રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે EBCમાં વધુ 32 જ્ઞાતિઓનો કરી દીધો સમાવેશ, જાણો શું છે સમગ્ર માહિતી?

આ પહેલાં પણ સરકાર દ્વારા કોઈને કોઈ નિર્ણય અચાનક લેવામાં આવતાં હોય છે. ત્યારે હવે ફરીથી ગુજરાત સરકારે એક પગલું ભર્યું છે અને બધાને ચોંકાવી દીધા છે. દિવાળી પહેલાં જ રાજ્ય સરકારે એ રીતે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે હવે EBC (Economically Backward Class)માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. EBCમાં સમાવેશ કરાયેલ 32 જ્ઞાતિઓમાંથી હિંદુ ધર્મની 20 જ્ઞાતિ અને મુસ્લિમ ધર્મની 12 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ જ્ઞાતિ વિશે વિસ્તારપુર્વક વાત કરીએ તો…

  • -વાલમ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ વાણિયા
  • -ખંડેલવાલ, રાયકવાળ બ્રાહ્મણ, પુરબિયા રાજપૂત ક્ષત્રિય
  • -હિંદુ આરેઠીયા, વાવિયા, હિંદુ મહેતા
  • -જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ
  • -જોબનપુત્રા, પુષ્કર્ણા બ્રાહ્મણ, સિધ્ધરુદ્ર બ્રાહ્મણ
  • -સાંચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિત
  • -માહેશ્વરી, અગ્રવાલ, ઠક્કર, મારૂ રાજપૂત, રાવત
  • -કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન વ્હોરા પટેલ
  • -મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર
  • -મુમન, ખેડવાયા મુસ્લિમ, મુસ્લિમ ખત્રી, ચૌહાણ મુસ્લિમ
  • -મુસ્લિમ રાઉમા, મુસ્લિમ રાયમા, મીરઝા, બેગન સમાવેશ
  • -પિંઢારા, મુસ્લિમ વેપારી, શીયા જાફરી જ્ઞાતિ
image source

2018ની વાત કરીએ તો રાજ્ય સરકારના બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગની જાતિઓની યાદી જાહેર કરવામાં આવી હતી. ‘ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ દ્વારા આ યાદી રાજ્ય સરકારે બિન અનામત જ્ઞાતિઓને લાભ આપવા માટે બિન અનામત જ્ઞાતિ ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો બિન અનામત જ્ઞાતિ તરીકે સમાવેશ કરાયો છે. જેમાં હિન્દુની 42 જ્ઞાતિ, 23 મુસ્લિમ જાતિ અને અને બિન ધર્મીય 3 જાતિઓનો સમાવેશ કરાયો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવા અંગેનો આ પરિપત્ર 6 ડિસેમ્બર, 2018ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.

બિનઅનામત હિન્દુ જાતિઓઃ

(1) બ્રાહ્મણ, (2)નાગર બ્રાહ્મણ, નાગર, (3) વળાદરા બ્રાહ્મણ, (4) અનાવિલ બ્રાહ્મણ, (5) ઔદિચ્ય બ્રાહ્મણ, (6) તપોધન બ્રાહ્મણ, (7) મેવાડા બ્રાહ્મણ, (8) મોઢ બ્રાહ્મણ, (9) ગુગળી બ્રાહ્મણ, (10) સાંચોરા બ્રાહ્મણ, (11) સારસ્વત બ્રાહ્મણ, (12) શ્રીમાળી બ્રાહ્મણ, (13) રાજપૂત, રજપૂત, (14) ક્ષત્રિય, (15) વાણિયા, વૈષ્ણવ શાહ, (17) ભાટિયા, (18) ભાવસાર, (19) ભાવસાર(જૈન), (20) બ્રહ્મ ક્ષત્રિય, (21) ક્ષત્રિય પ્રભુ, (22) નાન્યેતર જાતિ (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે), (23) પુજારા, (24) કેર, (25) ખડાયતા, (26) ખત્રી, (27) કળબી, કણબી, (28) લેઉવા પાટીદાર, પટેલ, (29) કડવા પાટીદાર, પટેલ, (30) લાડ વાણિયા, (31) શ્વેતાંબર જૈન વાણિયા, (32) દિગંબર જૈન વાણિયા, (33) લોહાણા, લવાણા, લુહાણા, (34) મંડાલી, (35) મણિયાર, (36) મરાઠા રાજપૂત (મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા), (37) મહારાષ્ટ્રીયન (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળ ગુજરાતમાં સ્થાયી થયેલા), (38) દશા, વીસા જૈન, (39) પોરવાલ જૈન, (40) સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ (ઘંડિયા સલાટ સિવાયના), (41) સોની, સોનાર, સુવર્ણકાર, (42) સિંધી (જે OBC/SEBCમાં ન હોય તે).

બિનઅનામત મુસ્લિમ જાતિઓઃ 1) સૈયદ, (2) બલોચ, (3) બાવચી, (4) ભાડેલા (મુસ્લિમ), (5) અલવી વોરા (મુસ્લિમ), (6) દાઉદી વોરા, (7) સુલેમાની વોરા, (8) મુસ્લિમ ચાકી, (9) જલાલી, (10) કાગઝી (મુસ્લિમ), (11) કાઝી, (12) ખોજા, (13) મલિક (જે OBC/SEBCમાં ન હોય તે), (14) મેમણ, (15) મોગલ, (16) મોમિન (પટેલ), (17) પટેલ (મુસ્લિમ), (18) પઠાણ, (19) કુરેશી (સૈયદ), (20) સમા, (21) શેખ (જે OBC/SEBCમાં ન હોય તે), (22) વ્યાપારી (મુસ્લિમ), (23) અત્તરવાલા બિનઅનામત અન્ય ધર્માવલંબી જાતિઓઃ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં બિનઅનામત અન્ય ધર્માવલંબીના વર્ગમાં 3 જાતિનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં સમાવિષ્ઠ જાતિઓ (1) પારસી, (2) ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે) અને (3) યહુદી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનુસૂચિત જાતિના વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદીઃ (1) અગેર, (2) બાકડ, બાન્ટ, (3) વણકર સાધુ, દલિત-બાવા, (4) ભાંબી, ભાંભી, અસાદરૂ, એસોડી, ચામડિયા, ચમાર, ચમાર-રવીદાસ, ચાંભાર, ચામગર, હરાલય્યા, હારાલી, ખાલપા, માચીગર, મોચીઆગર, મદાર, માદીગ, મોચી (માત્ર ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકા વિસ્તારમાં), નાલિયા, તેલુગુ મોચી, કમાટીમોચી, રાનીગર, રોહીદાસ, રોહીત, સામ, (5) ભંગી, મેહતર, ઓળગાણા, રૂખી, મલકાણા, હલાલખોર, લાલબેગી, બાલ્મીકી, કોરાર, ઝાડમલ્લી, બારવાશીઆ, બારવાસીઆ, જામફોડા, ઝામ્પાડા, ઝામ્પડા, રૂશી, વાલ્મીકી, (6) ચલવાડી, ચન્નાય્યા, (7) ચેન્ના દસાર, હોલાયા દસાર, (8) ડાંગશિયા, (9) ઢોર, કકય્યા, કંકય્યા, (10) ગરમાતંગ, (11) ગરોડ, ગરો, (12) હાલ્લીર, (13) હલસર, હસલર, હુલાસ્વર, હલસ્વર, (14) હોલાર, વલ્હા, (15) હોલાયા, હોલર, (16) લીંગાદેર, (17) મહાર, તરાલ, ઢેગુમેગુ, (18) માહયાવંશી, ઢેડ, ઢેઢ, વણકર, મારુ વણકર, અંત્યજ, (19) માંગ, માતંગ, મીનીમાડીંગ, (20) માંગ-ગારૂડી, (21) મેધવાલ, મેધવાળ, મેધવાર, (22) મુકરી, (23) નાડીઆ, હાડી, (24) પાસી, (25) સેનવા, શેનવા, ચેનવા, સેડમા, રાવત, (26) શેમાલીઆ, (27) થોરી, (28) તીરગર, તીરબંદા, (29) તૂરી, (30) તૂરી બારોટ, વણકર બારોટ, (31) બલાહી, બલાલ, (32) ભંગી, મેહતર, (33) ચમાર, (34) ચીકવા, ચીકવી, (35) કોલી, કોરી, (36) કોટવાલ (ભીંડ, ધાર, દેવાસ, ગુના, ગ્વાલીયર, ઇન્દોર, ઝાબુઆ, ખારગોણે, મન્દસૌર, મોરેના, રાજગ્રહ, રતલામ, શાજાપુર, શિવપુરી, ઉજ્જૈન અને વિદિશા જિલ્લાઓમાં)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનુસૂચિત જનજાતિ વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદીઃ (1) બરડા, (2) બાવચા, બામ્યા, (3) ભરવાડ (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (4) ભીલ, ભીલ ગરાસીયા, ઢોલી ભીલ, ડુંગરી ભીલ, ડુંગરી ગરાસીયા, મેવાશી ભીલ, રાવલ ભીલ, તડવી ભીલ, ભગાલીયા, ભીલાલા, પાવરા, વસાવા, વસાવે, (5) ચારણ (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (6) ચૌધરી (સુરત અને વલસાડ જિલ્લાના), (7) ચૌધરા, (8) ધન્કા, તડવી, તેતરીયા, વલ્વી, (9) ધોડીયા, ધોડી, (10) દુબળા, તલાવીયા, હળપતિ, (11) ગામીત, ગામટા, ગાવીત, માવચી, પડવી, (12) ગોંડ, રાજગોંડ, (13) કાથોડી, કટકરી, ધોર કટકરી, ધોર કાથોડી, ધોર કટકરી, સોન કાથોડી, સોન કટકરી, (14) કોકણા, કોકણી, કુકણા, (15) રદ કરેલ, (16) કોળી ધોર, ટોકરે કોળી, કોલ્ચા, કોલઘા, (17) કુણબી (ડાંગ જિલ્લાના), (18) નૈકડા, નાયકા, ચોલિવાલા નાયકા, કાપડીયા નાયકા, મોટા નાયકા, નાના નાયકા, (19) પઢાર, (20) રદ કરેલ, (21) પારધી, અડવીચીંચર, ફાનસે પારધી (અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સિવાયના), (22) પટેલીયા, (23) પોમલા, (24) રબારી (આલેચ, બરડા અને ગીરના જંગલમાં નેસમાં રહેતા), (25) રાઠવા, (26) સિદ્દિ, સિદ્દિ-બાદશાહ (અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના), (27) રદ કરેલ, (28) વરલી, (29) વિટોલા, કોટવાલિયા, બરોડીયા, (30) ભીલ, ભીલાલા, બરેલા, પટેલીયા, (31) તડવી ભીલ, બાવરા, વસાવે, (32) પડવી.

જે જ્ઞાતિઓ અનુસૂચિત, અનુસૂચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક અન્ય પછાત જાતિઓમાં સમાવેશ ન થતો હોય તેવી તમામ જ્ઞાતિઓને બિન અનામત વર્ગની જાતિ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્ય સરકાર હેઠળની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી પણ જાહેર કરાઈ છે, જેમાં કુલ 146 જેટલી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ભારત સરકાર હેઠળના અનામતના લાભ માટેની અન્ય પછાત વર્ગોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 105 જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ