મિત્રો, આપનો દેશ એ ધાર્મિક સંસ્કૃતિ અને પુરાણો પર ચાલનાર દેશ છે. આપણા દેશમા કોઈપણ કાર્ય કરતા પૂર્વે તે ધાર્મિક રીતે કેટલુ શુભ અચે? અને કેટલુ શુભ છે? તે અંગે સૌથી પહેલા ચકાસણી કરવામા આવે છે? એ વાત પહેલા જાણવામા આવે છે કયુ કાર્ય ક્યા દિવસે અને ક્યા સમયે કરવામા આવે? તો તે શુભ માનવામા આવે છે? આજે આ લેખમા આપણે સાવરણી વિશે થોડી ચર્ચા કરીશુ. આપણે જાણીશુ કે, ક્યા દિવસે સાવરણીની ખરીદી આપણા માટે શુભ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ.
સાવરણી એ એક ઘરની એવી વસ્તુ છે કે, જેનો ઉપયોગ કરીને ઘર સાફ કરવામાં આવે છે. તે ઘાસ, ફાઇબર, પ્લાસ્ટિક અથવા શેલથી બનેલું છે અને તેનો ઉપયોગ દરેક વ્યક્તિ ઘરની સાફ-સફાઈ માટે કરે છે. જ્યારે તે ખરાબ થઇ જાય છે ત્યારેબજારમાંથી નવી સાવરણી લેવામા આવે છે.
પરંતુ, શું તમે તમને ખ્યાલ છે કે, વાસ્તુ શાસ્ત્ર મુજબ સાવરણી ખરીદવાના અનેકવિધ નિયમો છે. જો તમે કોઈપણ આડાઅવળા દિવસે સાવરણીની ખરીદી કરી લો તો તેનાથી તમારા જીવન પર ખુબ જ ખરાબ અસર પડે છે. આપણા હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે.
જો તમે ગુરુવાર અને શુક્રવારના દિવસે તમારા ઘરેથી જૂની અથવા ખરાબ ઝાડુને દૂર કરશો તો તે તમારા માટે અશુભ સાબિત થઇ શકે છે. ગુરુવારના દિવસે આ કાર્ય કરવાથી પ્રભુ શ્રી નારાયણ નારાજ થાય છે અને શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીનો દિવસ છે, જો તમે આ દિવસે આ કાર્ય કરો છો તો માતા લક્ષ્મી તમારા પર કોપાયમાન થઇ જાય છે અને ક્યારેય પણ તમારા ઘરમા વાસ નથી કરતા.
આ દિવસે ઘરમાથી સાવરણી ભૂલથી પણ ના કાઢવી જોઈએ નહીતર તમારા પર સંકટના વાદળો ઘેરાઈ જાય છે. તેના પર પગ મુકવો પણ આપણા શાસ્ત્રો મુજબ અશુભ માનવામા આવે છે. સાવરણીની ખરીદી કરવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ અત્યંત શ્રેષ્ઠ માનવામા આવે છે. આમ, કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને તમારા ઘરમા સમૃદ્ધિ પણ બની રહે છે.
આપણા શાસ્ત્રોમા એવું પણ કહેવામાં આવ્યુ છે કે, દિવસની સાથે સાથે ક્યા પક્ષમા ખરીદી કરવી એ પણ મહત્વપૂર્ણ છે. હમેંશા કૃષ્ણ પક્ષમા સાવરણી ખરીદવી અત્યંત શુભ માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, તેને ઘરની એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યા કોઈ તેને જોઈ ના શકે અને તેને પલંગની નીચે જ રાખવું જોઈએ નહી. આ ઉપરાંત સૂર્યાસ્ત પછી તેનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,