શરીરમાં યુરિક એસિડનો વધારો એક ગંભીર સમસ્યા છે. જેનાં પ્રારંભિક લક્ષણોમાં સાંધાનો દુખાવો અને શરીરમાં જક્ડતા છે. જો તેની યોગ્ય સમયસર સારવાર ન કરવામાં આવે તો સંધિવા, કિડનીમાં પથરી, ડાયાબિટીઝ અને બ્લડ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, ત્યારે શરીર સરળતાથી રોગોનો શિકાર બને છે.
યુરિક એસિડ વધવાની સમસ્યાવાળા લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે યુરિક એસિડ શું છે, યુરિક એસિડ વધવાના કારણો, યુરિક એસિડ કેવી રીતે ઘટાડવું, અથવા યુરિક એસિડ માટેની દવા, યુરિક એસિડ વધવાના ઉપચાર, યુરિક એસિડનું પરીક્ષણ, તેથી તમને જણાવીએ કે, યુરિક એસિડ એ એક એવું કેમિકલ છે જે શરીરમાં ત્યારે રચાય છે જ્યારે શરીર પ્યુરિન નામના કેમિકલના નાના ટુકડા કરી દે છે.
પ્યુરિન કેમિકલ શરીરમાં બનાવવામાં આવે છે અને કેટલાક ખોરાકમાં પણ જોવા મળે છે. યુરિક એસિડની તપાસ બ્લડ રિપોર્ટ દ્વારા થઈ શકે છે. તેથી શરીરમાં યુરિક એસિડનો વધારો થવા પર અહીં જણાવેલી પરહેજ રાખવી ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ એ વિશે.
આ વસ્તુઓ ટાળો:
– યુરિક એસિડની સમસ્યાથી બચવા માટે દહીં, ચોખા, ડ્રાયફ્રૂટ્સ, દાળ અને પાલક ટાળો. આ બધી વસ્તુઓમાં ખૂબ જ ઉચ્ચ પ્રોટીન સામગ્રી છે. જે તમારી યુરિક એસિડની સમસ્યામાં વધારો કરે છે.
– રાત્રે સૂતા પહેલા દૂધ અથવા દાળનું સેવન ન કરો. આ કરવાથી શરીરમાં યુરિક એસિડ એકઠું થવા લાગે છે. તેમજ છાલવાળી દાળનુ સેવન કરવાનું સંપૂર્ણ રીતે ટાળો.
– જો તમને નોન-વેજ ખાવાનું પસંદ હોય તો તરત જ માંસ, ઇંડા, માછલી ખાવાનું બંધ કરો. આ વસ્તુઓ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે.
– પાણી પીવાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેથી ભોજન કરતા સમયે વચ્ચે-વચ્ચે પાણી ના પીવો. જમ્યાના દોઢ કલાક પછી અથવા જમ્યાના એક કલાક પહેલાં પાણી પીવો.
– જે લોકોને ટમેટાનું શાક ખુબ જ પસંદ હોય, તેમણે આ આદત આજથી જ છોડવી પડશે. કારણ કે ટમેટા કાચા ખાવાથી ફાયદો થાય છે. જયારે તમે તેનું શાક બનાવો છો ત્યારે તેના તત્વો બળી જાય છે અને તે પેટમાં જઈને યુરિક એસિડ વધારે છે.
– વધુ પડતા કોફીના સેવનથી પણ પેટમાં યુરિક એસિડ વધે છે. તેથી કોફીનું સેવન ના કરો.
– તમે જેટલી ચરબીયુક્ત ચીજો ખાવ છો તે યુરિક એસિડ માટે વધુ ખરાબ હશે. જો તમારું યુરિક એસિડ વધ્યું છે, તો તમે ચરબીયુક્ત અને ખાંડવાળા ખોરાકથી દૂર રાખો.
– યુરિક એસિડ વધવાનું કારણ ધ્રુમપાન અને આલ્કોહોલ પણ છે. જો યુરિક એસિડ વધે તો ધ્રુમપાન અને આલ્કોહોલનું સેવન ન કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,