મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિક અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે લોકો પાસે યોગ્ય ઊંઘ લેવાનો કે યોગ્ય ભોજન લેવાનો પણ સમય નથી અને તેના કારણે લોકો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓથી પીડાય છે. જો તમે આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો પોષણયુક્ત આહાર લેવો અને યોગ્ય ઊંઘ લેવી તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તો આજે આ લેખમા અમે તમને અમુક એવા ફળો વિશે માહિતી આપીશુ કે જેનુ સેવન કરવાથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે, તો ચાલો જાણીએ.
નારંગી :
આ ફળ સ્વાદે ખાટુ હોય છે. તેમા પુષ્કળ માત્રામા વિટામીન-સી સમાવિષ્ટ હોય છે, જો તમે નિયમિત આ ફળનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
સફરજન :
આ ફળમા પુષ્કળ માત્રામા વિટામીન-એ સમાવિષ્ટ હોય છે. જો તમે આ ફળનો તમારા રોજીંદા આહારમા સમાવેશ કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને એમ પણ કહે છે ને કે “ એન એપલ અ ડે, ડોક્ટર કીપ અવે”
કેળા :
આ ફળમા પુષ્કળ માત્રામા મિનરલ્સ અને વિટામિન્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત વહેલી સવારે દૂધ સાથે કેળાનુ સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે.
આમળા :
આ ફળમા પણ પુષ્કળ માત્રામા વિટામીન-સી સમાવિષ્ટ હોય છે. આ ફળ સ્વાદે ખાતા અને તુરા પણ હોય છે. જો તમે આ ફળનુ નિયમિતપણે સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
બેરી :
આ ફળમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ અને વિટામિન્સ સમાવિષ્ટ હોય છે. જો તમે આ ફળનો તમારી ડાયટમાં સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
દાડમ :
આ ફળમા પુરતા પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે તમારા આહારમા આ ફળનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે પણ રાહત આપે છે.
નાસપતી :
આ ફળમા પુષ્કળ માત્રામા વિટામિન્સ અને મિનરલ્સ સમાવિષ્ટ હોય છે. જો તમે આ ફળનો તમારા રોજીંદા ભોજનમા સમાવેશ કરો છો તો તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત