વજન ઘટાડવા માટે તમે હજારો પ્રયત્ન કરતાં હોવ છો પરંતુ તેમ છંતા વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે.તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે.વજન ઓછું કરવાં માટે મદદ કરે છે.જો તમે મોટાપાથી પરેશાન છો અને વજન ઓછુ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. ભાગમભાગ ભરેલા આ જીવનમાં લોકો પોતાના શરીર પ્રત્યે ધ્યાન રાખતા નથી. કંઈ પણ ખોરાક લે છે. જે લોકો ખાવા-પીવાના શૌખીન હોય છે તેના માટે ડાયટ કરવુ મુશ્કેલ બને છે. વજન ઘટાડવા માટે વધારેમાં વધારે પાણી પીવુ જોઈએ. કારણ કે, પાણી પીવાથી ટૉક્સિન પદાર્થ શરીરમાંથી બહાર નીકળે છે. જેનાથી તમારા મેટાબોલિઝમ વધશે અને કેલેરી ઝડપથી બર્ન થશે.
આ પાંચ વસ્તુઓના સેવનથી ઘટશે વજન
સફરજન
જો તમે સવારે ખાલી પેટ સફરજન ખાઓ છો તો વજન ઘટાડવામાં મદદ થશે. તમે સફરજનનો જયૂશ પણ પી શકો છો. કારણ કે, સફરજનમાં કેટલાક પ્રકારના એંટીઓકસીડેન્ટ હોય છે. જે તમારા વજનને ઓછુ કરવાની સાથે હેલ્દી બનાવી રાખવામાં પણ મદદ કરે છે.
દલિયા
વજન ઘટાડવામાં માટે દલિયા મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. તે ખાવામાં પણ હળવુ હોય છે. તેનાથી તમારો વજન પણ ઘટે છે.
ઈડલી
સવારના સમયે નાશ્તામાં તમે ઈડલીનું સેવન કરી શકો છો. ઈડલી-સાંભાર હળવો હોય છે. તેમાં પ્રોટીનની માત્રા ભરપુર હોય છે. વજન ઘટાડવા માટે તેનું સેવન કરવાની સલાહ આપે છે.
ગરમ પાણીમાં મઘ ભેળવીને પીઓ
ગરમ પાણીમાં મધ મીક્સ કરીને પીવાથી પણ વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. જો ખાલી પેટ તમે ગરમ પાણીમાં બે ચમચી મધ મિકસ કરીને પીવો છો તો કેટલાક સપ્તાહમાં તમારુ વજન ઓછુ થવા લાગશે.
લસણ
સવારે ઉઠીને ખાલી પેટ લસણની બે કળી ચાવવાથી અને ત્યારબાદ એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઓછુ થવા લાગે છે.
ઉપરાંત ભીંડા
આજના સમયમાં લોકોને કંઈને કંઈક બિમારીઓ રહે છે અને આ બીમારીઓમાં ડાયાબીટીસ મુખ્ય હોય છે.ભીંડા ડાયાબિટીસના દર્દીઓને ખૂબ અસર કરે છે.ભીંડામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.તેની આ ખાસિયત ના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેતું નથી અને પાચન પણ સ્વસ્થ રહે છે.તે ચરબી એકત્રિત કરતું નથી અને થોડી કસરતની મદદથી તે ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારા શરીરનું વજન ઘટાડવા મદદ કરે છે. જે લોકોને વજન ઓછું કરવું હોય તેના માટે ભીંડા ઘણા ઉપયોગી બની રહે છે.એક કપ કાપેલા ભીંડામાં માત્ર ૩૫ કેલરી હોય છે.ભીંડામા બરાબર કેલરી હોય છે.અને જે વજન ઘટાડવાની ઈચ્છા રાખવા માટે યોગ્ય પસંદગી બનાવે છે.
તેની ક્વોલિટી કારણે રસોઈ દરમિયાન તેલ અથવા અન્ય વસ્તુઓમાં ઉમેરવામાં આવતી કેલરી પણ શરીરને વધારે નુકસાન પહોંચાડતી નથી. તે જ સમયે ફાઇબર કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.જે લોકોને વજન ઓછું કરવું હોય તેમના માટે ભીંડા ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. ભીંડામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે.જો તમે એકવાર માં 65 ગ્રામ કેલેરી ખાવ છો.તો તમારી બૉડી ને 0.3 અને 1 ગ્રામ ચરબી મળે છે.એટલે કે આ શાકભાજી કેલેરી અને ચરબી ને કંટ્રોલ કરવા માટે મદદ કરે છે અને જેને ભીંડા ખવાનો શોખ હોય તેમના માટે વધારે સારું છે તમે જેટલા ભીંડા ખાશો એટલી તમારી કેલેરી અને ચરબીને કંટ્રોલ કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત