પ્રેગ્નેનસીમાં તુલસી ખાવી જોઈએ કે નહિ, તુલસી એક આયુર્વેદિક ઔષધિની જેમ હોય છે. જેમાંથી ઘણા વિટામીન્સ, મિનરલ્સ,વગેરે મૌજૂદ હોય છે. જે આપને બીમારીઓ, સંક્રમણથી બચાવામાં અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને મોટાભાગે ઘરોમાં તુલસીનો છોડ પણ રાખવામાં આવે છે. કેટલાક લોકો નિયમિત તુલસીની ચા કે તુલસીના પાન વગેરેનું સેવન પણ કરે છે. આવામાં ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓ તુલસીના સેવનને લઈને આ જાણવા ઇચ્છતી હોય છે કે તુલસીનું સેવન કરવું જોઈએ કે નહિ. તો આજે અમે આપને જણાવીશું કે પ્રેગ્નેનસી દરમિયાન મહિલાઓએ તુલસીનું સેવન કરવું જોઈએ કે નહિ. ઉપરાંત તુલસીના સેવનને લઈને કેટલીક બાબતો પણ જણાવીશું.
ગર્ભાવસ્થામાં તુલસીનું સેવન કરવું જોઈએ કે નહિ?
તુલસી પોષકતત્વોની ખાણ હોય છે જેવા કે, તુલસીમાં આયર્ન, વિટામિન્સની સાથે એંટી બેક્ટેરિયલ, એંટી ફંગલ વગેરે ગુણો રહેલા હોય છે. જે પ્રેગ્નેન્ટ મહિલા અને તેના ગર્ભમાં વિકસી રહેલ બાળક માટે જરૂરી હોય છે. આવામાં ગર્ભવતી મહિલા ઈચ્છે તો પ્રેગ્નન્સી દરમિયાન તુલસીના પાનનું સેવન કરી શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે જેટલી જરૂરિયાત હોય એટલું જ સેવન કરવું જોઈએ. જેમ કે એક દિવસનું એક તુલસીનું પાન જ પૂરતું છે તો એક જ તુલસીના પાનનું સેવન કરવું. જેથી ગર્ભવતી મહિલા અને તેના બાળકને ઘણા બધા ફાયદાઓ મળી શકે. તો ચાલો હવે અમે આપને જણાવીશું કે પ્રેગ્નન્સી દરમિયાન તુલસીના પાનનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદાઓ મળી શકે છે?
પ્રેગનેસીમાં તુલસીનું સેવન કરવાથી મળે છે આયર્ન:
– આયર્નની ઉણપના કારણે ગર્ભવતી મહિલાને થાક, નબળાઈ, શિશુના વિકાસમાં ખામી,ડિલિવરી દરમિયાન થનાર તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો ગર્ભવતી મહિલા તુલસીના પાનનું સેવન કરે છે તો મહિલાને આ બધી તકલીફો થી બચાવ કરવામાં મદદ મળે છે. કેમકે તુલસીના પાનમાં રહેલ આયર્ન પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.
મેગ્નેશિયમ:
તુલસીના પાનમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ રહેલ હોય છે. જે પ્રેગ્નેન્ટ મહિલાના હાડકાંની સાથે ભ્રૂણના હાડકાંઓના સારા વિકાસમાં પણ મદદ કરે છે.
વિટામિન કે:
તુલસીના પાનમાં વિટામિન કે રહેલ હોય છે. જે પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં લોહીને ઘટ્ટ બનવાથી રોકે છે. જેનાથી પ્રેગ્નેન્ટ મહિલાની બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરવામાં મદદ કરે છે.
એંટીબેક્ટેરિયલ ગુણ:
તુલસીમાં ભરપૂર પ્રમાણમાં એંટીફંગલ, એંટીબેક્ટેરિયલ, એંટીવાઇરલ વગેરે ગુણો હોય છે. જે પ્રેગ્નેનસી દરમિયાન મહિલાની ઇમ્યુનિટીને મજબૂત કરે છે. તેમજ મહિલા અને બાળકને દરેક પ્રકારના સંક્રમણથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. જેનાથી પ્રેગ્નેનસી દરમિયાન મહિલા અને બાળક બંનેને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
વિટામિન એ:
તુલસીના પાનમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામિન એ માતાના પેટમાં રહેલ બાળકના વિકાસ માટે ખૂબ ફાયદેમંદ હોય છે. વિટામીન એ શિશુના તાંત્રિક તંત્રની સાથે બોડીના અન્ય ભાગના સારા વિકાસમાં પણ મદદ કરે છે.
પ્રેગ્નેન્સીમાં તુલસીનું સેવન કરવાથી મહિલા રહે છે ઊર્જાથી ભરપૂર:
-શરીરમાં થનાર હોર્મોનલ બદલાવ, શરીરમાં થનાર બદલાવના કારણે પ્રેગ્નેન્ટ મહિલા ખૂબ વધારે થાકી જાય છે,નબળાઈ, તણાવ વગેરે મહેસુસ કરી શકે છે. પરંતુ તુલસીનું સેવન કરવાથી મહિલાને આ બધી તકલીફો માંથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. કેમકે પ્રેગ્નેસી દરમિયાન તુલસીનું સેવન કરવાથી મહિલાના શરીરમાં ઉર્જા બની રહે અને મહિલાને થાક, નબળાઈથી છુટકારો મળે છે, તેમજ તણાવથી પણ બચવામાં મદદ મળે છે.
તો આ છે કેટલાક ફાયદાઓ જે પ્રેગ્નેન્ટ મહિલાના તુલસીના સેવન કરવાથી મળે છે. પરંતુ પ્રેગ્નનેટ મહિલાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાએ જરૂરિયાતથી વધારે તુલસીનું સેવન કરે નહિ. કેમકે તુલસીનું જરૂરિયાત કરતાં વધારે સેવન કરવાથી પ્રેગ્નેન્ટ મહિલાને બ્લીડિંગ, ગર્ભાશયનું સંકોચન ઝડપથી થવું, હ્રદયની ગતિ વધી જવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ