રણવીર સિંહે આ વખતે લગાવ્યો બાજીરાવથી મોટો નિશાનો, 60 વર્ષ પહેલાંની દુનિયા બતાવવાની તૈયારી.
મારધાડ અને તોડફોડ વાળી ફિલ્મોમાં કૉમેડીનો તડકો લગાવનાર ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રોહિત શેટ્ટી હાલના સમયમાં અભિનેતા રણવીર સિંહ સાથે ફિલ્મ સર્કસના શૂટિંગમાં વ્યસ્ત છે. રોહિતે રણવીર સિંહ સાથે જ્યારથી આ ફિલ્મની ઘોષણા કરી છે ત્યારથી જ આ ફિલ્મ ચર્ચાનો વિષય રહી છે. એક પછી એક ફિલ્મ વિશે નવી નવી જાણકારીઓ મળી રહી છે અને હવે સૂત્રોએ જણાવ્યું છે કે રોહિત શેટ્ટીની આ ફિલ્મ 60ના દાયકાની સ્ટોરી હશે.
રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ વિલિયમ શેક્સપિયરના લખેલા નાટક ધ કોમેડી ઓફ એરર્સ પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળશે. રણવીર સિવાય ફિલ્મમાં પૂજા હેગડે, વરુણ શર્મા અને જેકલીન ફર્નાન્ડિઝ પણ મુખ્ય ભૂમિકામાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે રોહિત શેટ્ટી પોતાની આ ફિલ્મને લઈને નિર્ણય લઈ ચુક્યા છે કે આ ફિલ્મને એ જમાનાની બનાવશે જ્યારે મોબાઈલ ફોન જેવી ટેક્નોલોજી અસ્તિવમાં નહોતી.
ફિલ્મ સર્કસની સ્ટોરી 60ના દાયકાની હશે. એ સમયના હિસાબે ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે રોહિત શેટ્ટી કલાકારોના કપડાં પર ખૂબ જ બારીકાઈથી કામ કરી રહ્યા છે. ફિલ્મ પર એ સ્ટોરી સિવાય કલાકારોના પહેરવેશ પર જ વધુ જોર આપી રહ્યા છે. એમના હિસાબે લોકો જ્યારે આ ફિલ્મ જોવે તો એમને 60ના દાયકા જેવી અનુભૂતિ થવી જોઈએ. કોમેડી અને એક્શનનો તડકો તો હશે જ. ફિલ્મમાં રણવીર સિંહ એકદમ નવા અવતારમાં જોવા મળશે.
થોડા સમય પહેલા રોહિત શેટ્ટીએ પોતાની ફિલ્મ સર્કસનું શૂટિંગની શરૂઆત મુંબઈમાં જ કરી હતી. એ પછી એ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટીમાં કરશે. એ પછી ગોવા અને ઉટી જવાની પણ યોજના છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પહેલેથી જ બનીને તૈયાર થઈ ચૂકી છે. આમ તો આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થઈ જતી પણ કોરોના વાયરસના કારણે સીનેમાઘરો પર તાળાં લાગવાના કારણે હવે આ ફિલ્મ આવતા વર્ષે માર્ચની આસપાસ રિલીઝ થશે.
ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારની સાથે કેટરીના કેફ મુખ્ય ભૂમિકામાં હશે જ્યારે રણવીર સિંહ અને અજય દેવગન એક કેમિયો રોલ કરતા દેખાશે. તો બીજી બાજુ રણવીર સિંહની એક ફિલ્મ 83 પણ બનીને તૈયાર થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના વર્ષ 1983માં જીતેલા ક્રિકેટ વિશ્વ કપની યાત્રા પર આધારિત હશે. રણવીર સિંહ ફિલ્મમાં દિગગજ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવશે. એ સિવાય રણવીર સિંહે ફિલ્મ જયેશભાઇ જોરદારનું શૂટિંગ પણ પૂરું કરી દીધું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ