શનિદેવને ખુશ કરવા કરો આ ઉપાય, જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

શનીદેવની શાંતિ માટે શનિવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. જે લોકોની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ રહેલી હોય તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવ્યા કરે છે આનાથી તમારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાય કરવા જોઈએ. આ દિવસે તમારે શનિદેવની પુજા કરવી જોઈએ તેનાથી તમારા જીવનમાં આવનારી બધી સમસ્યા દૂર થશે અને તમારા પર શનિદેવ તેમની કુદ્રષ્ટિ પણ નહીં વરસાવે.

image source

તેના માટે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ તેના માટે તમારે આ દિવસે નજીકના શનિદેવના મંદિરમાં જવું અને સાજના શનિમહારની પુજા કરવી જોઈએ. તેમાં તેમણે સરસવનું તેલ ચડાવવું જોઈએ. શનિવારે આ શનિ દેવને લગતી વસ્તુનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમારે શનિ મહારાજને કાળા, કંબલ, કાળી છત્રી, કાળા અડદની દાળ વગેરે જેવી વસ્તુનું દાન કરવું જોઈએ તેનાથી શનિદેવ તમારા પર પ્રસન્ન રહે છે તેનાથી તમને ઘણા શુભ પરિણામ મળી શકે છે.

શનિ ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે :

image source

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ મહારજને ન્યાયના દેવતા કહેવામા આવે છે તે લોકોને તેના કર્મના આધારે તેનું પરિણામ આપે છે જ્યારે મનુષ્યે તેના જીવનમાં ખરાબ કર્મ કરેલા હશે ત્યારે તે તેને ખરાબ કર્મ આપે છે અને જ્યારે વ્યક્તિએ સારા કર્મ કરેલા હશે ત્યારે તેને સારુ ફળ આપે છે. તેથી તેને ન્યાયના દેવતા કહેવામા આવે છે. જ્યારે વ્યક્તિ ખોટા કામ કરે છે ત્યારે શનિદેવ તેના પર ક્રોધિત થાય છે અને તેના જીવનમાં ઘણી સમસ્યાઓ વધારી દે છે ત્યારે આપણે તેની કુદ્રષ્ટિનો સામનો કરવો પડે છે.

શનિની અશુભ અસર :

image source

જ્યારે આપની કુંડળીમાં શનિ મહારાજ અશુભ સ્થાને હોય ત્યારે આપના જીવનમા ઘણી સમસ્યાઓ આવવા લાગે છે અને તેનાથી આપણે ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. આના કારણે આપણને ધંધામાં પણ ઘણું નુકશાન થવા લાગે છે. આનાથી તમારી આર્થિક સ્થિતિ નબડી પડી જાય છે અને તેનાથી આપણે દેવાદાર પણ બની શકીએ છીએ. ઘણી વાર તેને કોઈ ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેના કામમાં કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલતો હોય તો તેને જટિલ બનાવે છે. તમારા વિવાહિત જીવનમાં પણ ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય :

image source

જ્યારે શનિ મહારાજ તેમની કુદ્રષ્ટિ આપના પર વરસાવે છે ત્યારે આપણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી તમારે કેટલાક એવા ઉપાય કરવા જોઈએ જેનાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થાય અને તેમનું સારે દ્રષ્ટિ તમારા પર રાખે. તેથી તમારે ખાસ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના માટે તમારે ક્યારેય પણ કોઈ ખોટું કામ ન કરવું જોઈએ. આ સિવાય તમારે તમારા જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી જોઈએ અને બધાને મહેનત કરવાનું કહેવું જોઈએ.

image source

તમારે સફળ થવા માટે કોઈ ખરાબ રસ્તો ન અપનાવવો જોઈએ. તમારે વડીલોનો આદર કરવો જોઈએ. તમારે હમેશા તમારાથી કમજોર લોકોની મદદ કરવી જોઈએ. આનાથી શનીદેવ તમારા પર ખુશ થશે અને તમારા પર તેમની કૃપા વરસાવશે. તમારે તમારાથી નબડા અને જરૂરિયાત વાળા લોકોને મદદ કરવી જોઈએ અને દાન કરવું તેનાથી પણ શનિ મહારાજ ખુશ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ