શાકના રાજા કહેવાતા બટાકાને આ રીતે ખાશો તો કદી નહીં વધે વજન… દરેક ટીપ્સને બરાબર નોંધી લેજો…
બટાટાને યોગ્ય રીતે ખાવાથી વજન વધતું નથી પરંતુ ઘટતું જાય છે, વજન ઘટાડવાના આહારના લીસ્ટમાં તેને કેવી રીતે જોડવું તે જાણી લો…
લોકોને સામાન્ય રીતે લાગે છે કે બટાટા ખાવાથી વજન વધે છે. આ એક પ્રકારની માત્ર લોક વાયકા જ છે તેથી તેમાં ફક્ત બટાટાને દોષી ઠેરવી શકાતા નથી. આપને જાણીને નવાઈ લાગશે કે એક રીસર્ચ મુજબ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે જો તમે બટાટા યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ખાવ છો, તો તેને ખાવાથી તમારું વજન પણ ઘટશે અને શરીરના જરૂરી પોષક તત્વો પણ મળી જશે.
બટાટા ખાવાથી વજન વધશે નહીં, ઉલ્ટું ઘટશે, જાણી લો કઈ રીતે?
બટાટા એક એવું શાક છે જે વિશ્વના દરેક ભાગમાં ખાવામાં આવે છે. બટાટામાંથી હજારો વાનગીઓ બનાવી શકાય છે. કદાચ આ જ કારણ છે કે તેને શાકનો રાજા પણ કહેવામાં આવે છે. લોકોમાં બટાટા વિશે સારી અને ખરાબ બંને પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. બટાકાની સાથે જોડાયેલી એક લોકપ્રિય માન્યતા એ છે કે બટાટા વજન વધારે છે. આ વસ્તુ ફક્ત તે જ માટે યોગ્ય ગણી શકાય જેમને બટાકાનું સેવન કરવાની યોગ્ય રીત ખબર નથી. અગાઉથી જ ઉલ્લેખ કર્યો છે તેમ, બટાકામાંથી હજારો વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. આમાંની મોટાભાગની વાનગીઓ બટાટાને તળીને અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા બનાવવામાં આવે છે, જેનાથી તેમાં રહેલ કાર્બોહાઈડ્રેટ અને કોલેસ્ટરોલનું પ્રમાણ શરીરમાં વધે છે.
પરંતુ સંશોધન સૂચવે છે કે બટાટા એ એક મહત્વપૂર્ણ પૌષ્ટિક શાક છે, જેના કારણે શરીરને અનેક પોષક તત્વો, ખનિજો, એન્ટીઓકિસડન્ટસ વગેરે મળે છે. જો તમે બટાટાનું યોગ્ય રીતે સેવન કરો છો, તો તમે તે ખાધા પછી પણ તમારું વજન ઓછું કરી શકો છો. ચાલો અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીએ.
બટાટાને વજન વધવાનું કારણ માનવું ખોટું છે.
મોટાભાગના લોકો બટાકાને એ દ્રષ્ટિએ જુએ છે કે તેમાંથી કોઈ પોષક તત્વો મળતાં નથી, ઉલ્ટાનું તે ચરબી અને વજન વધારે છે. પરંતુ તે આવું નથી. બટાટા એ પોષક તત્વોથી ભરપુર શાક પણ છે. જો તમે બાફેલા બટાકા ખાતા હો, તો તમને પ્રોટીન, ફાઇબર, ફોલેટ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા શરીરને અતિ જરૂરી પોષક તત્વો સારી માત્રામાં મળી રહે છે.
આપને જાણીને નવાઈ લાગશે કે ફક્ત બટાટા જ વજન વધારવા માટે જ જવાબદાર નથી, પરંતુ તમારી જીવનશૈલી અને તમે જે રીતે ખાઓ છો તે રીત પણ તમારા વજનને અસર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે તળેલા તેલથી તળેલા બટાટા, ફ્રેન્ચ ફ્રાઈસ, ફ્રાઇડ ચાટ, નમકીન વગેરે ખાતા હોવ તો તેના કારણે તમારું વજન વધવું સ્વાભાવિક છે.
બટાકામાં થોડું કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે, તેથી તે તળ્યા પછી વજન વધારવાનું કામ કરે છે. ૧૦૦ ગ્રામ બટાકામાં ૧૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે, જ્યારે ૧૦૦ ગ્રામ તળેલા બટાકામાં ૪૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેથી, હવે આ પ્રમાણ જાણીને તમે વજન વધારવા માટે હંમેશા બટાટાને દોષી ઠેરવી શકશો નહીં.
બટાટા આ રીતે ખાઓ, વજન ઘટશે
જો તમે તમારા આહારમાં બાફેલા બટાકાને શામેલ કરો છો, તો તમારું વજન વધવાને બદલે ઘટશે. બાફેલા બટાકાની સાથે તમે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકો છો, તેથી તેને ખાવું મુશ્કેલ નહીં લાગે. વજન ઓછું કરવા માટે, પહેલા બટાકાને બાફવું. પછી તેમને ઠંડુ થવા માટે બરફના પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ રાખી મૂકો. આ રીતે ઠંડુ કરવાથી બટાટામાં પ્રતિરોધક સ્ટાર્ચની માત્રા ઓછી થઈ જાય છે. તેથી, તે વજનમાં વધારો કરતું નથી, પણ ચયાપચયને વેગ આપે છે અને પાચનતંત્રને પણ સુધારે છે. સાથે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડે છે. આ પછી તમે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની એવી વાનગી બનાવવા માટે કરી શકો છો, જેમાં કોઈ તેલ વપરાતું નથી અથવા ખૂબ ઓછું વપરાય છે.
બટાટા રોગોથી બચાવશે અને શક્તિ પણ આપશે
બટાકામાં અનેક પૌષ્ટિક તત્વો છે, તે આપણે જાણ્યું. તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પકાવીને ખાવાથી શરીરને સારી એવી અસર કરે છે. તેનામાં પોટેશિયમની સારી માત્રામાં હોય છે, તેથી તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બાફેલા બટાટા પણ ફાઈબરથી ભરપૂર હોય છે, તેથી તે પેટને અને આંતરડા સાફ કરે છે.
બટાટામાં પૂરતા પ્રમાણમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને સોલિડ કાર્બોહાઇડ્રેટનો સારો સ્રોત છે, તેથી તે શરીરને ખૂબ જ ઝડપથી ઊર્જા આપે છે. જેથી આપણને શક્તિ અનુભવાય છે. વધુમાં, બટાટા એ એક એવું શાકભાજી છે જેમાં ગ્લાયકેમિકની માત્રા પણ ઓછી હોય છે, તેથી તેનું નિયમિત સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ સારું છે.
બટાટાથી વજન ઓછું કરવું સરળ છે…
આપણી ચર્ચા મુજબ આ લેખમાં વજન ઘટાડવા માટે બટાટાને વધુ સારું માનવામાં આવે છે કારણ કે તે એક એવી શાકભાજી છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખી શકે છે. આ ખાવાથી વ્યક્તિને ઘણી વાર વારંવાર ભૂખ્યો થવાની ફરિયાદ નથી રહેતી અને તે સામાન્ય કરતાં તે વ્યક્તિ બીજી ચીજો પણ ઓછી ખાય છે. વજન ઘટાડવા માટે બટાટાનો આ ગુણધર્મો બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણી સામે એક તર્ક એવું પણ આવતું હોય છે કે મોટાભાગના વજન ઘટાડવાની યોજનાઓ નિષ્ફળ જાય છે કારણ કે જ્યારે તમે ભૂખ્યા હોવ છો ત્યારે તમે વધુ ખાવ છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ