જલ્સા કરોને જેંતીલાલ

રાધિકા મર્ચન્ટ જેનું નામ અંબાણી પરિવારની બીજી થનારી પુત્રવધુ તરીકે ચર્ચાઈ રહ્યું છે, તેણે એવું કંઈ કર્યું કે સૌના આકર્ષણનું કેન્દ્ર બની…

રાધિકા મર્ચન્ટ જેનું નામ અંબાણી પરિવારની બીજી થનારી પુત્રવધુ તરીકે ચર્ચાઈ રહ્યું છે, તેણે એવું કંઈ કર્યું કે સૌના આકર્ષણનું કેન્દ્ર બની.

વધુ એક અંબાણી પરિવારના સંતાનના લગ્નની તૈયારીઓ ચર્ચા ચાલી રહી છે ત્યારે રાધિકા મર્ચન્ટનું નામ અંબાણી પરિવારના નાના દીકરા અનંતની થનારી પુત્રવધુ તરીકે ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે એના ઉપર મીડિયાના કેમેરાની નજર રહેતી જ હોય છે. એવામાં થોડા દિવસો પહેલાં જ ફરીથી મીડિયામાં ઝળક્યું છે. અનંત અંબાણીની વાગ્દત્તા રાધિકા મર્ચન્ટે તેના દયાળુ સ્વભાવથી સૌનું દિલ જીતી લીધું…

એક વિડિયો મુજબ મુંબઈની એક જાણીતી ઇટરી રેસ્ટોરેન્ટની બહાર એક ગરીબ મહિલાને પૈસા આપતાં એ મહિલાના ચહેરા પર જે સ્મીત આવ્યું છે તે જોવા જેવું છે. તે ક્ષણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

દુનિયાભરના સેલિબ્રિટીઝ અને રાજકારણીઓ જે લગ્નમાં સામેલ થવા પહોંચ્યાં હતાં ત્યારે રાધિકાએ પણ એ બંને લગ્ન પ્રસંગોમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

ડિસેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલ ઇશા અને આનંદ પિરામિલના લગ્નમાં દુલ્હન જેવો જ ગોર્જિયસ લહેંઘો પહેર્યો હતો અને આકાન અને શ્ર્લોકાના લગ્નમાં સંદિપ ખોસલા – અબુ જાનીના ડિઝાઈનર લેબલનો ગ્રીન કલરનો હેવી એમ્બ્રોઈડર્ડ ચણિયાચોળી પહેર્યાં હતાં.

આ બંને લગ્નોમાં તેની હાજરી અને સંગીતમાં તેનો ડાન્સ સૌના ધ્યાનમાં આવ્યું હતું અને ચર્ચાઈ રહ્યું હતું કે હવે કદાચ આવી રોનક તેમના અને અનંતના લગ્નમાં ફરી જોવા મળશે.

જો કે હજુ સુધી અંબાણી પરિવાર તરફથી તેમના સંબંધની કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી અને તેમણે પણ સોશિયલ મીડિયાથી આ બાબતે દૂરી બનાવી રાખી છે.

અંબાણી પરિવારના કોઈપણ ફંકશન હોય કે પછી કોઈ નાના એવા સમાચાર કેમ ન હોય સોશિયલ મીડિયામાં તે ખૂબ જ પસંદ કરાય છે લોકો તે લાઈક અને શેર કરીને વાઈરલ કરે છે.

એમાં ઇશા અને આકાશના લગ્નની દરેક મોમેન્ટ કેપ્ચર્ડ અને વાઈરલ થઈ છે જેમાં રાધિકા મર્ચન્ટ પણ અવારનવાર દેખાય છે તે દરેક વિડિયોમાં…

રાધિકા મર્ચન્ટ એ પણ ભારતના એક જાણીતા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. તે એનકોર હેલ્થકેરના સી.ઈ.ઓ અને વાઈસ ચેરમેન વિરલ મર્ચન્ટની દીકરી છે. તેણી ન્યૂયોર્કની યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને પોલિટિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે.


જે રીતે સતત તેમનું નામ અંબાણી પરિવાર સાથે જોડાઈ રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે હવે પછીના અંબાણી પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાશે તો તે અનંત અને રાધિકાના જ હશે! સો વેઈટિંગ ફોર ધેર મેરેજ બેલ સૂન…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version