બૉલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેને હાલમાં જ એક પોસ્ટ શેર કરીને ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા છે. બુધવારે સુસ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલમાંથી એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને જોયા પછી ફેન્સ કન્ફ્યુઝ છે કે શુ એમને આ વાત પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ વિશે વિચારતા લખી છે.
તમને જણાવી દઈએ કે સુસ્મિતા અને રોહમન છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
સુસ્મિતા સેને લખ્યું છે કે “તકલીફ એ છે કે સ્ત્રીઓને લાગે છે કે એ બદલાઈ જશે, એ નહિ બદલાય. પુરુષો જે ભૂલ કરે છે એ આ છે કે એમને લાગે છે કે એ ક્યારેય છોડીને નહિ જાય, પણ એ જતી રહેશે” સુસ્મિતાની આ લાઇનથી એ વાતનો અંદાજો નથી આવી રહ્યો કે એ કોના વિશે આવું કહી રહી છે અને એમને શુ વિચારીને આ વાત લખી છે.
એ સાથે જ એમને આ પોસ્ટના કેપ્સનમાં લખ્યું છે કે ” વાર્તાનો સાર એ છે કે એ નહિ બદલાય અને એ જતી રહેશે.” સુસ્મિતાએ આ પોસ્ટ શેર કરી કે તરત જ ફેન્સ અને ફોલોઅર્સએ કમેન્ટ બોક્સમાં આ ફોટાને લાઈક અને શેર કરવાનું શરૂ કરી દીધું.
એક યુઝરે લખ્યું કે ” આશા છે કે તમે બંને અલગ નહિ થાવ” અન્ય એક યુઝરે લખ્યું છે કે “હું આશા રાખું છું કે તમારા પાર્ટનર સાથે તમારે બધું સારું ચાલતું હોય”
આ પોસ્ટને જોયા પછી યુઝર્સે સુસ્મિતા સેન અને રોહમન શોલના સંબંધ વિશે અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો છે. તો બીજી બાજુ ઘણા યુઝર્સ એવા પણ છે જેમને સુસ્મિતાની વાત પર સહમતી બતાવી છે. તમને જણાવી દઈએ કે સુસ્મિતા અને રોહમનના લગ્ન વિશે છેલ્લા કેટલાક સમયથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ રોહમને જણાવ્યું કે એ જ્યારે ઓન લગ્ન કરશે તો એ વિશે બધાને જાણ કરશે..
તમને જણાવી દઈએ કે રોહમન શોલ મોડલિંગની દુનિયામાં એક સારું એવું સ્થાન મેળવી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો એમને સુસ્મિતા સેનના બોયફ્રેન્ડના રૂપમાં જ ઓળખે છે.
રોહમન ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે વર્ષ 2018માં શિલ્પા શેટ્ટી કુન્દ્રાની દિવાળી પાર્ટીમાં રોહમન શોલ અને સુસ્મિતા સેન હાથમાં હાથ નાખીને દેખાયા હતા. ફેન્સે એના પરથી જ અંદાજો લગાવ્યો હતો કે એ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફરી એકવાર આ કપલ લાઈમલાઈટમાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,