દરેક ઋતુમાં તમારે પગની સંભાળ લેવાની જરૂર જ છે,પરંતુ શિયાળાના દિવસોમાં તમારા પગની ખાસ સંભાળ લેવી જોઈએ.કારણ કે શિયાળાનો ઠંડો પવન તમારા પગને શુષ્ક બનાવે છે અને પગની સમસ્યા પણ વધારે છે જે તમારા પગના સ્વાસ્થ્યને નુકસાન પોહચાડી શકે છે.તેથી શિયાળાની ઋતુમાં તમારા પગની સંભાળ રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.તમે તમારા પગને ઇમુ તેલથી માલિશ કરીને અથવા તેનાથી રીફ્લેક્સોલોજી દ્વારા પણ ખૂબ સારી કાળજી લઈ શકો છો.આજે અમે તમને તમારા પગની સંભાળ રાખવા માટે થોડી ટિપ્સ જણાવીશું આ ટિપ્સ અપનાવવાથી તમારા પગની દરેક સમસ્યા દૂર થશે.
પગ રીફ્લેક્સોલોજી રક્ત પરિભ્રમણને મોટા પ્રમાણમાં સુધારે છે.આ ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે અને લાંબી નસોથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે.
ઇમુ તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે,પરિણામે તે ફાટેલી પગની એડીઓની તિરાડો તરત જ ભરી દે છે અને લોહીના પરિભ્રમણને ખૂબ સુધારે છે.
જો તમારા પગ તંદુરસ્ત ન હોય અથવા જો પગના તળિયામાં તમે ખૂબ જડતા અનુભવો છો અથવા જો ડેડ ત્વચા બનતી રહે છે તો પેડિક્યુર અને રિફ્લેક્સોલોજી બંને એક સાથે કરાવવું જોઈએ.
પગની મસાજ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ વધી જાય છે અને સ્નાયુઓ ખૂબ હળવા થાય છે.
ઓલિવ અને બદામનું તેલ પણ સામાન્ય રીતે મસાજ માટે ઉત્તમ માનવામાં આવે છે.જો તમે ઈચ્છો તો તમે મસાજ માટે વાપરવામાં આવતી થોડી કોમળ ક્રીમ પણ લગાડી શકો છો.મસાજ કર્યા પછી મોજાં પહેરો જેથી પગ મોસ્ચ્યુરાઇઝ રહે.
શિયાળા દરમિયાન તમારા પગ સુકા અને ખરબચડા થાય છે.તમારા પગમાંથી ત્વચાના મૃત કોષો,અશુદ્ધિઓ અને કડકતાને દૂર કરવા માટે તમારા પગ પર સારી રીતે સ્ક્રબ કરો.સ્ક્રબના જાડા કણો પગની દરેક અશુદ્ધિઓ દૂર કરીને તમારા પગ એકદમ કોમળ અને મુલાયમ બનાવે છે.તમારા પગની દરેક સમસ્યા દૂર કરવા માટે તમારે અઠવાડિયામાં એક વાર સ્ક્રબ કરાવવું જ જોઈએ.
શિયાળાની ઋતુમાં તમારા પગને કોમળ રાખવા માટે મોજા પહેરવા એ શ્રેષ્ઠ ઉપાય છે.કારણ કે મોજા પહેરવાથી તમારા પગ ખૂબ ઢંકાઈ જાય છે,ત્યારે તમારા પગને સુરક્ષિત કરનારા મોજાં પસંદ કરો.સુતરાઉ જેવી કુદરતી સામગ્રીના મોજા પહેરો અને કૃત્રિમ મોજાં પહેરવાનું ટાળો
ગરમ પાણી તમારા પગની સમસ્યાઓ દૂર કરી શકે છે. આ માટે તમારા પગને 5-10 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળો. પછી તમારા પગ બહાર કાઢો અને તમારા પગમાં મોસ્ચ્યુરાઇઝર લગાવો.આ ઉપાય અજમાવવાથી શિયાળાની ઋતુમાં પણ તમારા પગ કોમળ અને મુલાયમ રહેશે.
પગને સ્ક્રબ કરીને ધોવાથી પગમાં તાજગી અનુભવાય છે.આ માટે નવશેકા પાણીમાં થોડા ટીપાં મધ નાખો અને તેમાં 2-3 લીંબુનો રસ કાઢો.આ મિક્ષણમાં તમારા પગને થોડા સમય માટે પલાળો.આ સિવાય જો તમે ઇચ્છો તો તમે લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પણ પગની મસાજ કરી શકો છો.પગને સ્વચ્છ અને સુંદર રાખવામાં આ ઉપાય ખુબ ફાયદાકારક રહેશે.
એવા ઘણા લોકો હોય છે જેમના પગમાં દુર્ગંધ આવે છે.પગ ગમે તેટલા સુંદર હોય પણ જો તેમાંથી દુર્ગંધ આવે તો કોઈ વ્યક્તિ તે વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરશે નહીં.તમારી આ સમસ્યા દૂર કરવા માટે વાસણમાં ગરમ પાણી લો અને તેમાં બે થી ત્રણ લીંબુ નાંખો.ત્યારબાદ તેમાં કોઈપણ તેલના થોડા ટીપાં ઉમેરી તમારા પગને આ પાણીમાં પલાળી રાખો.નિયમિતપણે આ ઉપાય કરવાથી તમારા પગની દુર્ગંધ તો દૂર થશે જ,સાથે પગ પણ નરમ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ