સૂરતનાં વરાછા વિસ્તારમાં આવેલા મમતા પાર્કનાં રહેવાસી ભાવનાબેન મુળજીભાઈ સવાણી(ઉ.વ.૬૨) પાડોશીને ત્યાં સત્સંગમાં ગયા હતા. જ્યાં ચાલુ ચાલુ ભજન-કિર્તન દરમિયાજ તે અચાનક જ ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલો લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મગજની અંદર ગંભીર ઈજાઓ થયેલી હોવાનું નિદાન થયું હતું.
પરિજનોએ અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવ્યું :
મૂળ ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ભોજાવદર ગામનાં રહેવાસી ભાવનાબેન મુળજીભાઈ સવાણીને સંતાનમાં બે દિકરી તેમજ એક દિકરો છે. માતાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા જ પુત્ર ભાવિક તથા પતિ મુળજીભાઈ સહિતનાં પરિજનોએ અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવતા ભાવનાબેનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કિડની,આંખો અને લીવરનું દાન કરવામાં આવ્યું:
આપણાં હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ જ્યારે કોઈના મૃત્યુ પછી તેનાં અંગોનું દાન કરવામાં આવે તો બીજા મૃત્યુની સામે લડી રહેનાર દર્દીઓને જીવવાની એક આશા બંધાય છે. અને કોઈને નવું જીવન આપવું એ જ સૌથી મોટું દાન છે. કેમકે જીવન તો કુદરતના હાથની વાત છે.
માટે જ પુષ્યશાળી આત્મા જ ભગવાનનો દરજ્જો લઈને કોઈને જીવનદાન આપી શકે છે. અત્યારના સમાજ માટે ભાવનાબહેન અને તેમનો પરિવાર ઉતમ ઉદાહરણ છે માનવતાનું. જો માનવતાની દૃષ્ટિએજોઈએ તો દરેક વ્યક્તિ આવું વિચારે તો જીવનમાં બહુ ઓછા લોકો દુખી જોવા મળશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ