સુશાંતસિંહની જેમ હવે આ એક્ટર પણ કરી લેશે આત્મહત્યા? તેને બચાવવા માટે ચાલી રહ્યું છે કંઈક આવું કેમ્પેઇન

સુશાંતસિંહ રાજપૂતના મોત પાછળ ઘણાં પાસાઓ સામે આવ્યા હતાં અને તે અંગે હવે તપાસ ચાલી રહી છે. બોલિવૂડમાં તેની સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો તેને પણ સુશાંતનાં મોત પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. સુશાંત આ કારણે ડિપ્રેશનમાં હતો અને આત્મહત્યા કરી લીધી તેવું માનવામાં આવી રહ્યું છે. હાલમાં ફરી એકવખત એક એક્ટર સાથે આવો જ વ્યવહાર થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે. બોલિવૂડ બાદ હવે ટોલિવૂડ માંથી આવા સમાચાર આવ્યા છે.

image source

મળતી માહિતી મુજબ દેવો કે દેવ કે દેવ મહાદેવ સિરિયલમાં શંકર ભગવાનની ભૂમિકા નિભાવનાર એક્ટર મોહિત રૈના પણ આ રીતે ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. આ એક્ટર મહાદેવ સિરિયલમાં કામ કર્યા બાદ ઘણો લોકપ્રિય બન્યો છે. સામાન્ય રીતે મોહિત રૈના નામ સાંભળતા જ હવે લોકોનાં મનમાં તેનું મહાદેવનું રૂપ ઉપસી આવે છે. આ સિવાય મોહિત વિક્કી કૌશલ સાથે ઉરી ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. પોતાની એક્ટિંગ દ્વારા તેણે ઘણા ચાહકોના દિલમાં પોતાનું આગવું સ્થાન પણ બનાવ્યું છે.

image source

જાણવા મળ્યું છે કે હાલમાં મોહિત એક્ટ્રેસ ડાયના પેન્ટી સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ સિવાય તે નિખિલ અડવાણીની એક ફિલ્મમાં જોવા મળવાની વાત સામે આવી છે. પરંતુ તાજેતરમાં મોહિત પોતાની એક્ટિંગના લીધે નહીં બીજા કારણોથી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલા મોહિતે સારા શર્મા નામની મહિલા સહિત, પ્રવીણ શર્મા, મિથિલેશ તિવારી, આશિવ શર્મા નામના ચાર લોકો વિરુધ્ધ મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં આઇપીસી 384 હેઠળ FIR નોંધાવી છે અને #MohitBacaho નામે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન પણ ઘણું વેગ પકડી રહ્યું છે.

image source

આ વિશે વિગતે વાત કરવામાં આવે તો સારા શર્મા એક એક્ટર છે અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં નાનું મોટું કામ કર્યું છે. જાણવા મળ્યું છે કે તે મોહિત શર્માની ચાહક પણ છે. થોડા દિવસ પહેલા તેણે #MohitBacaho નામે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કર્યું જે પછી આ આખો મામલો સામે આવ્યો છે. સારાએ આ અંગે લખ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતની જેમ મોહિત પણ આતમહત્યા કરવાનું વિચારી રહ્યો છે. આ ઘટના બાદ મોહિત અને તેના પરિવારે તેના અને બીજા ત્રણ લોકો વિરુદ્ધ અફવા ફેલાવવા બદલ ફરિયાદ કરી છે.

image source

જ્યારે આ અંગે તેનાં પરિવાર સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે મોહિત એકદમ ફિટ અને ફાઇન છે અને તે કોઈ પણ પ્રકારની ચિંતા કરી રહ્યા નથી. આ ઘટના બાદ કોર્ટે આ અંગે આરોપીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાના આદેશ આપી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Mohit Raina (@merainna)

આ ઘટના બાદ મોહિતે તેના ચાહકો માટે એક મેસજ પણ લખ્યો હતો. સુશાંતસિંહ જેમ હવે કોઈ એક્ટર આ રીતે આત્મહત્યાં ન કરે તે માટે હવે કોર્ટ દ્વારા વહેલી તકે આ અંગે સચોટ તપાસ કરવા કહેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong