મિત્રો, પ્રભુ શ્રી બજરંગબલી એ એક એવા દેવ છે કે, જે આ કળીયુગમા પણ અજર-અમર છે. જો તમે સાચા મનથી પ્રભુ શ્રી બજરંગબલીનુ પૂજન-અર્ચન કરો તો તમારા જીવન સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આજે અમે તમને પ્રભુ શ્રી બજરંગબલી સાથે સંકળાયેલા એક એવા વિશેષ ઉપાય વિશે જણાવીશુ કે, જે તમારી તમામ આર્થિક સમસ્યાઓને દૂર કરશે, ચાલો જાણીએ.
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા ।।
પ્રભુ શ્રી બજરંગબલીની આ ચોપાઈ જ જણાવે છે કે, જે કોઈપણ વ્યક્તિ પ્રભુ શ્રી રામના પરમભક્ત તરીકે ઓળખાતા હનુમાનજીનુ નિત્ય સાચા મન અને હૃદયથી સ્મરણ કરે છે, તેમની તમામ પીડાઓનો નાશ થાય છે. પ્રભુ શ્રી બજરંગબલીના સ્મરણ માત્રથી સમસ્ત કષ્ટનુ નિવારણ કરનારા દેવ છે.
આ ઉપરાંત હનુમાન ચાલીસાનુ નિત્ય પઠન કરવા માત્રથી પણ વ્યકિતની આધિ, વ્યાધિ અને ઉપાધી તમામ દૂર થઇ જાય છે. જો તમે પ્રભુ શ્રી બજરંગબલીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે પીપળાના પાનનો આ ઉપાય અચુકપણે અજમાવવો જોઈએ.
વાસ્તવમા પીપળાના પાન સાથે સંકળાયેલ આ પ્રયોગમા આવનાર મુશ્કેલીઓ રોકવાનુ સામર્થ્ય ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક ચમત્કારિક ઉપાય છે. આ માન્યતા મુજબ પીપળાના ફક્ત ૧૧ પાન અર્પણ કરીને પવનપુત્રના વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે. આ ઉપાયો અજમાવવાથી તમે નાણાની તંગીમાંથી મુક્તિ મેળવી શકો છો અને ત્યારબાદ આર્થિક સંકડામણની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકો છો.
વિધિ :
સૌથી પહેલા તમે વહેલી સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષ પરથી ૧૧ પાંદડા તોડીને ઘરે લઈને આવો. આ સમયે એક વાતની વિશેષ સાવચેતી રાખવી કે એક પણ પાન તૂટેલુ ના હોય. પીપળાના વૃક્ષ પરથી તોડેલા પાનને ગંગાજળથી વ્યવસ્થિત રીતે સાફ કરી લો. ત્યારબાદ આ પાન પર ચંદનની મદદથી પ્રભુ ‘શ્રીરામ’ નુ નામ લખો.
ત્યારબાદ આ ૧૧ પાંદડાની માળા બનાવીને પ્રભુ શ્રી બજરંગબલીને અર્પણ કરો. ત્યારબાદ તમે ફરીથી પીપળાના વૃક્ષ પાસે જઈને પાણી અર્પણ કરો અને ત્યારબાદ વૃક્ષની ફરતે સાત પ્રદક્ષિણા કરો. ત્યારબાદ પીપળાના વૃક્ષની નીચે જ બેસીને હનુમાન ચાલીસાનુ પઠન કરો.</;p>
અમુક માન્યતા મુજબ મંગળવાર અને શનિવારના રોજ આ પ્રયોગ વિશેષ લાભદાયી સાબિત થશે. પીપળાના ફક્ત ૧૧ પાનથી પવનપુત્રની પૂજાની આ સરળ વિધિ ભક્તને વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવશે. આ પૂજાવિધિથી વિવિધ સંકટોથી તેમજ આર્થિક સંકડામણની સમસ્યાથી પણ મુક્તિ મળશે. આ સાથે જ જીવનમા ક્યારેય પણ નાણાની તંગી નહી વર્તાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,