જલ્સા કરોને જેંતીલાલ

તાંબાના વાસણમાં ખાવા અને પાણી પીવાના અનેક ફાયદા છે શું તમે જાણતા હતા…

ભલે તાંબાના વાસણોનો ઉપયોગ આજકાલ ઓછો થઈ ગયો હોય, પરંતુ આજે પણ તમે ઘરના વડીલો કે પરંપરામાં માનનારા લોકોને તાંબાના વાસણોનો ઉપયોગ કરતા જોશો. ઘરના વડીલો તાંબાના વાસણોમાં પાણી ભરીને પીએ છે.


તાંબાના વાસણોમાં ખાવાનું બનાવવું તેમજ તેમાં રાખેલું પાણી પીવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ જ ફાયદાકારક હોય છે. આજે આપણે તાંબાના વાસણોમાં પાણી પીવાના ફાયદા જાણીએ.

જો તમે ડાયટમાં રોજ ફ્રુટ્સ ખાઈને કંટાળ્યા છો તો હવે તાંબાના વાસણમાં પાણી રાખીને રોજ પીઓ. કોપરમાં પાચન તંત્રના આકારમાં લાવવાની ક્ષમતા હોય છે. કોપર શરીરમાં ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે.


કોપરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે એન્ઝાઈમ સુપરઓક્સાઈડ ડિસપ્યુટ્સની મદદથી સેલને સુરક્ષિત રાખે છે. કોપર ઉંમર વધવાની ગતિને ધીમી કરી દે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ચહેરા પર રહેલી લાઈન અને કરચલીઓ દૂર થઈ જાય છે. સાથે જ ચહેરા પર રહેલી મૃત ત્વચાની કોષિકાઓ પણ દૂર થઈ જાય છે.


તાંબું એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીવાઈરલ ગુણોથી ભરપૂર હોય છે. જે ઘાવને જલ્દી ભરવામાં મદદ કરે છે. તાંબુ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને વધારે છે અને પેટમાં થતી અનેક આંતરિક ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે.


શરીરમાં અક એવા કણ હોય છે, જે કેન્સર કોષિકાઓનો વિકાસ કરે છે. તાંબામાં રહેલ એન્ટીઓક્સિડન્ટ ગુણ આ કણોને સમાપ્ત કરે છે. શરીર પર તેના નકારાત્મક પ્રભાવોને ઓછું કરી શકે છે.


કોપર મેલેનિનના નિર્માણમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મેલેનિન વર્ણક, જે તમારી આંખો, ત્વચા અને વાળને રંગ આપે છે. મેલનિન શરીરને સૂરજની તેજ કિરણોથી બચાવી રાખે છે અને ઘાવને તેજીથી ભરવામાં મદદ કરે છે.


જ્યારે શરીરમાં રક્ત ઓછું થઈ જાય છે, ત્યારે થાક, માંસપેશીઓમાં દર્દ, નબળાઈ તેમજ પાચનની સમસ્યાઓ થાય છે. આવામાં તાંબાના વાસણમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. તાંબું શરીરમાં સેલનું નિર્માણ કરે છે, અને રક્તની ઊણપને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરની આંતરિક સફાઈ માટે તાંબાનું પાણી બહુ જ મદદગાર નીવડે છે. તે લિવર અને કિડનીને સ્વસ્થ રાખે છે. લિવર અને કિડનીની કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવા માટે આ પાણી અમૃત જળ જેવુ સાબિત થાય છે.


તાંબામાં મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે થાઈરોડની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કોપર થાઈરોઈડ ગ્રંથિને વ્યવસ્થિત કાર્યરત રાખવામાં મદદ કરે છે.


તાંબું મગજને ઉત્તેજિત કરીને તેને સક્રિય રાખવામાં મદદ કરે છે. તેનાથી મગજ પણ સ્વસ્થ રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version