ક્યારેક એવું લાગે છે કે બીમારીથી વધારે દવાઓ છે અને તેને માટે કેટલાક લોકો ફાર્મસી કે અન્ય સ્ટોરથી ખરીદી કરે છે. કેટલાક લોકો ડોક્ટરના નુસખાની રાહ જુએ છે. પણ કેટલાકમાં વ્યાપક પરિણામ જોવા મળે છે. ભારતીયો અનેક વાર જાતે જ દવા નક્કી કરી લે છે અને તેને ગટકાવી જાય છે. સામાન્ય રીતે પોઝિટિવ આવ્યા બાદ લક્ષણ દેખાય તો તેના પછી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આપવામાં આવે છે. ડોક્ટરનું કહેવું છે કે આ દર્દીને બાદમાં હોસ્પિટલ લઈ જવા પડે છે અને તેઓ સ્વીકારે છે કે તેઓએ કોરોનાના નામથી દવા જેવી કે આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લેરેક્વીનનો ઉપયોગ ગંભીર સ્થિતિને રોકવા માટે કર્યો છે.
શું છે દવા અને કેવી રીતે બનાવાય છે
દવા કેમિકલ કે યૌગિક હોય છે જેનો ઉપયોગ રોકથામ, સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને હળવા કરવા માટે કરાય છે. દવાઓના વિકાસે ડોક્ટરને અનેક બીમારીની સારવાર કરવા અને જિંદગી બચાવવામાં સક્ષમ બનાવ્યા છે. આ દવાઓ અલગ સોર્સથી આવે છે.કેટલીક દવાઓના વિકાસ પ્રકૃતિમા મળનારા ઘટકથી થયા છે અને સાથે આજે અહીં અનેક છોડથી અર્ક પણ કાઢવામાં આવે છે. કેટલીક દવાઓ અલગ પ્રકારના કેમિકલને એકસાથે મિક્સ કરીને તૈયાર કરાય છે. કેટલાકને આનુવંશિક રીતે બેક્ટેરિયામાં જીન દાખલ કરીને વાંછિત ઘટક બનાવાય છે. પણ તમે તમારી હેલ્થની ચિંતા કરો છો તો આ પ્રકારની દવાઓ લેવાનું ટાળો. તેનાથી સમસ્યા આવી શકે છે.
ડોક્ટરની સલાહ વિના ન લો 4 દવાઓ
રેમડિસિવિર
આ દવાનો ઉપયોગ ઘરેલૂ ઉપયોગ માટે કરી શકાશે નહીં. તેને ફક્ત હોસ્પિટલના આધારે જ આપવામાં આવે છે. કોરોનાના મધ્યમ કે ગંભીર લક્ષણમાં પૂરક ઓક્સીજનના પેશન્ટને રેમડિસિવિર ઈન્જેક્શન આપવામાં આવે છે.
સ્ટીરોઈડ
સ્ટીરોઈડ દેવા ડેર્સામેથાસોનનો ઉપયોગ હોસ્પિટલમાં ફક્ત નાજુક કે ગંભીર સ્થિતિ માટે છે. 60 વર્ષથી વધારે સમયથી બજારમાં મળે છે. સામાન્ય રીતે સોજાને ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. માટે પોતે જાતે આ દવા લેવાનું ટાળવું જ યોગ્ય છે.
એન્ટીકોઆગુલંટ્સ
આ દવાો ક્લોટિંગને ઘટાડે છે પણ તેને ડોક્ટરની સલાહ પર મધ્યમ કે ગંભીર કેસમાં આપવામાં આવે છે. રાસાયણિક પદાર્છ એન્ટીકોઆગુલંટ્સ એટલે કે સામાન્ય રીતે બ્લડ પાતળું કરવામાં ઉપયોગમાં લેવાય છે. જે લોહીના જમા થવાને રોકે છે અથવા ઘટાડે છે. લોહીના ગટ્ઠા બનવાના સમયને પણ વધારે છે.
ટોસિલિજુમેબ
આનો અર્થ છે ફક્ત ગંભીર કે નાજુક સ્થિતિ માટે ઉપયોગ કરો. સ્ટીરોઈડ આપ્યા બાદ 24-48 કલાક બાદ દર્દીની સ્થિતિમાં સુધાર ન આવે તો આ દવાનો ઉપયોગ કરાય છે. માટે ડોક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong