બીજુ બધુ સાઇડમાં મુકીને આ રીતે કરો પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ, સ્કીન રહેશે એકદમ મસ્ત

બજારમાં મફતના ભાવે મળતી પેટ્રેલિયમ જેલીના છે અઢળક ફાયદા

શિયાળો આવતાં જ શરીરની અંદર અને શરીરની બહાર સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે એટલે કે ફ્લુની તકલીફ, શરદી, ઉધરસ વિગેરે શરૂ થઈ જતાં હોય છે જ્યારે શરીરને બહારથી એટલે કે શરીરની ત્વચા પણ રુક્ષ બની જતી હોય છે જેની સંભાળ લેવા માટે ટીવી પર આવતી કોલ્ડક્રીમ કે પછી વિન્ટર લોશન વિગેરેની એડથી આકર્ષાઈને આપણે મોંઘેરી મોઇશ્ચરાઇઝર ક્રીમ લઈ આવતા હોઈએ છે અને ખુબ જ ચાવથી તેમને ત્વચા પર લગાવતા હોઈએ છે.

image source

પણ જો તેની જગ્યાએ તમે મેડીકલ સ્ટોર કે પછી કરિયાણાની દુકાને મળતી પેટ્રોલિયમ જેલીની પાંચ રૂપિયાની ડબ્બી પણ લાવશો તો તે પણ તમારી ત્વચાને અઢળક લાભ પહોંચાડે છે. આ પેટ્રોલિયમ જેલીની ખાસિયત એ છે કે તેના માટે કોઈ પણ એજ બાર નથી જેમ કોસ્મેટિકની દુકાનમાં મળતી ક્રીમો મોટાઓ માટે અલગ હોય છે, સ્ત્રીઓ માટે અલગ હોય છે, પુરુષો માટે અલગ હોય છે તો બાળકો માટે પણ અલગ હોય છે. પણ પેટ્રોલિયમ જેલીથી તમે ઘરના બાળકોથી લઈને વડીલો સુધીની ત્વચાને પોષણ આપી શકો છો.

શિયાળાના ઠંડા અને શુષ્ક વાતાવરણના કારણે ડ્રાઈ થઈ જતી સ્કીનને રાહત આપે છે પેટ્રોલિયમ જેલી

image source

શિયાળામાં મોંઘેરી ક્રીમો કે મોઇશ્ચરાઇઝર લગાવવાની જગ્યાએ જો પેટ્રોલિયમ જેલી લગાવવામાં આવે તો તે તમારી ત્વચાને શુષ્ક વાતાવરણથી બચાવી રાખે છે. આ ઉપરાંત તમે તેનો ઉપયોગ ફાટેલી એડીઓ પર પણ કરી શકે છો તેનો નિયમિત પ્રયોગ તમારી એડીને થોડાંક જ દિવસમાં સુંવાળી બનાવી દેશે.

નાના બાળકોને થતી ખજવાળમાં રાહત આપે છે પેટ્રોલિયમ જેલી

image source

પેટ્રોલિયમ જેલી તાજા જન્મેલા બાળકો અને સાવજ નાનકડા બાળકોને જે શરૂઆતમાં ખજવાળની તકલીફ રહે છે તે દૂર કરે છે. જો કે તમારે તાજા જન્મેલા બાળક પર પેટ્રોલિયમ જેલી ન લગાવવી જોઈએ તેમના જન્મના ત્રણ મહિના બાદ શરીર પરની ખજવાળ દૂર કરવા માટે તમે તેનો પ્રયોગ કરી શકો છો.

ઘાને ઝડપથી રુઝ આવે તે માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ

image source

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ પેટ્રોલિયમ જેલીનો ઇતિહાસ ઘણો લાંબો છે છેલ્લા 150 વર્ષથી તે બજારમાં સામાન્ય માણસો માટે ઉપલબ્ધ છે. જે માત્ર સામાન્ય લોકોને જ નહીં પણ ડોક્ટરોને પણ પસંદ છે. પેટ્રોલિયમ જેલીને તાજા ઘા પર લગાવવાથી તે જલદી રુઝાવા લાગે છે કારણ કે તે એક રીતે તમારા ખુલ્લા ઘાને સીલ કરી દે છે જેથી કરીને તે વિવિધ જાતના ઇન્ફેક્શનથી બચી શકે છે. તેનાથી ઘાના નિશાન પણ ઝાંખા પડી જાય છે.

ડાયપરને કારણે થતાં રેશેસમાં પણ આપે છે રાહત

image source

ડાયપર પહેરતાં નાના બાળકોને હંમેશા આ સમસ્યા રહે છે અને માતાઓને તેની ચિંતા પણ રહ્યા કરે છે. એકધારું ડાયપર પહેરી રાખવાથી બાળકોને થાપા પર લાલ ચકામાં પડી જાય છે અને ઘણીવાર તેમને બળતરા પણ થતી હોય છે જેના માટે તમને ડોક્ટર દ્વારા રેશિસની ક્રીમ પણ લખી આપવામાં આવે છે પણ આ જ સમસ્યા તમે પેટ્રોલિયમ જેલીથી પણ દૂર કરી શકો છો. પેટ્રોલિયમ જેલીની ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટીવ નાખવામાં નથી આવતું. આ ઉપરાંત તમે જે કોઈ ક્રીમનો ઉપયોગ તમારી ત્વચા માટે કરો છો તેમાં થોડા-ઘણાં અંશે તો પેટ્રોલિયમ જેલી આવેલી જ હોય છે.

સોરાયસિસ અને એક્ઝિમામાં ત્વાચાથી બેક્ટેરિયાને દૂર રાખવામાં મદદ કરે છે પેટ્રોલિયમ જેલી

image source

પેટ્રોલિયમ જેલીને ત્વચા પર લગાવવાથી બાહ્ય નુકસાનકાર તત્ત્વોથી તમારી ત્વચાને રક્ષણ મળે છે. સોરાયસિસ અને એક્ઝિમાં જેવા રોગમાં ત્વચામાં બેક્ટેરિયા ઘુસીને ત્વચાને વધારે નુકસાન ન પહોંચાડે તે માટે પેટ્રોલિયમ જેલી લગાવવાની હોય છે. તેનાથી ફાટેલી ત્વચા સિલ થઈ જવાથી ત્વચામાં બેક્ટેરિયા પ્રવેશી નથી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ