જલ્સા કરોને જેંતીલાલ

તૈમુરના જન્મ સમયે કરિનાએ ડોક્ટરને પૂછ્યો હતો આ સવાલ, દરેક માતાએ પણ આવું કરવું જોઈએ..

કરિનાએ ખોલ્યું રાઝ, તૈમૂરના જન્મ સાથે જ તરત જે તેમણે ડોક્ટરને પૂછયા હતા આ સવાલ… આટલા વર્ષે તેણે મધર્સ ડે પર કર્યું જાહેર… તૈમૂરના જન્મ સમયથી કરિનાએ કોઈને નહોતી કરી એક વાત જેનો ખુલાસો થયો બે વર્ષે…


આ રવિવારે ‘મધર્સ ડે’ના અવસરે, ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પર્સનાલીટીઓએ તેમની માતા યાદ કર્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ પણ શેર કર્યા છે. મધર ડે પર, સોશિયલ મીડિયાની પોપ્યુલારીટી માટે બોલીવુડના સૌથી ફેમસ અને સૌનો લાડલો સ્ટાર કિડ સાથે તેની માતા, કરિના કપૂર ખાન તો પ્રિયંકાથી અને અન્ય સેલિબ્રિટીઝથી પણ આગળ વધી ગયા છે.

હકીકતમાં, કરિનાએ તેણીના જીવનસાથી સૈફ અલી ખાન સાથે તૈમૂરના જન્મ સાથે સંબંધિત એક પ્રસંગ શેર કર્યો હતો.

શું રાઝ ખોલ્યું કરિનાએ?

મધર્સ ડેના અવસરે એક સંસ્થામાં કરિના મહેમાન બનીને પહોંચી હતી. એ સમયે કરિનાએ પોતાના અનુભવ વ્હેંચવા સ્પીચ આપી હતી. જેમં તેમણે જણાવ્યું કે હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે મેં ડોક્ટરને એવો સવાલ પૂછ્યો કે હું મારા આવનાર બાળકને ન્યૂમોનિયાથી કઈરીતે બચાવી શકું? મેં આ ગંભીર બીમારી વિશે ઘણું સાંભળ્યું છે. તમે મને જણાવશો આનાથી મારા બાળકને કઈરીતે સુરક્ષિત રાખી શકાય?

શું મદદ કરી ડોક્ટરે?

કરિનાના બાળકના સ્વાસ્થ્યને લગતા આવા ચોંકાવનારા સવાલોના જવાબમાં ડોક્ટરે તેમને એક ચાર્ટ આપ્યો હતો. કરિનાએ રાઝ ખોલ્યું કે હું આજ સુધી આજ ચાર્ટને ફોલો કરું છું. આપને જણાવીએ કે તૈમૂરનો જન્મ ૨૦૧૬માં થયો છે. ત્યારથી તે આજ સુધી સૌથી પોપ્યુલર સ્ટાર કિડ છે. તે એકદમ તંદુરસ્ત અને વહાલો લાગે તેવો બાળક છે.

સોશિયલ મીડિયામાં થાય છે ટ્રોલ

કરિના કાયમ દીકરાને લઈને સતત સમાચારોમાં રહે છે. થોડા સમય પહેલાં તે અરબાઝ ખાનના એક ટોક શોમાં સામેલ થવા જાહેરમાં દેખા દીધી હતી. ત્યારે એક હાજર રહેલ દર્શકે તેમને ઉદ્દેશીને કહ્યું કે બેપરવા મધર…

ત્યારે કરિનાએ ભીડને જવાબ આપ્યો હતો કે હું ઘણીવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થાઉં છું તેનો મને ખ્યાલ છે. થોડા સમય પહેલાં એક ફોટો ટ્રોલ થયો હતો એમાં હું મારા દીકરા સાથે એક પ્રાઈવેટ જેટની સામે હતી!

કરીનાએ તેની સ્પીચમાં દુઃખ વ્યક્ત કર્યું

તેણે પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર લોકો અનેક લોકો મારી પર આંગળી ઉઠાવે છે અને કહે છે કે હું કેરલેસ માતા છું અને દીકરાને સાચવવા નેની રાખું છું. હું જાણું છું કે દરેક વ્યક્તિની પોતાની જિંદગી હોય છે અને હું મારું જીવન કેમ જીવું છું તે હુંજ જાણું છું.

તમે બીજાના જીવન વિશે નથી જાણી શકતા. અત્યારે હું મારા દિમાગમાં જે વાત છે તે શેર કરીને તમારી પર આંગળી ઉઠાવું છું.

આપને જણાવીએ કે એક માતા તરીકે બે વર્ષ સુધી તેમને એક ગૃહિણીની જેમ ફરજ નીભાવીને હવે તેમણે જાહેરમાં નીકળવાનું, કાર્યક્રમોમાં જવાનું શરૂ કર્યું છે. તેમની આગામી ફિલ્મનું શીર્ષક હશે ‘ગુડ ન્યૂઝ’…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version