તારક મહેતા..ના આ આર્ટિસ્ટ થયુ નિધન, સેટ પર છવાઇ ઉદાસી

નાના પરદાની સૌથી હીટ કોમેડી સિરિયલ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર આ સમયે ઉદાસી છવાઈ ગઈ છે, અને આ ઉદાસીનું કારણ છે તેમના એક સાથીનું આ દુનિયા થી ચાલ્યા જવાનું.

image source

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થઈ ગયું છે. આનંદના નિધનના સમચાર થી આખી ટીમ હેરાન રહી ગઈ છે. આનંદ છેલ્લા ૧૦ દિવસથી બીમાર હતા; ૮ ફેબ્રુઆરીના રોજ આનંદે અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.

image source

રવિવાર સવારે ૧૦ વાગે મુંબઈના કાંદિવલી વેસ્ટના હિન્દુ સ્મશાનમાં આનંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આનંદ લગભગ ૧૨ વર્ષથી ‘તારક મેહતા’ ની ટીમ સાથે જોડાયેલા હતા. બધા સ્ટાર્સનો મેકઅપ આનંદ જ કરતાં હતા. આનંદના નિધન પછી એક દિવસ માટે શૂટિંગ પણ રોકી દેવામાં આવી છે.

image source

આની પહેલા વર્ષ ૨૦૧૮ માં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલમાં ડૉક્ટર હંસરાજ હાથીનું પાત્ર નિભાવતા એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું. કવિ કુમાર ઉર્ફ દો. હાથીની મૃત્યુના સમાચારે પણ ‘તારક મેહતા..’ની ટીમને શોકમગ્ન કરી દીધા હતા.

image source

એક્ટર કવિ કુમાર ઉર્ફ હંસરાજ હાથીનું મૃત્યુ દિલનો દૌરો પડવાથી થયું હતું. પરંતુ તેમના મોતના બે દિવસ પછી ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે તેમની મોતનું કારણ તેમની અવ્યવસ્થિત લાઈફસ્ટાઈલ અને ખૂબ વધી ગયેલું વજન હતું.

image source

જો એમણે ડૉક્ટરની વાત માની લીધી હોત, તો કદાચ તે આજે જીવિત હોત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ