ઠંડીથી બચવા માટે હળદરવાળું દૂધ ફાયદાકારક તો છે જ, સાથે આ ટિપ્સ પણ અપનાવો

ઠંડીના દિવસો શરુ થતા જ રોગોનું જોખમ વધી જાય છે. સૌથી મોટી સમસ્યા વડીલોને થાય છે. ઠંડીના કારણે શરીર વાદળી થવું, હાઈ-બીપી, બ્લડ સુગર લેવલમાં ગડબડ, ઝડપી ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ અને શરીરના તાપમાનમાં ઘણી વખત વધઘટ જેવી સમસ્યા થાય છે. આ સમયમાં થોડી બેદરકારી પણ જોખમી સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં તમારે પોતાનું ધ્યાન રાખવું વધુ સારું છે. આજે અમે તમને થોડા ઉપાયો જણાવીશું જેની મદદથી તમે ઠંડીના આક્રમણથી પોતાને બચાવી શકો છો.

નવશેલું પાણી પીવો

image source

ઠંડીમાં થોડું નવશેકું પાણી પીવો, આ તમને ગળામાં દુખાવો અને ગળામાં થતી સમસ્યાઓથી દૂર રાખશે.

શરીરની નિયમિત તેલ માલિશ કરો

ઠંડીમાં રોજ સરસવના તેલ સાથે શરીરની માલિશ કરવાથી શરીર ગરમ રહે છે અને આપણને શરદીથી બચાવે છે દૈનિક મસાજ ત્વચા માટે ફાયદાકારક છે, નસોની સમસ્યા પણ દૂર થાય છે.

image source

ગરમ કપડાથી શરીરને ઢાંકી દો

તમે ઘરની બહાર ગાડી ચલાવો અથવા ઘરમાં રહો તમારા શરીરને ઠંડીથી બચાવવા માટે તમારા હાથ અને પગ ઢાંકી રાખો. ઠંડીના કારણે પગ અને હાથ વાદળી ના થાય, પીડા અને ખંજવાળની સમસ્યા ન થાય તે માટે મોજાં અને ગ્લોવ્ઝ પહેરો. જો સમસ્યા વધારે છે, તો પછી તમારા હાથ અને પગમાં 10-12 મિનિટ માટે હળવા ગરમ પાણીથી સેક કરો.

મોસમી ફળ અને શાકભાજી ખાઓ

image source

શરીરમાં ઉર્જા વધારવા અને રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે, મોસમી ફળ (નારંગી, જામફળ, પપૈયા, ચિકુ) અને શાકભાજી (પાલક, બીટ, આમળા, ગાજર)નું સેવન કરો. ઠંડીથી બચવા માટે તમે વેજિટેબલ સૂપ પણ પી શકો છો.

તડકામાં ચાલો

image source

જો તમે અસ્થમા અથવા શ્વસન રોગથી પીડિત છો, તો પછી સવારના સૂર્ય પ્રકાશમાં ચાલવા જાઓ. સવારની ઠંડી હવા તમારી શ્વાસ નળીમાં તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જે હૃદયની સમસ્યાઓમાં વધારો કરે છે. સવારે 8 થી 10 દરમિયાન વધુ સૂર્યપ્રકાશ લેવાથી વધુ વિટામિન-ડી મળે છે.

હર્બલ વસ્તુઓનો ઉપયોગ કરો

image source

જો તમને કફ, શરદી અને તાવ જેવી સમસ્યા છે, તો તમે આદુ, તુલસી, હળદર અને કાળા મરી જેવા ઘરગથ્થુ વસ્તુઓમાંથી બનેલો ઉકાળો પી શકો છો.

હળદરનું દૂધ

image source

હળદરના ફાયદા તો બધા જાણે જ છે. લગભગ શિયાળાની ઋતુમાં દરેકના ઘરમાં હળદરનું દૂધ પીવાની ટેવ હશે જ, પણ જો ના હોય તો આજથી જ આ ટેવને અપનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તમે બદામ અને હળદરનું દૂધ જરૂરથી પીવો. આ દૂધ નિયમિત પીવાથી કફ અને શરદી જેવી સમસ્યાથી બચી શકાય છે.

આદુવાળી ચા

image source

સ્વાદિષ્ટ સ્વાદ સિવાય આદુમાં મીઠી સુગંધ પણ હોય છે જે સામાન્ય શરદી અને ઉધરસના ઉપચારમાં ખૂબ મદદગાર છે. આ માટે આદુને બારીક પીસીને અને તે ચામાં ઉમેરી આ ચાનું સેવન કરવાથી તમને જલ્દી ફાયદો થશે. નિયમિત આદુવાળી ચા પીવાથી ઠંડીના દિવસોમાં શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. આદુ તમને સામાન્ય ઉધરસથી પણ રાહત આપે છે.

લસણ

image source

ઠંડીના દિવસોમાં શરદી, ઉધરસ તથા કફની સમસ્યા દૂર કરવા માટે લસણ પણ ખુબ ફાયદાકારક છે. આ માટે સૌથી પેહલા ઘીમાં લસણ તળી લો અને તે થોડું તળાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ તળેલું લસણ બહાર કાઢો અને થોડું ઠંડુ થાય ત્યારે તેને ખાઓ. તમને તળેલું લસણ ખાવામાં થોડું કડવું લાગશે, પણ આ લસણ ઠંડીની ઋતુમાં દરેક સમસ્યા દૂર કરવામાં ખૂબ અસરકારક છે. જેથી તમારી શરદી અને ઉધરસની સમસ્યા માત્ર થોડા સમયમાં જ દૂર થશે.

વિટામિન સીનું સેવન કરવું

image source

વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. નિયમિત આહારમાં વિટામિન સીનું સેવન કરવાથી શરદી અને ફ્લૂ અને અન્ય ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તે આપણા શરીરમાં લોહીની સમસ્યા પણ સુધારે છે.

અળસીના બી પણ ફાયદાકારક છે.

image source

અળસીનાં બી પણ શરદી અને કફની સારવાર માટે ફાયદાકારક ઉપાય છે. તમે અળસીના બીનો ઉપયોગ તેને ઉકાળીને કરી શકો છો. આ માટે તમે અળસીના બી ત્યાં સુધી અળસી ઉકાળો જ્યાં સુધી તે ઘાટું થઈને નીચે ન બેસી જાય. પરંતુ તેને વધારે ઘાટું ન બનાવો. ત્યારબાદ આ ઉકાળેલા પાણીમાં તમે લીંબુનો રસ અને મધના થોડા ટીપા ઉમેરો. ત્યારબાદ તેનું સેવન કરો. આ ઉપાય તમારી શરદી, ઉધરસ અને કફની સમસ્યા દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ