આખરે કેમ નંબર 7ને લકી માનવામાં આવે છે, આ છે જવાબ
તમે બધાએ જોયું હશે કે, નંબર 7 હંમેશા લકી માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવુ વિચાર્યું છે કે, નંબર 7ને જ કેમ લકી માનવામાં આવે છે. આજે અમે તમને આ નંબર પાછળનું શાસ્ત્ર જણાવીશું, આખરે કેમ આટલા બધા નંબરમાં માત્ર આ જ નંબરને મહત્વનો માનવામાં આવે છે.
અનેકવાર એવું જોવાયું છે કે, નંબર 7ને લોકો લકી નંબર માને છે. તો કેટલાક તેમની જન્મતિથી કે તારીખને શુભ નંબર માને છે. તો તમને બતાવી દઈએ કે, અંક શાસ્ત્રમાં આ નંબરને લકી માનવામાં આવ્યો છે. અનેક શુભ કામમાં આ અંકનો ઉપયોગ કરવામાં આવે છે. પંરતુ આખરે કેમ તેને આટલું મહત્ત્વ આપવામાં આવે છે તે જાણીએ.
અંકશાસ્ત્રની માનીએ તો કોઈ વ્યક્તિને એક જ અંક દરેક જગ્યાએ વારંવાર દેખાય તો તેને માત્ર નસીબ જ નહિ, પરંતુ મહત્ત્વકાંક્ષી અંક માનવામાં આવે છે. કોઈ કારણોસર એક જ અંકનું દેખાવું વ્યક્તિને તેના ભવિષ્ય વિશે સંકેત આપે છે. જેને હંમેશા આપણે બેધ્યાન કરીએ છીએ, આવુ કરવાથી નુકશાન તો આપણું જ થસે.
અંકશાસ્ત્રનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ એ સંકેતનો ન સમજી શકે, તો તેની સાથે ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે. જો તમને વારંવાર 7 નંબર દેખાઈ રહ્યો છે, તો તેનો મતલબ એ છે કે, તમે તમારા લક્ષ્યને મેળવવા માટે જે રસ્તા પર ચાલી રહ્યા છો, તો એકદમ સાચી છે. પરંતુ અનેકવાર લોકો તેને સમજી શકતા નથી અને પોતાનો રસ્તો બદલીને પોતાનું જ નુકશાન કરી બેસે છે.
જો તમે કોઈ કાર્ય કરી રહ્યા છો અને નંબર 7 તમારી સામે આવે છે, તો તે તમારી સફળતાના સંકેત છે. તેથી તમે આ વાતને બેધ્યાન ન કરશો. જે કામ તરફ આગળ વધી રહ્યા છો, તે જલ્દી પૂરુ થઈ જશે.
આ ઉપરાંત જો તમને નંબર 777 દેખાઈ રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે, તમારી સાથે કોઈ દૈવીય શક્તિ છે. જે દરેક પગલે તમારી મદદ કરવા તૈયાર છે. આપણા પૂર્વજો આ તમામ વાતોને મહત્ત્વ આપતા આવ્યા છે. એટલું જ નહિ, આ અંક માત્ર હિન્દુ ધર્મમાં જ નહિ, પરંતુ ઈસ્લામમાં પણ મહત્ત્વનો માનવામાં આવે છે. તેમના લકી 786 નંબરની શરૂઆત 7થી થાય છે.
આ અંકની પાછળ દૈવી શક્તિઓ છુપાયેલી હોય છે. કહેવાય છે કે, આ અંક તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ અંકનો ઉલ્લેખ હોલી બાઈબલમાં પણ કરાયો છે. જેના અનુસાર, આ અંક બહુ જ લકી માનવામાં આવે છે. બાઈબલમાં લખાયુ છે કે, ભગવાને દુનિયા માત્ર 6 દિવસોમાં બનાવી હતી, જેના બાદ સાતમા દિવસે આરામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત બાઈબલમાં નંબર 7ને પરફેક્શન અને કમ્પ્લીશનનો સંકેત બતાવવામાં આવ્યો છે.
આમ, નંબર 7નો લગભગ દુનિયાના દરેક ધર્મમાં ઉલ્લેખ કરાયો છો, અને તેને લકી બતાવવામાં આવ્યો છે.
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ