આ 3 બાળકોની કોરોના વિશેની અદ્ભૂત સ્ટોરી સાંભળીને તમે ધ્રુજી ઉઠશો, જાણો એવું તો શું છે આ કેસમાં

હાલમાં કોરોના વાયરલને લઈ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કારણ કે ધડાધડ કેસો ઘટે છે અને ફરીથી વધે છે. કોરોનાને સમજવો સરળ જ નથી રહ્યો. નથી વેક્સીન મળી રહી કે નથી કોઈ નક્કર સોલ્યુશન. એવામાં હવે અમદાવાદ પણ કોરોનાએ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સાથે જ એક સમાચાર સામે આવ્યા છે જે ખરેખર તમારા રૂવાડા ઉભા કરી દેશે. આ વાત ઓસ્ટ્રેલિયાની છે. કે જ્યાં એક એવો કેસ જોવા મળ્યો છે તે થોડો અલગ છે.

image source

વાત કંઈક એવી છે કે, મેલબર્નમાં કોવિડ-19 પીડિત માતા પિતાના ત્રણ બાળકોની અંદર કોરોના વાયરસથી સંક્રમિત થયા વગર જ એન્ટીબોડી વિક્સિત થઈ ગઈ. એક લેખ મુજબ વાત કરીએ તો બાળક વિષાણુની ઝપેટમાં આવ્યા વગર જ આ જીવલેણ સાર્સ સીઓવી-2ની પ્રતિકારક ક્ષમતા વિકસીત કરી શકે છે. જેનાથી એ સંભાવના વધી જાય છે કે બાળકોની અંદર રહેલી રોગ પ્રતિકારક ક્ષમતા તેમને કોરોના સંક્રમણથી બચાવી શકે છે. રિપોર્ટમાં ક્લિનિકલ ફીચર્સ, વાયરોલોજી, લોંગીટ્યૂડીનલ સેલ્યુલર અને સાયટોકિન ઈમ્યુન પ્રોફાઈલ, સાર્સ Cov-2 સ્પેસિફિક સીરોલોજી અને કોવિડ-19થી સંક્રમિત માતા પિતાની એન્ટી બોડી રિસ્પોન્સ અંગે વિસ્તૃત જાણકારી આપી છે. જેમના ત્રણ બાળકોના કોરોના રિપોર્ટ સતત નેગેટિવ આવ્યા.

આ સાથે જ વાત કરીએ તો કેસ સ્ટડી દરમિયાન, દર વખતે માતા પિતા અને તમામ બાળકોના સેલ્યુલર ઈમ્યુન પ્રોફાઈલ્સ અને સાઈટોકિન રિસ્પોન્સ એક જેવા જ હતા.’ આ રિસર્ચ શિડાન તૌસીફ, મેલેની નીલેન્ડ, ડેવિડ પી બર્ગનર અને નાઈઝલ વી ક્રોફોર્ડના નેતૃત્વ હેઠળ થયો હતો. વયસ્કોની સરખામણીમાં, બાળકોમાં ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ કોરોના વયારસ મુખ્ય રીતે હળવા કે ઓછા લક્ષણોવાળો હોય છે. પરંતુ તેમનામાં રહેલી પ્રતિકારક ક્ષમતાનો જે ફરક હોય છે તે યોગ્ય રીતે સ્પષ્ટ થઈ શકતો નથી.

image source

આ લક્ષણોના 8 દિવસ બાદ પરિવારને કોવિડ-19થી સંક્રમિત હોવાની જાણ થઈ, તેઓ જે લગ્નમાં ગયા હતા ત્યાથી કોરોના સંક્રમિત થઈને પાછા ફર્યા હતા. તે દિવસે માતા પિતા સાથે 3 બાળકોને પણNasopharryngeal swabs માટે લઈ ગયા. પરંતુ તપાસ દરમયાન ત્રણેય બાળકો કોવિડ નેગેટિવ આવ્યા. બીજી એક મોટી તકલીફ એ પણ હતી કે, ઘરમાં સામાજીક અંતર રાખવું પણ શક્ય નહોતું. સૌથી નાનો એટલે કે ત્રીજો બાળક તો માતા પિતા સાથે જ સૂતો હતો. બાકીના બે બાળકો પણ આખો દિવસ માતા પિતા સાથે જ રહેતા હતા.

હવે જે વાત કરવાની છે એ ખરેખર ચોંકાવી દે એવી છે. કારણ કે આખો પરિવાર કોઈ પણ મેડિકલ મદદ એટલે કે દવા વગર કોરોના સંક્રમણથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. કોરોના પીડિત માતા પિતાની આટલી નજીક હોવા છતાં પીસીઆર ટેસ્ટમાં ત્રણેય બાળકો સતત કોવિડ 19 નેગેટિવ રહ્યા. સંક્રમણના લક્ષણ સુદ્ધા તેમની અંદર પેદા થયા નહીં અથવા તો એકદમ મામૂલી રહ્યા.

2020માં આવ્યો હતો એક આવો પણ કેસ

image source

રિસર્ચર્સે એક એવા પરિવારનો અભ્યાસ કર્યો જે માર્ચ 2020માં એક અન્ય રાજ્યમાં આયોજિત લગ્ન સમારોહમાં ભાગ લઈને પાછો ફર્યો હતો. અહીં 47 વર્ષના પિતા અને 38 વર્ષના માતા પોતાના બાળકો વગર જ લગ્નમાં ગયા હતા. તેઓ ત્રણ દિવસ બાદ પાછા ફર્યા અને આવતા જ તેમને ઊધરસ, શરદી અને તાવે ઝપેટમાં લઈ લીધા. ત્યારબાદ લગભગ બે અઠવાડિયા સુધી શરીરમાં આળસ, અને માથાના દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. આ દરમિયાન સાતમા દિવસે તેમના સૌથી મોટા 9 વર્ષના બાળકમાં પણ થોડી ઊધરસ, ગળું ખરાબ, અને પેટદર્દના લક્ષણો જોવા મળ્યા. પછી 7 વર્ષના બીજા બાળકને પણ ઊધરસ અને શરદીએ પોતાની ઝપેટમાં લીધા. જો કે તેમનો 5 વર્ષનો સૌથી નાનો બાળક Asymptomatic એટલે કે કોરોનાના કોઈ લક્ષણ નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ