શરદી સાથે થતા ગળામાં થતા દુખાવાને દૂર કરી દો આ રીતે

ગળાના દુખાવાને મટાડવાનો ઘરેલું ઉપચાર: ઝટપટ રાહત માટે દ્વારા આ ચમત્કારીક સારવાર કરો…

ચોમાસું આખરે પૂરું થઈ ગયું અને શિયાળાની શરૂઆત થઈ છે અને અમે નથી ઇચ્છતા કે તમે આ વખતે બીમાર પડો. અમે આજે તમારા માટે ખાસ, ગળાના દુખાવા કે થ્રોટ ઇન્ફેક્શન માટેનો એક સરળ છતાં અસરકારક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ.

એ શું છે, તે જાણવા અહીં આખો લેખ જરૂર વાંચો.

શરદી સાથે ગળામાં થાય છે, અસહ્ય દુખાવો…

image source

ચોમાસાની શરૂઆત સાથે ગળામાં ગળું દુખવું, બળતરા થવી, શરદી, ખાંસી અને તાવની ઘટનાઓ થતી રહે છે. જેમાં શિયાળો આવતા આ સમસ્યાઓ વધવા લાગે છે.

જ્યારે તમે કંઈ ગળવાનો પ્રયાસ કરો છો ત્યારે ગળાના દુખાવો વધે છે તે પીડા તબીયતને વધુ ખરાબ કરે છે. તે ફેરીંગિરીટ્સ તરીકે પણ ઓળખાય છે, ગળામાં દુખાવો એ એક પ્રકારે શરદી અથવા ફલૂ જેવા વાયરલ ચેપને કારણે થાય છે.

image source

ગળામાં દુખાવો જે વાયરસને કારણે થાય છે તે તેના પોતાના પર જ અસર કરે છે. આ સિઝનમાં તમને ગળાના દુખાવાથી બચાવવા માટે, અમે આપની માટે એક ખાસ પ્રકારની ચા લઈને આવ્યા છીએ.

આ ચા પ્રકૃતિમાં શાંત છે અને ગળાની તકલીફ અને શરદીને અટકાવવા અને સારવાર કરવામાં મદદ કરી શકે છે. તમારે તેને તૈયાર કરવા માટે જે જરૂરી સામગ્રી છે તે સરળતાથી મળી શકે તેમ છે જેને તમે તમારા રસોડામાંથી પહેલેથી જ મેળવી શકો એમ છો.

આ ખાસ પ્રકારની ચા છે, શરદી, ઉધરસ અને ગળાના દુખાવા માટે એકદમ અકસીર…

image source

આ ચામાં વપરાતી દરેક સામગ્રી તમારી શરદી, ઉધરસ અને ગળાના દુખાવાને મટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં લવિંગ, એલચી, લીંબુ અને તજ શામેલ છે.

તેને બનાવવા માટે આ બધી જ વસ્તુઓને પાણીમાં નાખીને ગરમ કરીને ઉકાળો. તમે તેને મીઠું બનાવવા માટે થોડું મધ પણ ઉમેરી શકો છો. ગળાના દુખાવામાં, ખાંસી અને શરદીથી રાહત મેળવવા માટે આ ચાને ગરમ ગરમ નાના ઘુંટડા પીવા જોઈએ.

image source

બીજા કેટલાક સરળ ઉપાયો જોઈએ…

ગળામાં દુખાવો અને ખાંસી માટેના અન્ય ઘરેલું ઉપાય અહીં જણાવીએ છે જે ચોક્કસપણે આપને ઉપયોગી થશે.

જેમાં મીઠાના પાણીના કોગળા, મધનો ઉપયોગ, લીંબુંનું પાણી, જેઠીમધની લાકડી કે મુલેઠી અને નારિયેળનું તેલ જેવી ઘરમાં સરળતાથી મળતી વસ્તુઓ વાપરવામાં આવે છે.

image source

આવો જોઈએ, તેનો કેવો અને કઈ રીતે ઉપયોગ કરી શકાય છે…

મીઠાના પાણીના કોગલા કરવા જોઈએ…

ગળાના દુખાવાને મટાડવા માટે ગરમ પાણીમાં નમક ઉમેરીને કોગળા કરવા એ સૌથી સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે. થોડું સાદું ઠંડું કે નવશેકું ગરમ પાણી લો અને તેમાં અડધો ચમચી મીઠું નાખો.

image source

ઝડપી અને લાંબા સમય સુધી રાહત મેળવવા માટે દિવસમાં ૬થી ૭ વખત આ પ્રમાણે કોગળા કરો. ગળાની પેશીઓનું ઇન્ફેક્શન પાણી ખેંચીને બહાર કાઢી લેશે અને મીઠું સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ગળામાં હાનિકારક, અનિચ્છનીય સુક્ષ્મજીવાણુઓને મારવામાં મદદ કરે છે.

જો તમને ઇન્ફેક્શન ન હોય તો પણ આ રીતે દિવસમાં એકાદવાર કોગળા કરવા ખૂબ જ ફાયદાકારક છે.

ગળાના દુખાવામાં મધ પણ લાભદાયી છે.

image source

ચેપ સામે લડવાથી માંડીને પીડાથી રાહત આપવા સુધી, ગળાના દુખાવાની તમામ સારવાર માટે મધ ઘણું બધું કરી શકે છે. હૂંફાળા પાણી અને એપલ સીડર સરકોમાં ઉમેરવામાં આવેલા મધ અસરકારક રીતે તમને ગળાના દુખાવાથી રાહત આપી શકે છે.

ગરમ પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી પણ કફ અને ગળાની ખરાશમાં રાહત મળે છે.

જેઠીમધની લાકડી અથવા મૂલેઠી એક દેશી દવા છે.

image source

ભારતીય પરંપરાગત દવાઓમાં અસંખ્ય વિકારોની સારવાર માટે જેઠીમધની લાકડી અથવા મૂલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. તે એવા ખાસ પ્રકારના ગુણધર્મો ધરાવે છે જે એસ્પિરિન જેવી જ છે તે તેના આ ગુણધર્મો માટે જાણીતું છે.

તે ગળાના દુખાવા અને ગળામાં થતા ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરી શકે છે. ગળાના દુખાવાથી ઝડપી રાહત મેળવવા માટે તમે કાં તો પાણીમાં કે ચામાં નાખીને ઉકાળીને પી શકો છો અથવા તેને પાણીમાં ઉકાળીને તેનાથી ગાર્ગલ પણ કરી શકો છો.

લીંબુ પાણી

image source

ગરમ લીંબુ પાણી ગળાના દુખાવાના કારણે થતી પીડામાંથી રાહત આપી શકે છે. જી હા, આપને નવાઈ લાગશે આ જાણીને કેમ કે ગળાની તકલીફમાં ખટાશ ખાવાનું સહેજ પણ મન નથી થતું હોતું અને લીંબુ તેની દવા તરીકે ઉપયોગમાં લેવાની વાત થાય છે.

ત્યારે આપને જણાવીએ કે લીંબુમાં સારા પ્રમાણમાં વિટામિન સી અને એન્ટી ઓકિસડન્ટસ હોય છે જે તમારા ગળા માટે સારા છે. તે તમારા મોંમાં બનતી લાળની માત્રામાં વધારો કરે છે.

image source

આ મ્યુકોસ મેમ્બ્રેનને જીભને ભેજવાળી રાખવામાં મદદ કરે છે, આમ ગળાના દુખાવાનો ઉપચાર કરે છે. લીંબુનું પાણી વજન ઘટાડવાનું એક લોકપ્રિય પીણું પણ છે.

લીંબુના પાણીના મહત્તમ ફાયદા માટે, તમે પીણામાં થોડું મધ અથવા મીઠું ઉમેરી શકો છો. ગળામાં બળતરા કે મોળ ચડવા જેવી તકલીફમાં પણ આ ખૂબ ઉપયોગી છે.

નાળિયેર તેલના ઉપચાર વિશે જાણીને આપને નવાઈ લાગશે…

image source

અમે શરત લગાવીએ કે તમારામાંના કેટલાકને નાળિયેર તેલ ગળાના દુખાવા માટેનો વધુ એક કુદરતી ઉપાય હોવાની જાણકારી નહીં જ હોય. નાળિયેર તેલ પ્રકૃતિમાં બહુમુખી છે અને તેના ઉપયોગથી આરોગ્યને લગતા ઘણા ફાયદા થાય છે.

તે ગળાના દુખાવાથી રાહત પણ આપી શકે છે. તે પ્રકૃતિમાં શાંત છે અને ગળામાં મ્યુકોસ મેમ્બ્રેનને લુબ્રિકેટ કરવામાં મદદ કરે છે.

image source

તમે તમારી ચા અથવા ગરમ કોકોમાં ચમચીના નારિયેળ તેલ ઉમેરી શકો છો, અથવા સૂપમાં ઉમેરીને ગળું સાફ કરવા માટે તેનો લાભ લઈ શકો છો.

ગળાના દુખાવાથી રાહત માટે તમે નાળિયેર તેલને ઘરમાં જ તાજું બનાવી પણ વાપરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ