એશ્વર્યા અને જયા બચ્ચનના સંબંધ
અભિષેક બચ્ચનના એક જુનો ઈન્ટરવ્યું હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જણાવ્યુ હતું કે તેમની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને માતા જયા બચ્ચન વચ્ચે સંબંધ કેવા છે. આપને જણાવીએ કે આ ઇન્ટરવ્યુ અભિષેક બચ્ચને વર્ષ ૨૦૧૫માં આપ્યો હતો.
આપને જણાવીએ કે આવનાર સમયમાં અભિષેક બચ્ચન કેટલીક ફિલ્મોમાં જોવા મળી શકે છે.આપને જણાવીએ કે એશ્વર્યા અને અભિષેક ના મેરેજ વર્ષ ૨૦૦૭માં થયા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ અભિષેક બચ્ચન તાજેતરમાં અપકમિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
આ ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે લગ્ન પછી એશ્વર્યાની સાસુ જયા બચ્ચન સાથે સારી ટ્યુનીંગ કેવી રીતે છે. ‘માં અને એશ મારા વિરુદ્ધ ગેંગ બનાવે છે અને તેઓ બંગાળીમાં બોલતા રહે છે.
અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘મોમ આ ભાષા જાણે છે કેમકે તેઓ બંગાળી છે અને એશ્વર્યાએ ચોખેર બોલીમાં કામ કર્યું હતું, એટલા માટે તે પણ સારી રીતે બંગાળી બોલી લે છે. એટલે જયારે પણ તેમને મારા વિરુદ્ધ ટીમ બનાવે છે, તેઓ બન્ને બંગાળી ભાષામાં વાત કરવાનું શરુ કરી દે છે.
આપને જણાવીએ કે અભિષેક જ નહી જયા બચ્ચને પણ એશ્વર્યા રાય બચ્ચન માટે એક પત્ની, પુત્રવધુ અને માતાના રૂપમાં પોતાના વિચાર રાખ્યા હતા.
એક જુના ઇન્ટરવ્યુમાં દરમિયાન જયા બચ્ચને કહ્યું હતું કે એશ્વર્યા ખુબ જ પ્રેમાળ છોકરી છે અને તેને તે હમેશાથી જ પસંદ છે તે ખુબજ ખુબસુરતીની સાથે પરિવારમાં હળીમળી ગઈ છે.
આરાધ્યાની જેવી રીતે એશ્વર્યા દેખભાળ કરી રહી છે, તેનાથી પણ જયા બચ્ચન ખુબ જ ખુશ છે. જયા બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વહુ દીકરી આરાધ્યાને ક્યારેય પણ એકલી છોડતી નથી અને તેના નાહવાથી લઈને ખાવા-પીવાની પૂરી વ્યવસ્થા કરે છે.
તેમણે ‘કોફી વિથ કરણ’માં કહ્યું હતું કે એશ્વર્યા ખુબ મોટી સ્ટાર હોવા છતાં તે પરિવારમાં ખુબ સરસ રીતે હળીમળી ગઈ છે અને દરેક વસ્તુઓને સાંભળી રહી છે.
જયા બચ્ચન પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચનની ખુબ જ રીસ્પેકટ કરે છે અને બધાની પાસે પણ એ જ આશા રાખે છે કે તેઓ તેમની પુત્રવધુ સાથે સારી રીતે વાત કરે. એકવાર મીડિયા કર્મીએ એશ્વર્યાને એશ-એશ કરીને બોલાવી ટી જયા બચ્ચનને ગુસ્સો આવી ગયો અને બોલ્યા હતા કે તમારી કલાસમેટ છે શું?. પહેલા પણ કેટલીક વાર મીડિયા અને ફેંસ પર એશ્વર્યાને લઈને ગુસ્સો ઉતારી ચુકી છે.
તાજેતરમાં જ જયા બચ્ચન પોતાની માતાનો જન્મદિન મનાવવા ભોપાલ આવ્યા હતા. આ દરમિયાન જયાએ એરપોર્ટ સિક્યોરીટી પર પણ ગુસ્સો કર્યો હતો.
જયારે એરપોર્ટથી જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે નીકળી રહ્યા હતા. તે દરમિયાન તેમણે સીક્યોરોટી પર ગુસ્સો ઉતારતા કહ્યું હતું કે ‘સીક્યોરોટી વાળા પણ ધ્યાન નથી આપતા, કોઇપણ ધક્કો મારીને ચાલ્યા જાય છે’.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ