શિયાળાની શરૂઆત થાય એટલે ત્વચાની અનેક સમસ્યાઓ થવા લાગે છે. શિયાળામાં ચહેરાની નમી લુપ્ત થઈ જાય છે અને ત્વચા ડ્રાય થવા લાગે છે.
ચહેરા ઉપરાંત હોઠ અને પગ પણ ફાટતા હોય છે. જો કે શિયાળામાં શરીરની ત્વચાને પણ કેટલીક સમસ્યાઓ નડે છે.
આ સમસ્યામાં સૌથી સામાન્ય તકલીફ છે ડ્રાય સ્કીનના કારણે આવતી ખંજવાળ અને તેના કારણે વધતો ત્વચાનો ચેપ.
શિયાળામાં આપણને ઘણી વાર ગરમ કપડા પહેરવાથી ત્વચા પર ચેપ લાગતો હોય છે. જો આ ચેપનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો તે કેટલીક વખત ગંભીર બીમારી બની શકે છે.
આ ચેપ વધુ ગંભીર બને તો તે યોનિમાર્ગ સુધી પહોંચી જાય છે. ભીના કપડા, ચુસ્ત કપડા, પરસેવો અને સાબુ લગાવ્યા બાદ તેને સાફ કરવામાં ન આવે તો ચેપ લાવી શકે છે.
આ પ્રકારના ચેપમાં લાલાશ, ફોલ્લીઓ અને સતત ખંજવાળ આવે છે.
તો આજે જાણો શિયાળામાં સાથળ પર આવતી ખંજવાળના કારણ શું હોય શકે છે અને તેની સંભાળ કેવી રીતે લેવી.
ડ્રાય સ્કિન
સુકા ત્વચા પણ જાંઘમાં ખંજવાળનું કારણ હોઈ શકે છે. શિયાળામાં ત્વચા તેનું મોઈશ્ચર ગુમાવે છે તેથી ત્વચા ડ્રાય થઈ જાય છે.
નાજુક ત્વચા પર હાર્ડ સાબુ અને અન્ય લોશનનો ઉપયોગ કરવાથી ચેપ લાગી શકે છે.
શિયાળામાં ડ્રાય ત્વચાની તકલીફ દૂર કરવા માટે અને ખંજવાળને શાંત કરવા માટે નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
ત્વચાને વધુ પડતી ખંજવાળવી નહીં, તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે અને આ ચેપ યોનિમાર્ગ સુધી આગળ વધી શકે છે.
અળાઈ
જ્યારે પરસેવાના કોષ બંધ થાય છે ત્યારે શરીરની ગરમી બહાર આવતી નથી. શરીરની ગરમીથી પરસેવો થવાને બદલે ત્વચાની નીચે અટકી જાય છે અને તેનાથી ફોલ્લીઓ થાય છે.
સાથળ જેવા ભાગમાં જ્યારે ઘર્ષણ થાય છે તો ફોલ્લીઓ તીવ્ર થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છેઆ પ્રકારની ફોલ્લીથી કમર, સાથળ, બગલ, છાતી અને ગળામાં આ પ્રકારની ખંજવાળ આવે છે.
આ સમસ્યાથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું અને કસરત કરવી. જેથી તમારા શરીરના પરસેવાના છિદ્રો સાફ રહે અને પરસેવો નીકળતો રહે.
સાથળમાં કળતર
સાથળમાં કળતર થવાને કારણે ઘણી વાર તમને ખંજવાળની સમસ્યા થઈ શકે છે. કલાકો સુધી ચુસ્ત કપડાં પહેરવાને કારણે સ્નાયુઓ દબાય છે અને જેના કારણે સાથળમાં કળતર થવા લાગે છે.
તેની પાછળનું બીજું કારણ એ પણ છે કે કેટલાક લોકોનો સાથળનો ભાગ ભારે હોય છે અને ચાલતી વખતે બંને જાંઘમાં ઘર્ષણ થાય છે અને તેના કારણે ત્વચામાં ખંજવાળ આવે છે.
સમયસર આ સમસ્યાની સારવાર કરી અને દવા કરવામાં ન આવે તો ચેપ વધુ ફેલાય છે.
આ તકલીફ હોય ત્યારે ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું, આ ઉપરાંત સાથળના ભાગે પેટ્રોલિયમ જેલી અથવા થોડું તેલ લગાડવું જેથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જાય.
ખરજવું
ખરજવું ખૂબ જ બળતરા અને ખંજવાળ ઉપજાવે છે. આ ચેપનો એક ગંભીર તબક્કો છે. તેમાં પહેલા તો ત્વચામાં બળતરા થાય છે અને બીજામાં તે ખૂબ ઝડપથી ફેલાય છે.
તેના કેટલાક લક્ષણોમાં તીવ્ર ખંજવાળ, ફોલ્લીઓનો સમાવેશ થાય છે.
ફંગલ ઈન્ફેકશન
જાંઘમાંના કોઈપણ બેક્ટેરિયાને કારણે પણ આ ચેપ લાગી શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ત્વચા ભીની રહેતી હોય ત્યારે થાય છે.
તેનાથી શરીરનું પીએચ બેલેન્સ ખરાબ થવાથી થાય છે. આ સમસ્યા હોય ત્યારે ટાઈટ કપડા પહેરવાનું ટાળવું અને ડોક્ટરની સલાહ અનુસાર દવા કરવી.
જો કે માસિક પછી પણ યુવતીઓને આ તકલીફ થતી હોય છે. આવું થાય ત્યારે પણ ડોક્ટરની સલાહ લેવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ