શું તમે જાણો છો કે દરેક દિશા અને ગ્રહ અને દેવતાઓને છે ખાસ સંબંધ, વાસ્તુ દોષ દૂર કરવાના આ છે ખાસ ઉપાયો

વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ ગ્રહોની પૂજા કરાય છે. તો જાણો કઈ દિશાના વાસ્તુ દોષને દૂર કરવા માટે તમે કયો ઉપાય કરશો.

image source

આપણા વેદમાં કુલ 10 દિશાઓનું વર્ણન કરાયું છે. તેમાં ઉપર અને નીચે એટલે કે આકાશ અને પાતાળને પણ દિશા માનવામાં આવે છે. જ્યારે વાસ્તુ શાસ્ત્રમાં 8 દિશાઓમાં વાસ્તુદોષ હોવાનું અને તેના નિવારણના ઉપાયોને પણ કહેવાયા છે. વાસ્તુના અનુસાર કોઈ પણ દિશામાં વાસ્તુ દોષ હોવાથી અશુભ ફળ મલે છે. તો જાણો દિશા અનુસાર દોષ દૂર કરવાના ખાસ ઉપાયોને.

પૂર્વ દિશા

image source

વાસ્તુના અનુસાર આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્ર છે. આ દિશા દેવતાઓ માટે હોય છે. આ દિશાથી સંબંધિત દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્ર અને આદિત્ય હ્ર્દય સ્તોત્રનો પાઠ કરવો. મુખ્ય રીતે આ દિશા માન સમ્માન, સારી નોકરી, શારીરીક સુખ, મસ્તિષ્ક સંબંધી રોગ, નેત્ર રોગ અને પિતાના સ્થાન માટે હોય છે.

પશ્ચિમ દિશા

image source

પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ શનિ અને દેવતા વરુણ છે. આ દિશા સફળતા અને સંપન્નતા પ્રદાન કરે છે. આ દિશામાં દોષ હોવાથી કુષ્ઠ રોગ, શારીરિક પીડા, વાત વિકારની સમસ્યા રહે છે. કામમાં અસફળતા મળે છે. પ્રસિદ્ધિમાં ઘટાડો થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે શનિદેવની ઉપાસના કરવી જોઈએ.

ઉત્તર દિશા

image source

ઉત્તર દિશાના અધિપતિ ગ્રહ બુધ અને દેવતા કુબેર માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોવાથી વ્યક્તિના જીવનમાં સદાય આર્થિક તંગી બની રહે છે, સફળતા મળતી નથી. આ દિશાના દોષને દૂર કરવા માટે બુધ યંત્રની સ્થાપના અને ગણેશ અને કુબેરની પૂજા કરવી જોઈએ.

દક્ષિણ દિશા

image source

દક્ષિણ દિશાનો અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ છે. આ દિશામાં દોષ હોવાના કારણે પારિવારિક મતભેદ કાયમ રહે છે. સંપત્તિને લઈને ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. આ દિશાના દોષને દૂર કરવા નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

ઉત્તર પૂર્વ દિશા (ઈશાન ખૂણો)

image source

ઈશાન ખૂણાનો સ્વામી ગ્રહ ગુરુ માનવામાં આવે છે. આ ખૂણાના સ્વામી દેવતા શિવ છે. આ દિશાના દોષને દૂર કરવા માટે ઈશાન ખૂણાને સાફ રાખવો જરૂરી બને છે.

દક્ષિણ પૂર્વ દિશા (અગ્નિ ખૂણો)

image source

આ દિશાના અધિપતિ ગ્રહ શુક્ર અને દેવતા અગ્નિ છે. આ દિશામાં વાસ્તુ દોષ હોવાથી વૈવાહિક જીવનમાં બાધા, કડવાહટ, અસફળ પ્રેમ સંબંધ જેવી સમસ્યાઓ આવી શકે છે. આ દોષને દૂર કરવા માટે ઘરમાં શુક્ર યંત્રની સ્થાપના કરી લેવી જરૂરી છે.

દક્ષઇમ પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણો)

image source

આ દિશાના અધિપતિ ગ્રહ રાહુ અને કેતુને માનવામાં આવે છે. આ દિશાના દેવતા નૈઋતિ છે. આ દોષના નિવારણ માટે રાહુ કેતુને નિમિત્ત સાત પ્રકારના અનાજનું દાન કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉત્તર પશ્ચિમ દિશા (વાયવ્ય ખૂણો)

image source

આ દિશાનો અધિપતિ ગ્રહ ચંદ્ર અને દેવતા વાયુ છે. આ દિશામાં દોષ હોવાથી માનસિક પરેશાની, અનિંદ્રા, તણાવ, અસ્થમા અને પ્રજનન સંબંધી રોગ થાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે નિયમિત શિવજીની ઉપાસના કરવી લાભદાયી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!