મિત્રો, લસણ અને ડુંગળી આ બંને વસ્તુઓ અનેકવિધ આયુર્વેદિક લાભ ધરાવે છે. આ બંને વસ્તુઓના સેવનથી થતા ફાયદા વિશે તો આપણે બધા ખુબ જ સારી રીતે જાણતા હોઈએ છીએ. જો કે, આપણા મનમા ઘણીવાર એવો પ્રશ્ન ઉભો થતો હોય છે કે, લસણ અને ડુંગળીના જો આટલા ફાયદા છે તો પછી વ્રત અને પુજામા આ વસ્તુઓનો ઉપયોગ કેમ પ્રતિબંધિત છે?
આ પ્રશ્નનો ઉતર સમુદ્ર મંથનની પૌરાણિક કથામા છુપાયેલો છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, સમુદ્ર મંથનના સમયે એવુ તો શુ થયુ હતુ કે જેના કારણે લસણ અને ડુંગળીનો ઉપયોગ પુજા તથા વ્રતમા નથી કરવામા આવતો. શા માટે આ બંનેના ઉપયોગને પૂજામા પ્રતિબંધિત કરવામા આવ્યુ છે?
શ્રી હીન થઈ ચુકેલા સ્વર્ગના ખોવાયેલ વૈભવ અને સંપદાની પ્રાપ્તિ માટે દેવતાઓ અને અસુરોએ એકસાથે મળીને સમુદ્રમંથન કર્યુ હતું. આ સમુદ્રમંથન સમયે માતા લક્ષ્મીની સાથે-સાથે ઘણા રત્નો સહિત અમૃત કળશ પણ બહાર નીકળ્યુ હતુ. આ અમૃત કળશમાથી અમૃત મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. આ સમયે પ્રભુ નારાયણ મોહિનીનુ સ્વરૂપ ધારણ કરીને સૌ કોઈને અમૃત વહેચવા લાગ્યા.
અમૃતપાન માટેનો પહેલો અવસર દેવતાઓને મળ્યો હતો. પ્રભુ નારાયણ મોહિની સ્વરૂપમા એક પછી એક તમામ દેવગણોને અમૃતપાન કરાવવા લાગ્યા. આ સમયે એક રાક્ષસ દેવતાગણનુ સ્વરૂપ ધારણ કરી અમૃતપાન કરવા માટે દેવતાઓની હારમા ઉભો રહી ગયો. સૂર્યદેવ અને ચંદ્રદેવ આ અસુરને ઓળખી ગયા, તેમણે તુરંત જ પ્રભુ નારાયણને આ વિશે જાણ કરી.
પ્રભુ નારાયણે તુરંત જ પોતાના સુદર્શન ચક્રથી તેનુ માથુ ધડથી અલગ કરી દીધુ. તેણે થોડુ અમૃત પાન કરી લીધુ હતુ. જે હજુ તેના મુખમા હતુ. શીશ કપાવવાથી લોહી અને અમૃતના અમુક ટીપા જમીન પર પડ્યા અને તેનાથી જ લસણ અને ડુંગળીનુ ઉત્પાદન થયુ. જે રાક્ષસનુ માથુ અને ધડ પ્રભુ નારાયણે કાપ્યુ હતુ. તેનુ માથુ રાહુ અને ધડ કેતુના રૂપમા ઓળખાય છે.
રાક્ષસના અંશમાથી લસણ અને ડુંગળીનો ઉદ્ભવ થયો હતો અને આ કારણોસર જ તેને વ્રત અથવા પુજા કાર્યમા શામેલ કરવામા આવતુ નથી. તેમની જ્યા ઉત્પત્તિ થઈ હતી ત્યા જ અમૃતના ટીપા પડ્યા હતા અને આ કારણથી જ લસણ અને ડુંગળીમા અમૃત સ્વરૂપ ઔષધીય ગુણ આવી ગયા.
લસણ અને ડુંગળીમા અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા લાભદાયી સાબિત થાય છે. રાક્ષસના અંશથી આ બંને વસ્તુઓની ઉત્પત્તિ થઇ હોવાના કારણે લોકો તેને પોતાના ભોજનમાં શામેલ નથી કરતા. આ બંનેને તામસિક પદાર્થ માનવામા આવે છે અને આ કારણોસર જ તેને પૂજામા નથી લેવામા આવતુ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,