હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે અને લોકોમાં પણ આ વાતને લઈ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એક રાજ્યમાંથી સારા સમાચાર આવી રહ્યાં છે કે ત્યાં પેટ્રોલ ઘણું સસ્તુ મળે છે. એક તરફ કોરોનાએ બધાને પાયમાલ કરી નાંખ્યા તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે વિરોધ પક્ષ પણ સરકાર પર પ્રહારો કરી રહી છે અને લોકો પણ પોતાના લેવલે વિરોધ નોંધાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તો ભાવ ઘટી શકવાની દલીલ કરવામાં આવી રહી છે.
હવે સમાચાર મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે માંગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. આ ઉપરાંત દિલ્હી સરકારે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. માટે હવે જોવાનું રહ્યું કે આ વસ્તુ શક્ય બની શકે છે કે કેમ, કારણ કે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે છે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને તેનો ફાયદો થશે.
મળતી માહિતી પ્રમાણે જો કેન્દ્ર આ પ્રકારનો નિર્ણય લેશે તો મહારાષ્ટ્ર સરકાર તેમનુ સંપૂર્ણ સમર્થન કરશે તેવું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું. બીજી તરફ મની કંટ્રોલ ન્યૂઝના અહેવાલ મુજબ દિલ્હી એસેમ્બલીમાં પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીમના દાયરામાં લાવવા માટે વાત કરવામાં આવી છે. જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો કિંમતોમાં સીધા 25 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે તેવું દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ રામવીર સિંહ બિધૂરીએ પણ જણાવ્યું હતું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી હતી અને આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિશે વાત કરતાં સત્યેન્દ્ર જૈને વધુમાં કહ્યું હતું કે, પ્રતિનિધિ મંડળે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે રહેશે.
સરકારના આ પગલાથી દેશની રાજધાની દિલ્હી તેમજ સમગ્ર દેશને ફાયદો થશે એ વાત નક્કી છે. જો 12 દિવસ પહેલાંની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા હતા. છેલ્લા 12 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી જે એક સારી વાત કરી શકાય.