુ અને શનિનો ધન રાશિમાં સંયોગ થયો છે અને તુલસી વિવાહનો સંયોગ યોજાયો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે.
જાણી લો તુલસી વિવાહની પૂજા વિધિ
આ દિવસે વિધિ વિધાન સાથે તુલસી વિવાહ કરાય છે. તુલસીનો છોડ આંગણાની વચ્ચે એક પાટલા પર મૂકવામાં આવે છે. તુલસીજીને મહેંદી, મૌલી, ચંદન, સિંદુર, મધની વસ્તુઓ, ભાત, મીઠાઈ ધરાવાય છે.
આ દિવસે મંદિરો અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરાય છે.
મંડપમાં શાલિગ્રામ અને તુલસીનો છોડ મૂકીને તેનો વિવાહ કરાય છે.
મંદિર અને ઘરમાં શેરડીનો મંડપ બનાવાય છે અને સાથે લક્ષ્મી નારાયણનું પૂજન કરાય છે. તેમને બોર, ચણાની ભાજી અને આમળા સહિતના મોસમી ફળ અને શાકભાજીનો ભોગ ચઢાવાય છે.
મંડપની પરિક્રમા કરતી સમયે કુવારાના લગ્ન કરાવવા અને પરણેલાની વિદાય કરાવવાની પ્રાર્થના કરાય છે.
આ ખાસ દિવસે શાલિગ્રામ, તુલસી અને શંખની પૂજાથી પણ ખાસ લાભ મળે છે.
તુલસીની પરિક્રમા આ દિવસે શુભ મનાય છે.
આજે રંગોળી કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
તુલસી વિવાહનું મહત્વ
તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે. જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે તેઓ હરિવલ્લભા તુલસીની પ્રાર્થના જ સાંભળે છે. એવું મનાય છે કે, જે ઘરમાં તુલસીની પૂજા થાય છે, તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
આ કથા છે સંકળાયેલી
જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર તુલસી શંખચૂડ નામના અસુરની પત્ની હતી. તુલસીના સતીત્વને કારણે દેવો અસુરને મારી શક્ય નહિ ત્યારે આ પરંપરા શરૂ થઈ હતી. ભગવાન વિષ્ણુ શંખચૂડનું સ્વરૂપ બનીંને તુલસીનું સતીત્વ ખંડિત કરે છે આ પછી ભગવાન શિવ શંખચૂડને મારી નાંખે છે. જ્યારે તુલસીને આ ખબર પડી, ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બનવા માટે શાપ આપ્યો. ભગવાન તુલસીના શ્રાપને સ્વીકારી અને કહ્યું કે તમે પૃથ્વી પર છોડ અને નદીઓ તરીકે રહેશો. ભગવાન વિષ્ણુને આ નદીના શાલિગ્રામ ભગવાન માનવામાં આવે છે.
ધર્મમાં માનતા લોકો દર વર્ષે તુલસી – શાલિગ્રામના લગ્ન દેવઉઠી એકાદશી કરાવે છે અને ધર્મલાભ લે છે. એવું માનવામાં આવે છે કે તુલસી લગ્નના ઠરાવ અને પરિપૂર્ણતાને પરિપૂર્ણ કરીને વ્યક્તિ ખુશ અને સમૃદ્ધ બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ