ચિકનગુનિયા, શરીર અકડાઈ જઈને તાવ સાથે થાય છે, બીજી ઘણી તકલીફો. જાણો તેના લક્ષણો અને સારવાર…
ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે. પરંતુ તે ચેપી નથી, તેથી તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી, તે ખરેખર તો ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા મનુષ્યમાં તેનો ફેલાવો થઈ શકે છે.
ચિકનગુનિયાના લક્ષણોની અસર સામાન્ય રીતે ૨થી ૧૨ દિવસની વચ્ચે જોવા મળે છે પરંતુ કેટલીકવાર તે વધુ દિવસો સુધીનો સમય પણ લે છે.
લાક્ષણિક રીતે, ચિકનગુનિયા આકસ્મિક રીતે તાવ આવવાથી શરૂ થશે જે સાંધામાં દુખાવો થવા સાથે શરીરમાં પ્રસરે છે.
આ મચ્છર સામાન્ય રીતે દિવસના સમયે અને બપોરે મોડે સુધીના સમય દરમિયાન કરડે છે અને બહારગામમાં વધુ સક્રિય હોવાનું જોવા મળે છે. આ વાયરસ વહન કરતા મચ્છરોની સૌથી સામાન્ય પ્રજાતિ એડીસ એજિપ્ટી અને એડીઝ એલ્બોપિકટસ છે અને તેઓ માનવ વસવાટમાં ઉછરે છે.
એક વાત સાથે હાશકારો એ રીટે પણ લઈ શકાય છે કે આ માંદગી ભાગ્યે જ જીવલેણ હોય છે, જ્યારે મુશ્કેલી સાથે દર્દીઓને ભારે પીડાને કારણે યોગ્ય રીતે ચાલવું પણ મુશ્કેલ થઈ શકે છે, આ બાબત વધુ તકલીફદાયક છે.
લક્ષણો અને પીડા કેવી થઈ શકે છે, ચિકનગુનિયા થવાથી. તે જાણીએ…
સાંધા અને અથવા શરીરના અન્ય ભાગોને નિષ્ક્રિય કરીને તેમનું હલન ચલન અવરોધે છે. શરીરના દુખાવામાં પીડા સાથે તાવ આવવાથી આકસ્મિક રીતે આ રોગની શરૂઆત થતાં તેના વિશે આપણું ધ્યાન દોરાય છે.
આ વાયરલ તાવ હાથ અને પગની આંગળીના સાંધાને ગંભીર અસર કરે છે, જેનાથી તીવ્ર પીડા થાય છે અને સોજો પણ આવે છે. તે સમજવું અગત્યનું છે કે નબળાં પડેલાં સ્નાયુઓ અને સાંધાઓ તેમની પકડ ગુમાવે છે.
દર્દીમાં પાણી પીવા ગ્લાસ પકડીને પાણી પીવા જેટલી પણ શક્તિ નથી રહેતી. ગોઠણ તેમજ પગની પીંડીઓમાં પણ દુખાવો રહે છે જેથી યોગ્ય રીતે ચાલી શકવાની તકલીફ પડવા લાગે છે.
આ પીડા ઘણીવાર અઠવાડિયા, મહિના અથવા તો વધુ અસર જણાય તો વર્ષો સુધી પણ ચાલુ રહે છે. જ્યારે દર્દીઓ મોટાભાગના કિસ્સાઓમાં સ્વસ્થ થાય છે, ત્યારે લાંબો સમય પીડા રહે તો ટેસ્ટ કરાવ્યા બાદ એ રીતે નિદાન આવે છે અને નક્કી કરશે કે ચિકનગુનિયાની તીવ્રતા કેવી છે, સબએક્યુટ અથવા ક્રોનિક છે કે નહીં. તે મુજબ તેની સારવારની શક્યતાઓ સૂચવાય છે.
ચિકનગુનિયા વાયરલ તાવના અન્ય કેટલાક સામાન્ય લક્ષણોમાં શામેલ છે
તાવ આવવાની સાથે શરીરના સ્નાયુઓમાં પીડા અનુભવવા લાગે છે, સ્વભાવ ચિડિયો થવા લાગે અને માથામાં દુખાવો અનુભવાય છે, થોડું પણ હલન ચલન થવાથી થાક લાગે છે, થોડું પણ કંઈ ખાવાથી ઉબકા આવે અને કંઈ ભોજન લેવાનું મન ન થાય, ચામડીમાં રેશીશ દેખાય એટલે કે લાલાશ પડતી જણાય, સાંધામાં સોજો આવે અને શરીર ભારી થતું જણાય છે.
હાથ – પગના આંગળાં, કોણી, થાપા, ગોઠણ અને પગના પંજામાં તેમજ કમર અને ગરદનના હલનચલનમાં મુશ્કેલી જણાય છે.
ઉપરોક્ત લક્ષણો ઉપરાંત, ચિકનગુનિયાની કેટલીક અન્ય, દુર્લભ જટિલતાઓમાં આંખ, ન્યુરોલોજીકલ અને હૃદયની મુશ્કેલીઓ પણ શામેલ છે.
વૃદ્ધ અને નવજાત બાળકો (જન્મ સમયે આ ચેપ લાગતા) ખાસ કરીને આ ગંભીર સમસ્યાના જોખમે હોય છે, જે સૌથી ખરાબ સંજોગોમાં જીવલેણ બની શકે છે. ચિકનગુનિયા વાયરસથી ચેપગ્રસ્ત લોકોની ઊંચી ટકાવારી બીમાર પડે છે.
હજી સુધી, આ ચિકનગુનિયાના રોગને સંપૂર્ણરીતે નિવારવા માટે કોઈ ઓળખાયેલ ઉપાય નથી, સારવાર દરમિયાન તાવ અને સાંધામાં દુખાવો જેવા લક્ષણોને દૂર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે.
ચિકનગુનિયા સાથે જોડાયેલ કેટલીક ખોટી માન્યતાઓ જાણીએ…
માન્યતા ૧. મચ્છર ડાયાબિટીસના દર્દીઓને વધારે મીઠાઇ લે છે કારણ કે તે “મીઠા લોકો” છે.
હકીકત: આ સિદ્ધાંતની વાત છે ત્યાં સુધી કોઈ અભ્યાસ સાચા સાબિત થયા નથી કે ડાયાબિટીસના લોકો નિયમિત લોકો ઉપરાંત મચ્છરના કરડવાથી વધુ સંવેદનશીલ હોય છે. ઉપરાંત, મચ્છરો ફક્ત ખાંડ નહીં પણ હિમોગ્લોબિન ઇચ્છે છે.
માન્યતા ૨. રાત્રે કેળા ખાવાથી મચ્છરો ડંખ ખાવાની સંભાવના વધારે છે.
હકીકત: ૨૦૧૨માં હાથ ધરાયેલા એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, મચ્છરો દ્વારા કરડવાની શક્યતા વધારવામાં, રાત્રે કેળા સહિતના ફળોની કોઈ ભૂમિકા હોવું જરૂરી નથી મનાયું. તેથી ઉપર્યુક્ત માન્યતા ખોટી છે.
માન્યતા ૩. મચ્છર પુરુષો કરતાં મહિલાઓને વધારે કરડે છે.
હકીકત: આ વિષયે કોઈ ખાસ અભ્યાસ થતો નથી જે આ હકીકતને ફરીથી સ્થાપિત કરે છે કે પુરુષોની તુલનામાં મહિલાઓને મચ્છર દ્વારા કરડવામાં વધુ જોખમ છે.
માન્યતા૪. ચિકનગુનિયા કોઈપણ મચ્છર દ્વારા ફેલાય છે.
હકીકત: ઉપર જણાવ્યા મુજબ, તે ફક્ત મચ્છરની એડીઝ એજિપ્ટી અને એડીઝ એલ્બોપિકટસ પ્રજાતિમાં ફેલાય છે.
ચિકનગુનિયા જેવો પીડાદાયક રોગ ન થાય એ માટે કેવી કાળજી લેવી, જાણો…
ચિકનગુનિયા એ મચ્છરજન્ય રોગ છે, જો તમારું ઘર મચ્છરના સંવર્ધન ક્ષેત્રની નજીક હોય તો જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. ખાતરી કરો કે પાણીનો નિકાલ યોગ્ય રીતે કરો જેથી તમારા ઘરની આજુબાજુ અને આસપાસ કોઈરીતે પાણી જમા ન થવું જોઈએ.
મચ્છરના કરડવાથી બચવા માટે આખી બાંયના કપડાં પહેરવાનું પસંદ કરો. મચ્છરો ઘાટા રંગો તરફ આકર્ષાય હોવાથી કપડાને ઘાટા રંગો અને ટાઈટ ફિટિંગવાળા કપડાં ન પહેરો.
તમે ઢીલા અને હળવા રંગના કપડા પહેરવાનું પસંદ કરી શકો છો જે આખા શરીરને આવરી છે.આ કિસ્સામાં, તમે લાંબી પેન્ટ્સ અને આખી બાંયના કપડાં ન પહેરી શકો તો, મચ્છરોને દૂર રાખવા માટે તમારા ઘરમાં ૧૦ ટકા ડીઇટી ધરાવતા જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો.
હંમેશાં લેબલ પરની સૂચના વાંચો, ખાસ કરીને બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે. કરડવાથી સુરક્ષિત રહેવા માટે મચ્છરદાની અને સ્ક્રીનનો ઉપયોગ કરો.
સ્ક્રીનીંગ વિસ્તારોની અંદર અથવા મકાનની અંદર જ્યાં એર કન્ડીશનીંગ હોય ત્યાં રહો. મચ્છરો દ્વારા કરડવાનું જોખમ ઓછું કરવા માટે દિવસ દરમિયાન વધારાની સાવચેતી રાખો.
દરરોજ શાવર કરો એટલે કે નિયમિત રીતે નહાવવું જોઈએ અને બિનસેન્ટેડ શેમ્પૂનો ઉપયોગ કરો. માનવામાં આવે છે કે મચ્છર અત્તર અને પરસેવો જેવી ગંધથી આકર્ષાય છે.
સારવાર હેતુ કેવી કાળજી લેવી…
અત્યાર સુધી, ચિકનગુનિયા ફેલાવતા વાયરસને રોકવા અથવા તેની સારવાર માટે કોઈ વિશિષ્ટ સારવાર કે દવાઓ શોધી શકાઈ નથી કારણ કે તેની કોઈ રસી ઉપલબ્ધ નથી.
તેથી, પીડા અને અસ્વસ્થતા દૂર કરવા માટે, લક્ષણોની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. ડોકટરો પણ દર્દીઓની સારવાર તેમની લાક્ષણિક પીડાઓને આધારે જ કરે છે.
અહીં સારવારના કેટલાક વિકલ્પો છે: જે જાણી લઈએ…
આરામ લેવો જરૂરી…
શરીર જકડાઈ ગયું હોય ત્યારે, પુષ્કળ આરામ લો. અકારણ હલન ચલન કરીને વધુ પીડા સહન ન કરો. જેથી જ્યારે શરીર સ્વસ્થ થઈ જાય ત્યારે હાડકાં અને સ્નાયુઓની પીડા જલ્દી દૂર થાય.
પાણી વધુ પીવો…
સ્નાયુઓ અને સાંધાઓના દુખાવા સાથે ત્વચા પણ સુકાય છે. તેથી બોડી ડિહાઇડ્રેશન અટકાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવો.
જેમાં ફ્રુટ જ્યુસ, નારિયેળ પાણી, ગરમ પાણી, સાંધાનો દુખાવો હોય તો તજ કે સૂંઠવાળું દુધ કે ઉકાળેલું પાણી જેવા પદાર્થો લઈ શકાય. ઠંડા કરતાં રાબ અને સૂપ જેવા ગરમ પદાર્થો લેવા જોઈએ. જેથી શરીરના સ્નાયુઓને હૂંફ મળે.
ડોક્ટરની સારવાર મુજબ કરવું..
આપને જ્યારે પણ કોઈપણ પ્રકારનો તાવ અને પીડા અનુભવાય ત્યારે તરત જ નિષ્ણાંત ડોક્ટરની પાસે તપાસ કરાવવા જવું. તેમના સૂચવ્યા મુજબ બ્લડ ટેસ્ટ અને અન્ય પરિક્ષણો કરાવવા જોઈએ અને તકલીફ ઘટાડવા માટે તેમણે સૂચવેલ દવાઓ લો.
મચ્છરના વધુ સંપર્કમાં રહેવાનું ટાળો…
સાવચેત રહેવા માટે ધ્યાન રાખવું કે આસપાસ મચ્છર હોય તેવી જગ્યાએ વધુ સમય ન રહેવું. સ્વચ્છ વાતાવરણમાં રહેવું, આરોગ્યપ્રદ ભોજન ખાવું જોઈએ અને સાફ કપડાં જ પહેરવા જોઈએ. ધ્યાન રહે આપને મચ્છરના કરડવાથી કોઈ તકલીફ ન આવે અને તાવ કે અન્ય લક્ષણો ન જણાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ