SBIનું એલર્ટ, ખાતેદારોને આ કામ ન કરવાની આપી સૂચના, નહીં તો એકાઉન્ટ થશે ખાલી

દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતેદારોને માટે એક એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બેંકે ગ્રાહકોને ખાસ સૂચના આપી છે. SBIએ તેમના કરોડો ગ્રાહકોને યૂપીઆઈ ફ્રોડને લઈને એલર્ટ કર્યા છે. તેઓએ ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી છે. SBIએ કહ્યું છે કે જો તમે યૂપીઆઈની મદદથી એકાઉન્ટથી રૂપિયા ડેબિટ થયાનો કોઈ પણ મેસેજ મળે છે તો એલર્ટ થવાની જરૂર છે. સૌથી પહેલાં તો તમારે યૂપીઆઈ સર્વિસ બંધ કરી દેવાની જરૂર છે. આ સાથે એલર્ટ જાહેર કરીને SBIએ કહ્યું કે અહીં કેટલાક ઉપાયો આપ્યા છે તેનું ધ્યાન રાખો.

જાણો બેંકે શું કહ્યું છે

image soucre

SBIએ યૂપીઆઈની સેવા બંધ કરવા માટેની જાણકારી પણ શેર કરી છે. બેંકે કહ્યું કે યૂપીઆઈ સેવા બંધ કરવા માટે ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800111109 પર ફોન કરી શકે છે. આ સિવાય આઈવીઆઈર નંબર 1800-425-3800 / 1800-11-2211 પર પણ ફોન કરી શકે છે. આ સિવાય તેઓ https://cms.onlinesbi.sbi.com/cms/ પર લોગઈન કરીને પણ ફરિયાદ કરી શકે છે. સાથે જ 9223008333 પર મેસેજ પણ મોકલીને ફરિયાદ કરી શકે છે.

બેંક સમયાંતર આપે છે એલર્ટ

sbi alert
image soucre

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોની સુરક્ષા માટે અવારનવાર એલર્ટ આપે છે. એસબીઆઈનો હેતુ ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રાખવાનો છે. બેંક પોતાના ટ્વિટર હેન્ડલ અને એસએમએસની મદદથી ગ્રાહકોને એલર્ટ મોકલે છે.

સતત વધી રહ્યા છે બેંકિંગ ફ્રોડના કેસ

image soucre

ઉલ્લેખીય છે કે બેંકિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર ડિજિટલ લેન દેનના કારણે વર્ષ 2018-19માં 71543 કરોડ રૂપિયાનું ફ્રોડ થયુ છે અને આ સમયે બેંક ફ્રોડના 6800થી વધારે કેસ આવ્યા છે. 20217-18માં બેંક ફ્રોડના 5916 કેસ આવ્યા હતા તેમાંથી 41167 કરોડથી વધારેની દગાખોરી થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ