આ મંદિર ઓળખાય છે દક્ષિણ ભારતના કાશી તરીકે, જાણો શું છે તેનો મહિમા
આપણે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અન્ય શિવ મંદિરોનું પણ છે. શિવજીના ભક્તો માટે તો શિવજી સામાન્ય મંદિરમાં બિરાજતા હોય તે જ્યોતિર્લિંગમાં તે ખાસ જ રહે છે.
આવું જ ખાસ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરનો મહિમા એટલો છે કે તેને દક્ષિણ ભારતના કાશી તરીકે ઓળખવામાં આવે છે.
તેલંગાણા રાજ્યાના કરીમનગર જિલ્લામાં આવેલા વેમુલવાડામાં રાજ રાજેશ્વરી મંદિર આવેલું છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટે છે. અહીં શિવરાત્રી પર લાખો ભક્તો દર્શનનો લાભ લે છે.
ક્યાં આવેલું છે વેમુલવાડા?
વેમુલવાડા તેલંગાનાના પ્રમુખ તીર્થસ્થળોમાંથી એક છે. રાજ્યની રાજધાની હૈદરાબાદથી અંદાજે 160 કિલો મીટર દૂર આવેલા કરીમનગર જિલ્લાથી 36 કિલો મીટર દૂર આવેલું છે વેમુલવાડા રાજ રાજેશ્વર સ્વામી મંદિર, આ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિથી ઘણું મહત્વનું છે.
મંદિરની પૌરાણિક કથા
ભાસ્કર ક્ષેત્ર અને હરિહરા ક્ષેત્ર નામથી પ્રચલિત આ વિસ્તારનો ઉલ્લેખ ભવિષ્યોતર પુરાણના રાજેશ્વર ખંડમાં આવે છે. અર્જુનના પ્રપૌત્ર નરેંદ્રએ એક ઋષિની હત્યા કરી હતી, જેના પાપમાંથી મુક્તિ માટે તેઓ ભટકતાં ભટકતાં આ સ્થાન પર આવ્યા હતા.
અહીંના ધર્મકુંડમાં તેણે સ્નાન કર્યું કુંડ પાસે જ એક શિવલિંગની સ્થાપના કરી અને મંત્ર જાપ શરુ કર્યા. મંત્ર જાપથી પ્રસન્ન થઈ ભગવાન શિવએ તેમને દર્શન આપ્યા અને તેના પાપમાંથી તેને મુક્ત કર્યા.
પૌરાણિક માન્યતા
પુરાણમાં જણાવ્યાનુસાર કાશી, ચિંદબરમ, શ્રીશૈલમ, કેદારેશ્વર પછી ભગવાન શિવ વેમુલવાડા પહોંચ્યા હતા. શ્રી રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં સીતારામ ચંદ્રસ્વામી, અનંત પદ્મનાભાસ્વામી, કેદાર, બાલારાજેશ્વર સ્વામી, દક્ષિણામૂર્તિ, ત્રિપુરાસુંદરી મંદિર પણ આવેલા છે. સાથે જ ગંડદીપમ, શીશ મહેલ, નાગીરેડ્ડી મંડપ અહીંના જોવા લાયક સ્થળો છે.
ધાર્મિક માન્યતા
શિવભક્તોની એવી ધારણા છે કે કામધેનૂ ગાય સાથે મંદિરની પરિક્રમા કરી તેનું મંદિરમાં દાન કરવાથી દંપતિની સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે. અહીં રાજ રાજેશ્વર સ્વામીને રાજન્ના નામથી પણ પૂજવામાં આવે છે. અહીં ભગવાન શિવની જમણી તરફ રાજરાજેશ્વર દેવી અને ડાબી તરફ લક્ષ્મી સહિત સિદ્ધિ વિનાયકની પ્રતિમા સ્થાપિત છે.
અહીં ધર્મકુંડના કિનારે ત્રણ મંડપ બનેલા છે અને વચ્ચેના મંડપ પર ધ્યાન મુદ્રામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત છે. જેની આસપાસ પાંચ શિવલિંગ છે. અહીં માત્ર શિવપંથી જ નહીં દરેક સંપ્રદાયના ભક્તો દર્શન કરવા આવે છે.
શિવરાત્રીની ઉજવણી
રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં શિવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. અહીં શિવરાત્રી પર લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં 100 અર્ચકોથી મહાલિંગર્ચન કરવામાં આવે છે.
મોડી રાત સુધી શિવજીના એકાદશ રુદ્રાભિષેક કરવામાં આવે છે. અહીં આવતા ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. રાત્રે અહીં સાંસ્કૃતિ કાર્યકમ્રોનું આયોજન કરવામાં આવે છે. દર્શન કરવા આવતા ભક્તોને ફ્રી આવાસ અને ભોજન આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ