ગુજરાતના ઘરોમાં લાલ મરચું જેને આપણે સૂકા મરચાં કહીએ છીએ તે દરેક ઘરમાં હોય છે. આ મરચાનો વઘાર કરવાથી ખાવાનું સ્વાદિષ્ટ બને છે અને સાથે જ તેનો ઉપયોગ નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. આ સિવાય જો તમે જીવનમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો પણ લાલ મરચાંનો આ ઉપાય સરળતાથી તમારી મદદ કરે છે. તો જાણી લો સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં લાલ મરચું તમારી કઈ રીતે મદદ કરે છે તે વિશે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન અને સંપત્તિનો ખજાનો કાયમ રહે અને તે સતત વધતી રહે તો લાલ રંગનો એક રૂમાલ લો અને તેમાં 7 આખા લાલ મરચાં રાખો. આ રૂમાલની પોટલી બનાવીને પોતાના રૂપિયા રાખવાના સ્થાને રાખો. તેનાથી ઘરમાં ક્યારેય ધનની ખામી નહીં આવે.
જો ઘરમાં કોઈ બીમાર છે તો 7 લાલ મરચાંની સાથે થોડા કાળા તલ, 7 જાયફળ અને ફટકડીના સાત ટુકડા એક લાલ કપડાંમાં બાંધીને રાખો. આ પોટલીને રોગીની પાસે રાખો. આ પ્રક્રિયા દર શુક્રવારે કરો. શુક્રવાર મા લક્ષ્મીનો વાર હોવાથી તમને સફળતા જલ્દી મળશે.
રોગીની પાસે આ પોટલીને એક દિવસ સુધી રહેવા દો. શનિવારે સવારે પીપળાના ઝાડની પાસે તેને રાખી આવો. ભગવાન પાસે વ્યક્તિના સાજા થવાની કામના કરો.
જો તમારો વેપાર નબળો થઈ ચૂક્યો છે તે તો તમે દુકાનમાં ગ્રાહકની ખામી અનુભવો છો તો માટીના 3 દીપક લો અને તેમાં પીળી સરસોના દાણા, તલ, આખું મીઠું, આખા ધાણા અને એક એક લાલ મરચું રાખો. આ દીપકને દુકાનામાં રાખો. તેનાથી ગ્રાહક પણ વધશે અને કમાણી પણ વધશે.
જો તમારા કામમાં સમસ્યાઓ આવી રહી છે તો એક લાલ મરચાના 21 દાણા લો અને તેને એક લોટા કે જગમાં પાણી ભરીને તેમાં રાખો. જો પાણીને તમારી ઉપરથી સાત વાર ઉતારીને ઘરની બહાર ફેકી દેવામાં આવે છે તો તમારા પર આવેલી મુસીબત ટળી જાય છે.
જો ઘરમાં નાનું બાળક છે અને તેને નજર લાગી છે તો સારવાર કરાવો તે યોગ્ય છે પણ જો ફાયદો ન થાય તો 7 લાલ મરચાને ચપટી મીઠાની સાથે પીળી સરસો મિક્સ કરીને નજર ઉતારો. આ તમામ ચીજો બાળકના માથા પરથી 7 વાર ફેરલી લો. આમ કરવાથી નજરદોષ દૂર થાય છે અને બાળક સ્વસ્થ થઈ જાય છે.
પરિવારના સભ્યો ખાસ કરીને બીમાર રહે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે એક કપડાંમાં 5 લાલ સૂકા મરચાં બાંધીને આ વ્યક્તિની પથારી નીચે રાખો. 3-4 દિવસ સુધી આમ કરવાથી લાભ મળે છે.
લાલ મરચાંને ડિપ્રેશનની સમસ્યા દૂર કરવામાં કારગર રહે છે. આ માટે તમારે લાલ મરચાના બીજ કાઢીને તેને એક લોટા પાણીમાં નાંખો. આ જળને સૂર્યદેવને અર્પિત કરો. આમ કરવાથી માનસિક તણાવથી જલ્દી રાહત મળશે.
જે લોકો અમીર બનવા ઈચ્છે છે તેમને માટીના 3 દીવા કરવા. દીવામાં થોડી પીળી સરસોના દાણા, તલ, આખું મીઠું, આખા ધાણા અને લાલ મરચાં નાંખો, તેને સળગાવો અને કાર્યના સ્થાને રાખો. આમ કરવાથી નજર દોષ દૂર થશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે.
જો તમે ઈન્ટરવ્યૂમાં જઈ રહ્યા છો કે પછી કોઈ સારા કામ માટે જઈ રહ્યા છો તો દરવાજા પર 5 કે 7 લાલ મરચા રાખી લો. તેની પર પગ રાખીને તમારા પગલાં આગળ વધારો. તમને કામમાં અચૂક સફળતા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ