ભારતની સૌથી મોટી બેન્ક એટલે એસબીઆઇએ ખાતાધારકોને મોટો ઝટકો આપ્યો છે.
એસબીઆઇએ સતત નવમી વાર ૨૦૧૯-૨૦ માટે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં ઘટાડાનું એલાન કર્યું છે. તેમજ આની સાથે એફડી પર મળનાર વ્યાજમાં પણ ઘટાડો કર્યો છે.
એસબીઆઇનો ગ્રાહકોને ઝટકો
MCLRમાં કર્યો ઘટાડો
એફડી પર મળતા વ્યાજમાં પણ ઘટાડો.
હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે.
સસ્તી થશે હોમ લોન અને ઓટો લોન:
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇએ MCLRમાં ઘટાડો કર્યો છે. MCLRમાં ૫ બીપીએસનો ઘટાડો કરાયો છે. આ પછી વાર્ષિક ૭.૯૦% ઘટીને ૭.૮૫% કર્યો છે. આ ઘટાડો ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી લાગુ કરવામાં આવશે. આ ઘટાડો થવાથી ગ્રાહકોને એ ફાયદો થશે કે હવે તેઓને હોમ લોન અને ઓટો લોન સસ્તી મળી શકશે.
આરબીઆઇ દ્વારા કરાયું હતું એલાન:
જોવા જેવી વાત છેકે એસબીઆઇના રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. રેપો રેટ ૫.૧૫% જ રાખવામાં આવ્યો છે. એસબીઆઇ દ્વારા MCLRમાં ઘટાડો કરાયો છે. ગુરુવારે કેન્દ્રીય બેન્કે લોનને વધારવાનું જાહેર કરાયું, એસબીઆઇએ બેન્કોને રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરવાની છૂટ આપવામાં આવી છે જે જુલાઇ ૨૦૨૦ સુધી લાગુ રહેશે.
આ બેઠકમાં એમ પણ કહેવાયું છે કે નાના અને મિડલ ક્લાસ ઉદ્યોગોને સૌથી વધારે દેવું પૂરું કરવામાં મદદ કરવામાં આવી જોઈએ. આ માટે બેંકને જરૂર પડે તો પોતાના આરક્ષિત કોષમાં કાપ મૂકી શકે છે.
ડિપોઝિટ પર ઓછું મળશે વ્યાજ:
જેમ હોમલોન અને ઓટો લોન સસ્તી થઈ છે તેમ એફડી પર પણ એસબીઆઇએ જાહેરાત કરી કે એફડીમાં પણ ૧૦ થી ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. ઉપરાંત ટર્મ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
બેન્ચમાર્કના ચાર પ્રકાર હોય છે.:
આરબીઆઇએ ચાર પ્રકારના બેન્ચ માર્ક નક્કી કર્યા છે.
૧. આરબીઆઇનો રેપોરેટ.
૨. કેન્દ્ર સરકારના ૩ વર્ષના ટ્રેઝરી બિલ યીલ્ડ.
૩. કેન્દ્ર સરકાર દ્વારા ૬ મહિનાનું ટ્રેઝરી બિલ.
૪.એફબીઆઇએલ દ્વારા કોઈ અન્ય બેન્ચમાર્ક રેટ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ