આજે થશે સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર, બિહારથી પિતા સહિત ચાર અન્ય લોકો આવશે મુંબઈ
બોલિવુડમાં ધોની ફિલ્મ પછી પોતાનું અલગ સ્થાન બનાવી ચુકેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના કાલે ઘટી હતી. સુશાંત સિંહની લાશ એમના બાંદ્રા સ્થિત ઘરમાંથી ફાંસી લગાવેલી સ્થિતિમાં મળી હતી.
જો કે પોલીસ હજુ પણ ઘટના સ્થળે રહીને તપાસ કરી રહી છે. આવા સમયે સુશાંત સિંહના આમ ઓચિતા નિધનથી બોલીવુડમાં આશ્ચર્ય અને શોકની લાગણી જોવા મળી રહી છે. અનેક લોકોએ એમને પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપી છે.
બોલિવુડ અને રાજનૈતિક લોકોમાં પણ આશ્ચર્ય
ઉલ્લેખનીય છે કે મૂળ બિહારના રહેવાસી બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના એમના ઘરમાં આત્મહત્યા કરી લીધી. આવી ઓચિંતી ઘટનાથી તેમના ચાહકો જ નહી બોલિવુડ અને રાજનૈતિક લોકોમાં પણ આશ્ચર્ય વ્યાપી રહ્યું છું. સુશાંત સિંહના આજે મુંબઈમાં જ અંતિમ સંસ્કાર થશે. આ જાણકારી પણ સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નિશાંત જૈને આપી છે.
એમના અંતિમ સંસ્કારમાં જોડાવા માટે આજે 11.20 કલાકની ફ્લાઈટથી તેમના પિતા, ધારાસભ્ય નીરજ બબલૂ સાથે બે અન્ય લોકો પણ મુંબઈ આવી જશે. આ સમયે સેન્ટ કરેન્સ હાઈ સ્કૂલના શિક્ષક પ્રભાકર પ્રસાદે આ બાબતે જણાવ્યું હતું કે, સુશાંત એક મેઘાવી વિદ્યાર્થી હતા અને રેગ્યુલર ક્લાસ પણ એટન્ટ કરતા હતા.
સુશંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ થશે.
Bihar: People gather outside #SushantSinghRajput‘s residence in Patna, where his family resides.
The actor committed suicide in Mumbai today. pic.twitter.com/3ofsOKTcd4
— ANI (@ANI) June 14, 2020
બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આજના દિવસે અંતિમ સંસ્કાર મુંબઈ એટલે કે એમની કર્મભૂમિ પર જ થશે. આ સંસ્કાર વિધિમાં જોડાવા પટનાથી પિતા કેકે સિંહ અને પિતરાઈ ભાઈ તેમજ સુપૌલથી બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબૂલ સાથે અન્ય બે લોકો પણ આજે સવારે 11.20 કલાકની ફ્લાઈટમાં મુંબઈ આવી પહોચશે. આપને જણાવી દઈએ કે સુશાંતની માતાનું નિધન 2002માં હતું. એમના પરિવારમાં પિતા અને ચાર બહેન છે. જેમાંથી એક મિતુ સિંહ એ રાજ્ય સ્તરની ક્રિકેટ ખેલાડી છે.
મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જાહેર થશે
સુશાંત સિંહ રાજપૂત દ્વારા રહસ્યમય રીતે પોતાના આવાસ પર ફાંસી લગાવ્યા બાદ, એમને ડો. આરએન કપૂર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. કોરોના પરીક્ષણ કરીને ત્યાંથી એમના શરીરને પોસ્ટમાર્ટમ રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારની સુસાઈડ નોટ મળી નથી.
મુંબઈના ડીસીપી ઝોન-9 અભિષેક ત્રિમુખે એએનઆઈને જણાવ્યું કે, પોલીસ પોસ્ટમાર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ એમની મોતનું મૂળ કારણ જણાવી શકશે. આ સાથે જ આજે એમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે.
ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી
જો કે સુશાંત સિંહ રાજપૂતની બહેને આ અંગે કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની ન હોવા વિશે જણાવ્યું હતું. જો કે તેમ છતાં પોલીસ તપાસને આર્થિક સાથે પર્સનલ મુશ્કેલીને ધ્યાનમાં લઈ કરી રહી છે.
જો કે આ અંગે પોલીસ સુશાંતના ડોક્ટર સાથે પણ વાત કરશે, જે છેલ્લા 5-6 મહિનાથી એમના ડિપ્રેશનની સારવાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી.
ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા
મુંબઈ પોલીસના સૂત્રો મુજબ, સુશાંતે જ્યારે આત્મહત્યા કરી, ત્યારે એમના ઘરમાં ચાર લોકો હાજર હતા. જેમાંથી બે કૂક, મેડ અને એક મિત્ર હતો. સુશાંત પોતાના બેડરૂમમાં એકલો હતો. જો કે લાંબા સમય સુધી જ્યારે તે બહાર ન આવ્યો, તો આ ત્રણ લોકોએ ચાવી બનાવનારને બોલાવીને દરવાજો ખોલ્યો હતો અને તરત જ ડોક્ટર અને પોલીસને સૂચના આપી હતી.
સુશાંત સિંહ રાજપૂતના ઘરે જ્યારે તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ ઘરમાંથી એક પોલીથીન લઈને બહાર નીકળી હતી. આ પોલીથિનમાં કેટલીક દવાઓ અને મહત્વના સુરાગ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતને અનેક સેલેબ્રેટીએ શ્રદ્ધાંજલિ આપી હતી
He loved me so much…I will miss him so much. His energy, enthusiasm and his full happy smile. May Allah bless his soul and my condolences to his near and dear ones. This is extremely sad….and so shocking!! pic.twitter.com/skIhYEQxeO
— Shah Rukh Khan (@iamsrk) June 14, 2020
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાની ટ્વીટમાં કહ્યું કે, તેણે મને ખૂબ પ્રેમ કર્યો છે. હું તેને ખૂબ જ યાદ કરીશ. તેની એનર્જી, ઉત્સાહ અને તેની મુસ્કાન. અલ્લાહ તેના આત્માને શાંતી આપે. મારી સંવેદના તેના પરિવાર સાથે છે. આ ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર છે.
Sushant 💔 💔 you said we would play tennis together one day .. you were so full of life and laughs .. spreading smiles everywhere you went.. we didn’t even know you were hurting this bad 😞 the world will miss you .. shaking while I write this .. RIP my friend
— Sania Mirza (@MirzaSania) June 14, 2020
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ લખ્યું હતું કે, સુશાંત તે જ તો કહ્યું હતું કે, આપણે બંને એક દિવસ સાથે ટેનિસ રમીશુ. તુ તો એકદમ ખુશ મિજાજી હતો, અને જ્યાં પણ જાય ત્યાં ખુશી જ ફેલાવતો. અમને તો બિલકુલ અંદાજ પણ ન થયો કે, તુ અંદરથી કેટલો દુખી હોઈશ. આ દુનિયા તને મિસ કરશે. તારી આત્માને શાંતી મળે મારા દોસ્ત.
Sushant Singh Rajput ke aatmhatya ki khabar sunkar mujhe bada dhakka laga.Hamari kabhi mulaaqaat nahi hui thi magar unhone Dhoni film main aisa sundar abhinay kiya tha ki main kabhi bhul nahi sakti.Main unko shraddhanjali arpan karti hun. Ishwar unki aatma ko shanti pradan kare.
— Lata Mangeshkar (@mangeshkarlata) June 14, 2020
લતા મંગેશકરે પણ પોતાની ટ્વીટમાં સુશાંતને સંબોધીને લખ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને મને મોટો આઘાત લાગ્યો છે. અમારી ક્યારેય મુલાકાત નથી થઈ પણ ધોની ફિલ્મમાં એમણે જે સુંદર અભિનય કર્યો છે તેને હું ક્યારેય ભૂલી શકીશ નહિ. હું તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરૂ છુ. ઈશ્વર એમની આત્માને શાંતી આપે.
In an industry deeply ruled by Nepotism, it takes tremendous amount of hard work n talent to make a mark like you did..Such a pity you decided to make an exit so soon. Rest in peace 🙏🏼#ripsushant #tragic #SushantSinghRajput pic.twitter.com/Slyi60BE0W
— Urmila Matondkar (@UrmilaMatondkar) June 14, 2020
અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે લખ્યું હતું કે, ‘બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહેનત અને ટેલેન્ટ જોઈએ છે. અને તમે તો તમારી સારી જગ્યા બનાવી હતી. ખૂબ જ દુખ છે કે, તમે આ દુનિયા આમ ઘણી વહેલી છોડીને જતા રહ્યા.
એક્ટ્રેસ પ્રાંચિ દેસાઈએ આ ઘટના પર લખ્યું હતું કે, ‘બસ કોઈ કહી દે કે આ એક ખરાબ સપનુ છે.’
રાજનેતાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અપાવામાં આવી
Sushant Singh Rajput…a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 14, 2020
આ સમાચારથી અત્યારે જ્યારે આખાય બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આપણા દેશના વડાપ્રધાને પણ સુશાંત સિંહના આ પ્રકારે થયેલ મૃત્યુ પર શોક જતાવતાં ટ્વીટ કરી હતી કે, ‘સુશાંત સિંહ રાજપૂત એક ઉજ્જવલ યુવા અભિનેતા ખૂબ વહેલા જતા રહ્યા. તેમણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું. મનોરંજનની દુનિયામાં તેમના ઉદયે ગણા લોકોને પ્રેરિત કર્યા અને પોતાની પાછળ પોતાની યાદગાર પરફોર્મેન્સ છોડી ગયા. તેમના નિધનથી સ્તબ્ધ. મારી દુઆ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.’
સુશાંતના મૃત્યુ પર કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણવ્યું હતું કે, ‘ સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે સાંભળીને મને દુખ થયું છે. એક યુવા અને પ્રતિભાશાળી અભિનેતા, ખૂબ જ વહેલા દુનિયા છોડી ગયા. તેમના પરિવાર, મિત્રો અને દુનિયાભરમાં રહેલા તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ