ગયા અઠવાડિયે મેડિકલ જર્નલ ધ લન્સેટમાં પ્રકાશિત એક રિવ્યૂ મુજબ, કોવિડ-19 ના કારણે માત્ર માતા જ નહીં, પણ પેટમાં ઉછરી રહેલા નવજાત શિશુઓને પણ જોખમ વધી ગયું છે. જાન્યુઆરી 2020 થી જાન્યુઆરી 2021ની વચ્ચે મૃત બાળકના જન્મ અને બાળજન્મ(પ્રસવ) દરમિયાન માતાના મૃત્યુના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. એક્ટોપિક ગર્ભાવસ્થાના કેસોમાં 6 ગણો વધારો થયો છે. આમાં, ગર્ભ સ્ત્રીના ગર્ભાશયની બહાર વધવા માંડે છે, જે જીવલેણ રક્તસ્રાવનું કારણ બની શકે છે.
ધ લેન્સેટમાં પ્રકાશિત રિવ્યૂમાં 17 દેશોના 40 અધ્યયનોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીના સંશોધનકારોનું કહેવું છે કે રોગચાળાને કારણે ગર્ભાવસ્થામાં યોગ્ય સારવાર મળી રહી નથી અને સમસ્યાઓ વધી રહી છે. હોસ્પિટલોમાં કોવિડ -19 દર્દીઓની ભીડ રહે છે. કેટલીક મહિલાઓ કોવિડ -19 ના ડરથી ડોકટરો સુધી પહોંચવામાં પણ ડરતી હોય છે. સ્ત્રીઓમાં હતાશા અનેકગણી વધી છે. સંશોધનકારોએ 10 માંથી 6 અભ્યાસમાં આની પુષ્ટિ કરી છે. સગર્ભા સ્ત્રીઓમાં ચિંતા પણ તુલનાત્મક રીતે વધી છે.
શું બીજી લહેરમાં ગર્ભવતી અને માતા બનવું સલામત છે?
હા. ઘણી હદ સુધી. મુંબઈની મલાડની લી નેસ્ટ હોસ્પિટલના ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડો. મુકેશ ગુપ્તા કહે છે કે એક નવા અવતારમાં વાયરસ બહાર આવી રહ્યો છે. તેનો નવો સ્ટ્રેન બહાર આવી રહ્યો છે. ગર્ભાવસ્થા અને પેટમાં ઉછરી રહેલ બાળક પર તેની અસરને લગતી ઘણી પ્રકારની વસ્તુઓ બહાર આવી રહી છે. સત્ય એ છે કે જો સગર્ભા સ્ત્રીઓ પોતાની જાતની યોગ્ય સંભાળ લેશે તો પછી કોઈ સમસ્યા નહીં થાય. અમે કોરોના સમયગાળામાં પણ ગર્ભાવસ્થા જોઇ છે અને ડિલિવરી પણ કરી છે.
તો બીજી તરફ જસલોક હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, મુંબઇના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના સલાહકાર ડો.શિલ્પા અગ્રવાલ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન શરીરની ઈમ્યૂનિટીમાં બદલાવ આવે છે. રોગપ્રતિકારક શક્તિને અસર થાય છે. સગર્ભાવસ્થામાં શ્વાસ સાથે સંકળાયેલ ચેપ સામાન્ય છે. સગર્ભા સ્ત્રીઓને તેટલો જ કોરોનાનો ખતરો છે જેટલો અન્ય પુખ્ત વયના લોકોને છે. હા, તે અલગ નાત છે કે સાવચેતી તરીકે, તેઓને તરત જ આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. તેમાં ગંભીર લક્ષણો પણ જોઇ શકાય છે.
ડો.અગ્રવાલનું કહેવુ છે કે તે કેટલાક હગે યોગ્ય પણ છે. તે કહે છે કે રોગપ્રતિકારક શક્તિમાં થતો ફેરફાર અને ઘરની અંદર થતી સંભાળ કરતા હોસ્પિટલમાં વધુ કાળજી લઈ શકાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ સગર્ભા સ્ત્રી કોવિડ -19 પોઝિટિવ હોય, તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.
પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે?
આંતરરાષ્ટ્રીય કક્ષાના અધ્યયન કહે છે કે સ્ટિલબર્થ વધ્યો છે. પરંતુ તેનું કારણ ચેપ નથી. ચેપને લગતા અન્ય વિકારો આનું કારણ બની રહ્યા છે. ડો.અગ્રવાલ કહે છે કે પ્રથમ લહેરમાં પણ આપણે સગર્ભા સ્ત્રીઓ જોઇ છે. અમે આ ચેપ સાથે આગળ વધવાનું શીખ્યા છીએ. આને કારણે આપણે કોરોના ચેપ સામે લડવા માટે તૈયાર છીએ.
ડોક્ટરો કહે છે કે જ્યારે વર્ટીકલી રીતે જોવામાં આવે ત્યારે બાળકમાં કોઈ ચેપ લાગતો નથી. એટલે કે પેટમાં ઉછરી રહેલા બાળક પર કોવિડ -19 પોઝિટિવ માતાના ચેપનો કોઈ પ્રભાવ નથી પડતો. પરંતુ પ્રીમેચ્યોર ડિલિવરી વધી છે. આને કારણે, આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની જરૂર છે.
ગર્ભાવસ્થા દરમિયાન શું કરવું?
ડો.ગુપ્તા કહે છે કે છેલ્લા એક વર્ષમાં અમે સલામતીના કડક ધોરણો અપનાવ્યા છે અને તેનાથી સલામત પ્રેગન્સી કરવામાં મદદ મળી છે. હા, જે ગર્ભવતી સ્ત્રીઓ છે તેમની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. સરકારે જાહેર કરેલા કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સામાજિક અંતર રાખવું પડશે અને ભીડથી બચવું પડશે.
તો બીજી તરફ ડો. અગ્રવાલ કહે છે કે મોટાભાગની હોસ્પિટલોમાં ટેલિમેડિસિન, ઓનલાઇન સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સામાજિક અંતર, હાથની સફાઈ, માસ્ક, મોજા, પી.પી.ઈ. જેવા રક્ષણાત્મક ગીઅરને મહત્વ આપવું જરૂરી છે. અમે કોવિડ -19 થી ગર્ભાવસ્થાને મેનેજ કરવા માટે સક્ષમ છીએ.
ઇબોલા રોગચાળા પછી પણ આવા જ પરિણામો જોવા મળ્યા હતા
લેન્સેટ સમીક્ષામાં જણાવાયું છે કે હાઈ ઈનકમ ધરાવતા દેશોમાં પ્રી મેચ્યોર ગર્ભાવસ્થાના કિસ્સા અન્ય ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોની તુલનામાં 10% ઓછા છે. એમોરી યુનિવર્સિટીના સ્ત્રી રોગ નિષ્માત અને ઓબ્સ્ટેટ્રિક્સમાં જેમ્સ રોબર્ટ મેકકોર્ડ ચેર, ડો.નિસ જેમિસન કહે છે કે અભ્યાસના પરિણામો ચિંતાજનક છે.
ડો. જેમિસન અમેરિકન કોલેજ ઓબ્સ્ટેટ્રિશિયન્સ અને ગાયનેકોલોજિસ્ટ્સના કોવિડ -19 ઓબી એક્સપર્ટ વર્ક ગ્રૂપના સભ્ય પણ છે. તેઓ કહે છે કે કોરોના ચેપ પછી પણ રોગચાળાની અસર લાંબા ગાળાની રહેશે. તે રોગચાળા પછી પણ માતા અને બાળક બંનેને અસર કરી શકે છે. 2013 માં ઇબોલા રોગચાળાથી અસરગ્રસ્ત દેશોમાં પણ આવી સમસ્યાઓ જોવા મળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!