શિલ્પા શીંદેથી લઈને સુનિલ ગ્રોવર સુધી, જ્યારે ટીવીના આ ફેમસ કલાકારો ચાલુ શો છોડીને રહ્યા ચર્ચામાં.

ટીવીના ઘણા ફેમસ સેલિબ્રિટી એવા છે જે સિરિયલ્સમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કરે છે. પોતાના પાત્રને લઈને ઘર ઘરમાં જાણીતા બનેલા ટીવી કલાકારો પોતાના દર્શકો સાથે ઇમોશનલ બોન્ડ શેર કરે છે. એવામાં જો કોઈ મનગમતો એકટર ચાલુ ટીવી શો છોડીને જતા રહે તો એનાથી દર્શકોનું દિલ તૂટી જાય એ સ્વાભાવિક છે. તો ચાલો આજે જાણી લઈએ એવા કલાકારો વિશે જેઓ ચાલુ શો છોડીને ચર્ચામાં રહ્યા.

શિલ્પા શિંદે.

image source

ભાભીજી ઘર પર હે શોને અચાનક છોડી શિલ્પા શિંદે ચચમાં આવી ગઈ હતી. એક્ટ્રેસે નિર્માતાઓ પર એમને માનસિક રીતે હેરાન કરવા અને પેમેન્ટ ન વધારવા સહિત કો એક્ટ્રેસ સૌમ્યા ટંડનને વધુ મહત્વ આપવાનો આરોપ લગાવ્યો હતો. શિલ્પા શીંદેના આ આરોપો પછી નિર્માતાઓએ એમને કાયદાકીય નોટિસ આપી હતી પછી શિલ્પા શિંદેની જગ્યાએ શુભાંગી અત્રેને અંગૂરી ભાભીના પાત્ર માટે રિપ્લેસ કરી દીધી‘

અનુષ્કા સેન.

image source

એક્ટ્રેસ અનુષ્કા સેને શો અપના ટાઈમ ભી આયેગામાં રાની નામનું પાત્ર ભજવ્યું હતું. જો કે 18 એપિસોડ પછી એમને શો છોડવાની ખબર સામે આવવા લાગી. અનુષ્કાએ કહ્યું કે સ્વાસ્થ્ય કારણોસર એમને શો છોડવો પડ્યો જ્યારે નિર્માતાઓએ અનુષ્કાના અનપ્રોફેશનલ હોવાને એ માટે જવાબદાર ઠેરવ્યું.

સુનિલ ગ્રોવર.

image source

સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે ફ્લાઈટમાં થયેલા વિવાદ ઘણી ચર્ચામાં રહ્યો જેના કારણે સુનિલ ગ્રોવરે ધ કપિલ શર્મા શો છોડી દીધો હતો. ચાલુ શોમાંથી બહાર જવાના કારણે સુનિલના ફેન્સ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. જો કે સુનિલ ગ્રોવરના શોમાં પરત ફરવાની અફવાઓ સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી રહે છે પણ એ શોમાં પરત ફર્યા નથી.

ઋત્વિક અરોડા.

image source

યે રિશ્તે હે પ્યાર કે માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એકટર ઋતુવિક અરોડા કોવિડ 19 લોકડાઉન પછી શૂટિંગ પર પરત નથી ફરતા. નિર્માતા રાજન શાહીએ દાવો કર્યો છે કે ઋત્વિકે પેમેન્ટમાં વધારાની માંગ કરી. એ સાથે જ એક્ટરને અનપ્રોફેશનલ પણ કહ્યા. જો કે ઋત્વિકે કહ્યું કે એમના પરિવારજનો મહામારીના કારણે એમના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં હતા.‘

કરણ સિંહ ગ્રોવર.

image source

ટીવીના જાણીતા એકટર કરણ સિંહ ગ્રોવરે કબૂલ હેમા અસદનું પાત્ર ભજવીને લોકોનું દિલ જીતી લીધું. એવામાં જ્યારે એમને ચાલુ શોને છોડી દીધો તો ફેન્સ ઘણા જ હેરાન થઈ ગયા. જો લે એક્ટરે દાવો કર્યો કે શો છોડવાનો નિર્ણય એમનો હતો પણ નિર્માતાઓએ એમને અનપ્રોફેશનલ જણાવ્યા અને એમના પર સેટ પર નખરા કરવાનો આરોપ લગાવ્યો.

સોનારીકા ભદોરીયા

image source

ટીવીની પૌરાણિક સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં મૌની રોયની જગ્યા સોનારીકા ભદોરીયાને રિપ્લેસ કરવામાં આવી હતી પણ નિર્માતા સેટ પર સોનારીકાના નખરા અને અનપ્રોફેશનલ વર્તનથી હેરાન થઈ ગયા હતા. જો કે પાર્વતીનું પાત્ર ભજવનારી સોનારીકાએ અચાનક શો છોડી દીધો એટલે એમના ફેન્સ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!