હિંદૂ ધર્મમાં રવિવારને ભગવાન સૂર્યને સમર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમની પૂજાથી થતાં લાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્ય દેવની પૂજાથી સમાજમાં વ્યક્તિનું માન-સન્માન વધે છે અને સાથે તે સફળતા અને યશ પ્રાપ્ત કરે છે. સૂર્યની પૂજા કરવાથી કુંડળીના સૂર્ય સંબંધિત દોષ પણ દૂર થાય છે અને અનેક કષ્ટનું નિરાકરણ આવે છે.
રવિવાર આમ તો આરામ કરવાનો દિવસ હોય છે પરંતુ આ દિવસે અચૂક સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ. શક્ય હોય તો સ્નાન કરી મંદિર જવું અને ત્યાંના પવિત્ર વાતાવરણમાં ભગવાન સૂર્યને જળ ચઢાવવું. સૂર્ય દેવને જે જળ ચઢાવો તેમાં લાલ ફૂલ, ચંદન અને થોડા ચોખા ઉમેરી દેવા.
જો દાંપત્યજીવનમાં સમસ્યાઓ રહેતી હોય તો સૂર્યદેવને ચઢાવવાના જળમાં ગોળ પધરાવી દેવો. સૂર્ય દેવની પૂજા કરતી વખતે મંત્રોચ્ચાર અચૂક કરવો. અહીં કેટલાક સૂર્યમંત્ર આપવામાં આવ્યા છે તમે કોઈપણને કંઠસ્થ કરી અને તેનો જાપ કરી શકો છો.
ॐ સૂર્યાય નમ:
પ્રાત: સ્મરામિ ખલુ તત્સવિતુર્વરેળ્યમ્ રુપં હિ મળ્ડલમૃચોથ તનુર્યજૂંષિ
સામાનિ યસ્ય કિરણા: પ્રભવાબિહેતું બ્રહ્માહરાત્મકમલક્ષ્યમચિન્ત્યરુપમ્
- ॐ ખખોલ્કાય શાન્તાય કરણત્રયહેતવે
- નિવેદયામિ ચાત્માનં નમસ્તે જ્ઞાનરુપિણે
- ત્વમેવ બ્રહ્મ પરમાપો જ્યોતી રસોમૃત્તમ્
- ભૂર્ભુવ: સ્વસ્ત્યમોડ્કાર: સર્વો રુદ્ર: સનાતન:
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ