જલ્સા કરોને જેંતીલાલ

તમારા પર પણ લક્ષ્મીજી ચાર હાથે વરસાવશે ધન, એવો ચમત્કારી છે આ ઉપાય…

ધનનો અભાવ એવી સમસ્યા છે જેમાં ફસાયેલી વ્યક્તિ કોઈપણ અનર્થ કરી શકે છે. જો જીવનયાપન કરવા માટે પૂરતા પ્રમાણમાં ધન વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના કામ કરીને પણ ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને પાપના માર્ગે ચાલવા લાગે છે. આવા માર્ગ પર ચાલનાર ક્ષણિક લાભ મેળવે તો પણ તેનું પરિણામ તો ખરાબ જ આવે છે. પરંતુ આપણે અહીં વાત એવા ઉપાયની કરવાની છે જે કોઈપણ જાતકને પતનના માર્ગેથી પણ પરત લાવી શકે છે. જી હાં શિવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો છો.


ભગવાન ભોળાનાથ ભક્તોની પીડા હરવા માટે તત્પર રહે છે. તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનારને તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષે શિવરાત્રિ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવો. આ શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ મહાશિવરાત્રિનો પર્વ આવે જ છે તો તે દિવસથી જ કરજો આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ ટકી રહેશે.


દારિદ્રદહન સ્તોત્ર

|| ઇતિ શ્રી વસિષ્ઠ વિરચિતં દારિદ્ર્યદહન શિવસ્તોત્રમ સંપૂર્ણમ ||

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version